Site icon Gujarat Mirror

ઓપરેશન સિંદૂર નિષ્ફળ ગયું છે: ઉધ્ધવ સેનાના નેતા રાઉતનો બફાટ

વિપક્ષી ગઠબંધન ભારતની સહયોગી પાર્ટી શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે ઓપરેશન સિંદૂર પર મોટી ટિપ્પણી કરી છે. તેમણે પાકિસ્તાનમાં આતંકવાદ વિરુદ્ધ સેનાના ઓપરેશન સિંદૂરને નિષ્ફળ ઓપરેશન ગણાવ્યું છે. તેમણે ફરી એકવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી છે. 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ 26 પ્રવાસીઓની ગોળી મારીને હત્યા કરી હતી. મંગળવારે પત્રકારો સાથે વાત કરતા રાઉતે કહ્યું, ‘જુઓ, મેં અગાઉ પણ કહ્યું છે કે ઓપરેશન સિંદૂર એક નિષ્ફળ ઓપરેશન છે, પરંતુ દેશના હિતમાં, અમે વિપક્ષી નેતાઓ તેના વિશે વધુ વાત કરવા માંગતા નથી.’ બીજી વાત એ છે કે ઓપરેશન સિંદૂર કરવાની જરૂૂર કેમ પડી. કારણ કે પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા 26 લોકોની હત્યા કરવામાં આવી હતી. દેશના ગૃહમંત્રી અમિત શાહ આ માટે જવાબદાર છે.

તેમણે શાહના રાજીનામાની માંગ કરી છે. રાજ્યસભા સાંસદે કહ્યું, પઅને તેનું પ્રાયશ્ચિત કરવા માટે, અમિત શાહજીએ પદ પરથી રાજીનામું આપવું જોઈએ. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો, ‘આતંકવાદીઓ ક્યાં છે?’ શું તે ગુજરાતમાં છુપાયેલું છે કે દાહોદમાં? મોદીજી ગઈકાલે ગુજરાતમાં હતા. ગઈકાલે ઔરંગઝેબના જન્મેલા ગામમાંથી આ લોકો જોરથી ગર્જના કરી રહ્યા હતા. તમે જવાબદાર છો. તમારા કારણે સિંદૂર બરબાદ થઈ ગયું. તેથી તમારે તેનું પ્રાયશ્ચિત કરીને રાજીનામું આપવું જોઈએ, પણ ગઈકાલે તમે ક્યાં હતા…

Exit mobile version