Site icon Gujarat Mirror

ધનખડ પર અવિશ્ર્વાસ: ભાજપનું વિપક્ષો સામે હલ્લાબોલ

ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ સામે વિરોધપક્ષોએ અવિશ્ર્વાસની દરખાસ્ત ગૃહના સેક્રેટરી- જનરલને સોંપ્યા પછી મામલો ગરમાયો છે. સંસદીય બાબતોમાં પ્રધાન કિરણ રિજિજ્જુ આ મામલે વાતચીત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. રાજયસભામાં આ મામલે ધમાલ થતા ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગીત કરાઇ હતી. અન્ય એક ઘટનાક્રમમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી લોકસભાના સ્પીકર ઓમ બિરલાને મળ્યા હતા અને ગૃહનું કામકાજ યોગ્ય રીતે ચાલે તે જોવા અનુરોધ કર્યો હતો. તેમણે પાછળથી પત્રકારોને જણાવ્યું હતું કે ગૃહનું કામકાજ સારી રીતે ચાલે તે જોવાની જવાબદારી સરકારની છે અમે કાર્યવાહીમાં ભાગ લેવા તૈયાર છીએ.


બીજા તરફ, સંસદીય કામકાજ ઠપ થવા મુદ્દે સપા સાંસદ અને પૂવર મુખ્યમંત્રી અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવે આજે જાહેર કર્યું હતું કે તેમના પક્ષને અદાણી અથવા સોરોસના મુદ્દા સાથે કોઇ લેવાદેવા નથી અને સંસદનું કામકાજ ચાલતું રહેવું જોઇએ.


એ પહેલા રાજયસભામાં રિજિજ્જુએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ પર કોંગ્રેસની ટીકા કરી અને કહ્યું કે જો વિપક્ષ અધ્યક્ષની ગરિમા પર હુમલો કરશે, તો અમે રક્ષણ કરીશું. દિવસ માટે ગૃહની બેઠક પછી તરત જ, કિરેન રિજિજુએ કહ્યું કે ખેડૂતનો પુત્ર ઉપરાષ્ટ્રપતિ બન્યો છે અને સમગ્ર દેશે જોયું છે કે તેણે ગૃહની ગરિમા જાળવી રાખી છે.


તેમણે વિપક્ષની પણ ટીકા કરતા કહ્યું, જો તમે અધ્યક્ષનું સન્માન ન કરી શકો તો તમને સભ્ય બનવાનો કોઈ અધિકાર નથી. અમે દેશની સાર્વભૌમત્વની રક્ષા માટે શપથ લીધા છે. રિજિજુએ અમેરિકન અબજોપતિ જ્યોર્જ સોરોસ અને કોંગ્રેસ વચ્ચેના કથિત સંબંધોનો મુદ્દો પણ ઉઠાવ્યો અને દાવો કર્યો કે કોંગ્રેસ ભારત વિરોધી શક્તિઓ સાથે ઉભી છે.


તમે એવા દળોની સાથે ઉભા છો જેઓ દેશની વિરુદ્ધ છે. અધ્યક્ષ વિરુદ્ધ નોટિસ આપવામાં આવી છે. આવા અધ્યક્ષ મળવું મુશ્કેલ છે. તેમણે હંમેશા ગરીબોના કલ્યાણની, સંવિધાનને સુરક્ષિત કરવાની વાત કરી છે. અમે નોટિસનું નાટક નહીં થવા દઈએ. સફળ થવા માટે સોરોસ અને કોંગ્રેસ વચ્ચે શું સંબંધ છે તે જાહેર કરવું જોઈએ…કોંગ્રેસે દેશની માફી માંગવી જોઈએ. એ સામે કોંગ્રેસની આગેવાનીમાં વિપક્ષી સભ્યો મંત્રીના ભાષણનો વિરોધ કરવા ઉભા થઈ ગયા હતા અને હંગામા વચ્ચે રાજ્યસભાની કાર્યવાહી બપોર સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.


આ પહેલા કોંગ્રેસના સાંસદ રંજીત રંજને કહ્યું હતું કે ઈતિહાસમાં પહેલીવાર સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવી રહ્યો છે. તેણીએ ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર સંસદ ચલાવવા માંગતી ન હોવાનો પણ આરોપ લગાવ્યો. કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ જણાવ્યું હતું કે જો વિપક્ષે આરએસ અધ્યક્ષ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ મૂક્યો હોય તો તેનાથી તેમની નિષ્પક્ષતા પર સવાલો ઉભા થાય છે.

રાહુલની ગાંધીગીરી: રાજનાથને તિરંગા સાથે ગુલાબનું ફૂલ આપ્યું, એનડીએ સાંસદોને પણ વિતરણ
બુધવારે વિપક્ષ દ્વારા સંસદની બહાર વિરોધનો બીજો દિવસ હતો. જો કે, આ વખતે, માસ્ક, ટી-શર્ટ અને બેગ પછી, કોંગ્રેસના સાંસદોએ એનડીએ સાંસદોને ગુલાબના ફૂલ અને રાષ્ટ્રધ્વજ (તિરંગા) વહેંચ્યા. આવી જ એક વિનિમયમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહને ગુલાબ આપતા જોવા મળ્યા હતા.

Exit mobile version