Connect with us

rajkot

માધાપર સર્કલે અંડર બ્રિજ ફાઈનલ, સરકારની મંજૂરી

Published

on

શહેરના 150 ફૂટ રીંગ રોડ પર ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે મોટાભાગના સર્કલો ઉપર ઓવરબ્રીજ બનાવવામાં આવ્યા છે. જેપૈકી રાજકોટ શહેરને જામનગરથી જોડતા માધાપર ચોકડી પર ઓવરબ્રીજ બન્યા બાદ મોરબી તરફથી આવતા અને જતા ટ્રાફિકની સમસ્યાનો હજુપણ ઉકેલ ન આવતા અગાઉ રદ કરેલ અંડરબ્રીજ ફરી વખત બનાવવાનો નિર્ણય લેવામાં ાવ્યો છે. માધાપર ચોકડી ખાતે હાલમાં તૈયાર થયેલ ઓવરબ્રીજની નીચે અંડરબ્રીજ બનાવવા માટે સાંસદ મોહનભાઈ કુંડારિયા મુખ્યમંત્રીને રજૂઆત કરેલ જે સફળ રહેતા ટુંક સમયમાં અડરબ્રીજ અંગેની તમામ કામગીરી શરૂ કરવામાં આવશે. તેમ સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે જણાવ્યું હતું.
રાજકોટ શહેરનો સતત ટ્રફિકથી ધમધમતાં 150 ફૂટ રીંગ રોડ ઉપર માધાપર સર્કલ પર તાજેતરમાં ઓવરબ્રીજ બનાવવામા આવ્યો છે. જેના કારણે જામનગરથી રાજકોટ તરફ જતા વાહનોને સર્કલની ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળી છે. પરંતુ સર્વિસ રોડ ઉપર ચાલતા વાહનોના કારણે માધાપર સર્કલ પર ટ્રાફિક સમસ્યા યથાવત રહેતા હવે બ્રીજની નીચે અંડરબ્રીજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ પણ ઓવરબ્રીજનુંં કામ પૂર્ણ થયા બાદ અંડરબ્રીજ બનાવાશે તેવી જાહેરાત કરવામા આવેલ અને રદ પણ કરેલ પરંતુ ટ્રાફિક સમસ્યાના કારણે હવે ફરીવખત માધાપર ચોકડી ખાતે 150 ફૂટ રીંગ રોડથી મોરબી રોડને જોડતો અંડરબ્રીજ બનાવવાની ગતિવિધ તેજ બનાવવામાં આવી છે.
સાંસદ મોહનભાઈકુંડારિયાએ અંડરબ્રીજ અંગે મુખ્મયંત્રીને રજૂઆત કરતા તેમણે સંમતિ દર્શાવતા હવે ટેન્ડર સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
સ્ટેન્ડીંગ ચેરમેને વધુમાં જણાવેલ કે, માધાપર સર્કલે અંડરબ્રીજ બનાવવા માટે પીડબલ્યુડી વિભાગ અને મહાનગર પાલિકાના અધિકારીઓએ સંકલન બેઠક યોજી હતી. જેમાં બ્રીજ બન્ને સાઈડ 200 ફૂટ સુધી લંબાવવાનો હોવાથી રાજકોટ તરફ 200 ફૂટ બ્રીજ બને તો બીઆરટીએસનું છેલ્લું પીકઅપ સ્ટેન્ડ રદ કરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આથી બીઆરટીએસ વિભાગના અધિકારીઓએ પણ પીકઅપ સ્ટેન્ડ આગળ લઈને બ્રીજ બનાવવા માટેની તૈયારીઓ દર્શાવી છે.
હાલ શહેરમાં 150 ફૂટ રીંગ રોડ પર રામાપીર ચોકડી, રૈયા સર્કલ, કેકેવી સર્કલ, ઈન્દીરા સર્કલ, નાના મૌવા સર્કલ, મવડી સર્કલ અને ગોંડલ ચોકડી સહિતના સર્કલ ઉપર ઓવરબ્રીજ બની ચુક્યા છે. જ્યારે પુનિત નગર સર્કલ અને ટેલીફોન એક્સચેન્જ સર્કલ પર પણ ઓવરબ્રીજ બનાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
ત્યારે ફક્ત માધાપર ચોકડીએ જ બ્રીજ ન હોય હવે ત્યાં અંડરબ્રીજ બનાવવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સરકારની મંજુરી અને ગ્રાન્ટ મળ્યા બાદ બ્રીજ અંગે કાર્યવાહી શરૂ કરવામાં આવશે. સંભવત પીડબલ્યુડી વિભાગ દ્વારા બ્રીજ બનાવવાની કાર્યવાહી હાથ ધરાશે તેમ ચેરમેન જયમીનભાઈ ઠાકરે જણાવ્યું હતું.

rajkot

રાજકોટમાં હાર્ટએટેક વધુ એક પરિણીતાને ભરખી ગયો

Published

on

હૃદય રોગના હુમલાથી અનેક માનવ જિંદગીના શ્વાસ થંભી રહ્યા છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટમાં પરિણીતાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં રણછોડનગરમાં આવેલા જલગંગા ચોકમાં રહેતા ગીતાબેન મનસુખભાઇ દાવડા નામની 42 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી. ત્યારે રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા પરિણીતાને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં આરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરતા બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી પરિણીતાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડાયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક પરિણીતાને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

rajkot

ધ્રાબડિયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનના સુસવાટા, માવઠાની આગાહીએ ચિંતા વધારી

