Site icon Gujarat Mirror

કૃપયા ધ્યાન દીજીયે! 27 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર મેઇલ બોરીવલી સ્ટેશન પર નહીં ઉભી રહે

પશ્ચિમ રેલવે દ્વારા કાંદિવલી અને બોરીવલી સ્ટેશનો વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ 20 ડિસેમ્બર, 2025 થી 30 દિવસનો બ્લોક લેવામાં આવશે.

મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી છે. ટ્રેનના સ્ટોપેજ, સમય અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરોwww.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

“ટ્રેન નં. 19418 અમદાવાદ-બોરીવલી એક્સપ્રેસ 19 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર 2025 સુધી વસઈ રોડ પર શોર્ટ ટર્મિનેટ થશે અને વસઈ રોડ અને બોરીવલી વચ્ચે આંશિક રીતે રદ રહેશે. “ટ્રેન નં. 19417 બોરીવલી-અમદાવાદ એક્સપ્રેસ 21 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર 2025 સુધી વસઈ રોડથી શોર્ટ ઓરીજીનેટ થશે અને વસઈ રોડ અને બોરીવલી વચ્ચે આંશિક રીતે રદ રહેશે. “ટ્રેન નં. 12902 અમદાવાદ-દાદર ગુજરાત મેલ અમદાવાદ થી 27 ડિસેમ્બર 2025 ના રોજ 01 કલાક, 10 અને 15 જાન્યુઆરી 2026 ના રોજ 45 મિનિટ અને 16 જાન્યુઆરી 2026 ના રોજ 30 મિનિટ રિશેડ્યૂલ થશે.

“ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલ થી 28 ડિસેમ્બર 2025 ના રોજ 01 કલાક 35 મિનિટ, 11 જાન્યુઆરી 2026 ના રોજ 30 મિનિટ, 16 અને 17 જાન્યુઆરી 2026 ના રોજ 50 મિનિટ રિશેડ્યુલ થશે. “ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ 28 ડિસેમ્બર 2025 ના રોજ મુંબઈ સેન્ટ્રલથી 01.00 કલાક રિશેડ્યુલ થશે.

“ટ્રેન નંબર 22928 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ લોકશક્તિ એક્સપ્રેસ 27 ડિસેમ્બર 2025 ના રોજ બોરીવલી સ્ટેશન પર રોકાશે નહીં, આ દરમિયાન ટ્રેન વસઈ રોડ અને અંધેરી સ્ટેશનો પર રોકાશે અને 45-50 મિનિટ મોડી પહોંચશે. “ટ્રેન નંબર 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ 27 ડિસેમ્બર 2025 ના રોજ બોરીવલી સ્ટેશન પર રોકાશે નહીં, આ દરમિયાન તે વસઈ રોડ અને અંધેરી સ્ટેશનો પર રોકાશે અને 45-50 મિનિટ મોડી પહોંચશે.

Exit mobile version