Site icon Gujarat Mirror

વિશાખાપટ્ટનમના નરસિમ્હા સ્વામી મંદિરમાં મોટી દુર્ઘટના, મંદિરની દિવાલ ધરાશાયી થતાં 8ના મોત

 

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક મોટી દુર્ઘટના બની છે. શ્રી વરાહલક્ષ્મી નરસિંહ સ્વામી મંદિરની દિવાલનો 20 ફૂટ લાંબો ભાગ ધરાશાયી થયો. આ અકસ્માતમાં 8 લોકોનાં મોત થયા હતા અને 4 લોકો ઘાયલ થયા હતા. SDRF અને NDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. ઘટનાની માહિતી મળતાં જ આંધ્રપ્રદેશના ગૃહમંત્રી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

આ અકસ્માત રાત્રે 2:30 વાગ્યાની આસપાસ થયો હતો. અક્ષય તૃતીયાના દિવસે મંદિરમાં ચંદનોત્સવ કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ પવિત્ર પ્રસંગે, એવું માનવામાં આવે છે કે ભગવાન વરાહ લક્ષ્મી નરસિંહ સ્વામી ભક્તોને તેમના વાસ્તવિક સ્વરૂપમાં દર્શન આપે છે. આ માટે મંદિરમાં ભક્તોની ભારે ભીડ હતી. 20 ફૂટ લાંબો ભાગ અચાનક તૂટી પડ્યો, જેના કારણે ઘણા લોકો કાટમાળમાં ફસાઈ ગયા. માહિતી મળતાં જ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા.અધિકારીઓના જણાવ્યા અનુસાર, મોડી રાત્રે 2:30 થી 3:00 વાગ્યાની વચ્ચે ભારે વરસાદને કારણે આ અકસ્માત થયો હતો.

જિલ્લા કલેક્ટર હરેન્દ્ર પ્રસાદના જણાવ્યા અનુસાર, શ્રી વરાહલક્ષ્મી નરસિંહ સ્વામી મંદિરમાં ચંદનોત્સવ કાર્યક્રમ ચાલી રહ્યો હતો. મંદિરમાં ભારે ભીડ હતી. તે દરમિયાન અચાનક મંદિરનો 20 ફૂટ લાંબો ભાગ તૂટી પડ્યો. માહિતી આપતાં તેમણે કહ્યું કે અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે અને ચાર લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. SDRF અને NDRF દ્વારા શોધ અને બચાવ કામગીરી ચાલુ છે.

સિંહચલમ ટેકરી પર આવેલું આ મંદિર સદીઓ જૂનું છે. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન ભગવાન વરાહ લક્ષ્મી નરસિંહ સ્વામી ભક્તોને તેમના વાસ્તવિક સ્વરૂપમાં દર્શન આપે છે. ચંદનોત્સવ અને અન્ય ધાર્મિક વિધિઓ માટે હજારો ભક્તો અહીં એકઠા થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે ભીડ ખૂબ જ હતી અને ભક્તો ભગવાનના દર્શન માટે કતારમાં ઉભા હતા.

Exit mobile version