Published

on

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ફરી માવઠાની આગાહી કરવામાં આવી છે. ગઇકાલે અમુક સ્થળોએ કમોસમી વરસાદ પડવા સાથે ઠંડા પવનો નિકળતા વાતાવરણમાં ઠંકર છવાઇ ગઇ છે. અને સવારથી વાદળછાયુ ધ્રાબડીયુ વાતાવરણ સર્જાયુ છે. હજુ આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી હોવાથી ખેડૂતોની ચિંતા વધી ગઇ છે. ગઇકાલે સંતરામપુરમાં એક, કડાણામાં પોણો અને છોટાઉદેપુરમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો. તેમજ સાયક્લોનીક સર્કયુલેશન સક્રિય થતાં માવઠું થઈ શકે છે. 3 દિવસ બાદ રાજ્યમાં ઠંડીનું જોર વધશે.હાલ સૌથી ઓછું નલિયામાં 12.2 ડિગ્રી તાપમાન છે. જ્યારે અમદાવાદમાં 19.6 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં 19.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.મિચાંગ સાયક્લોનની ગુજરાત પર હાલ કોઈ અસર રહેશે નહીં.
તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારે અમદાવાદ, આણંદ,ભાવનગર, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, નવસારી, પાટણ, વડોદરા સહિતના જિલ્લાઓમાં 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો વલસાડ,તાપી, સુરેન્દ્રનગર, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન થાય તેવી સંભાવના છે. તો ડાંગ,દેવભૂમિ દ્વારકા, જામનગર, મહીસાગર, પંચમહાલ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

Continue Reading

rajkot

સોમવારથી ધોરણ 12ના વિદ્યાર્થીના મતદારયાદીમાં નામ ઉમેરવા ઝુંબેશ

Published

on

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચૂંટણી પંચના આદેશથી રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષી અને મુખ્ય ચૂંટણી અધિકારી એસ.જે.ખાચર દ્વારા મતદારયાદી સુધારણ કાર્યક્રમ જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે યુવા મતદારો મતદાન કરી શકે તે માટે તેમના નામ મતદારયાદીમાં ઉમેરવા સોમવારથી એક નવી ઝુંબેશ શરૂ કરવા જઈ રહ્યાં છે. જેમાં રાજકોટ શહેર અને જિલ્લામાં ધો.12માં ભણતાં તમામ વિદ્યાર્થીઓના મતદાર યાદીમાં નોંધાવવા માટેની ઝુંબેશ શરૂ કરવામાં આવનાર હોવાનું રાજકોટ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી એસ.જે.ખાચરે જણાવ્યું છે.
રાજકોટ શહેર જિલ્લામાં લોકસભાની ચૂંટણી અંતર્ગત યુવા મતદારોના મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે એક પછી એક અસરકારક પગલાં અને કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે. જેમાં સૌ પ્રથમ ઘરે ઘરે જઈ બુથ લેવલ ઓફિસરો દ્વારા મતદાર યાદીમાં નામ ઉમેરવાની ઝુંબેશ શરૂ કરી હતી. ત્યારબાદ મુખ્ય ચૂંટણી અધિકારી એસ.જે.ખાચરના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર અને જિલ્લાની તમામ કોલેજોમાં બુથ લેવલ ઓફિસરો દ્વારા જઈને યુવા મતદારોને ઓનલાઈન મતદાર યાદીમાં નામ કેવી રીતે ઉમેરવું અને ફોર્મ કેવી રીતે ભરવું અને શું શું ડોકયુમેન્ટ જોડવા તે અંગેના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતાં.
ત્યારબાદ રાજકોટ શહેર અને જિલ્લામાં 2200થી વધુ મતદાન મથકો પર બુથલેવલના ઓફિસરો દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત યુવા મતદારોના નામ યાદીમાં ઉમેરવા માટે બે દિવસ ઝુંબેશ કરી હતી અને આગામી તા.3 ડિસેમ્બરને રવિવારના રોજ તેમજ તા.9 ડિસેમ્બર શનિવારના રોજ બુથ લેવલ પર મતદાર યાદી સુધારણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં મતદાર યાદીમાં નામ ઉમેરવામાં આવશે.
બીજી બાજુ જિલ્લા કલેકટર પ્રભવ જોષી અને ચૂંટણી અધિકારી એસ.જે.ખાચર દ્વારા અમદાવાદની માફક રાજકોટ જિલ્લામાં પણ એક નવો અભિગમ અપનાવી રાજકોટ શહેર અને જિલ્લાની તમામ હાઈસ્કૂલોમાં ધો.12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓની માહિતી જિલ્લા શિક્ષણાધિકારી પાસેથી મંગાવવામાં આવી છે અને સોમવારથી રાજકોટ શહેર અને જિલ્લાની તમામ હાઈસ્કૂલોમાં ધો.12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના મતદારયાદીમાં નામ ઉમેરવા માટેના ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આ આવકારદાયક પગલાંના કારણે રાજકોટ જિલ્લામાં મતદારયાદીમાં નવા નામ ઉમેરવામાં જોરદાર ઉછાળો જોવા મળે તો નવાઈ નહીં.
રાજકોટ જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી એસ.જે.ખાચરે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ઘરે ઘરે જઈ તેમજ બુથ લેવલે કરવામાં આવેલી મતદારયાદી સુધારણ કાર્યક્રમના કારણે રાજકોટ જિલ્લામાં 13600 જેટલા નવા યુવા મતદારોના નામ યાદીમાં ઉમેરી દેવામાં આવ્યા છે. જ્યારે અવસાન થવાના કારણે 9516 જેટલા મતદારોના નામ યાદીમાંથી કમી કરાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્થળાંતર કરેલા અને મતદારોના નામનો સુધારવા કરવામાં 15000 જેટલા ફોર્મ ભરાયા છે.

Continue Reading

Trending