Site icon Gujarat Mirror

પર્સનલ IT રીટર્ન ભરવાની મુદતમાં 15 દી’નો વધારો

સીબીડીટીએ પર્સનલ આઈટીઆર માટે એસેસમેન્ટ વર્ષ AY 2024-25માટે વિલંબિત અથવા સુધારેલા આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની સમયમર્યાદા 31 ડિસેમ્બર, 2024 થી 15 જાન્યુઆરી, 2025 સુધી લંબાવી છે, જેઓ મૂળ નિયત તારીખ ચૂકી ગયા છે તેમના માટે વધારાના બે અઠવાડિયા પૂરા પાડે છે.

સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ નિવાસી વ્યક્તિઓ માટે આકારણી વર્ષ (AY) 2024-25 માટે તેમના વિલંબિત અથવા સુધારેલા આવકવેરા રિટર્ન (ઈંઝછ) ફાઈલ કરવા માટે વિસ્તરણની જાહેરાત કરી છે. મૂળ ડિસેમ્બર 31, 2024 ની સમયમર્યાદા 15 જાન્યુઆરી, 2025 સુધી લંબાવવામાં આવી છે. આનો અર્થ એ છે કે જે વ્યક્તિઓ તેમની ઈંઝછ ફાઇલ કરવાની મૂળ નિયત તારીખ ચૂકી ગયા છે અથવા અગાઉ ફાઇલ કરેલા રિટર્નમાં સુધારો કરવાની જરૂૂર છે તેઓ પાસે હવે આમ કરવા માટે વધારાના બે અઠવાડિયા છે.

આવકવેરા વિભાગે ટ્વીટ દ્વારા માહિતી આપી હતી કે, સીબીડીટી નિવાસી વ્યક્તિઓના કિસ્સામાં AY 2024-25માટે આવકનું વિલંબિત/સંશોધિત રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2024 થી 15 જાન્યુઆરી 2025 સુધી લંબાવે છે.

Exit mobile version