Connect with us

ગુજરાત

શહેરમાં ઠેર ઠેર પ્રાચીન ગરબે ઘૂમી મોટેરાઓને મંત્રમુગ્ધ કરતી નાની બાળાઓ

Published

on

શહેરની શેરી-ગલીઓમાં હજુમાં જગદંબાની વાસ્તવિક આરાધના થાય છે: દર્શન

રાજકોટમાં હાઇ વોલ્ટેજ મ્યુઝીકલ સિસ્ટમ પર દાંડીયા રાસનું આોજનમાં તો ખેલૈયાઓ મન મુકી ગરબે ઘુમે છે તો બીજી તરફ શેરીમાં થતી પ્રાચીન ગરબીનો પણ ક્રેઝ વધી રહ્યો છે. શહેરની નામાંકીત ગરબીને માણવા હજારોની જનમેદની ઉમટે છે. પ્રાચિન ગરબીમાં નાની બાળાઓ ગરબાના તાલે આકર્ષક રાસ દ્વારા માતાજીની ભકિત કરવામાં આવી રહી છે.આજે પણ પરંપરાગત પ્રાચીન ગરબી આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.

સુંદરી ભવાની ગરબી મંડળ
રાજકોટ શહેરના સહકાર સોસાયટી શેરી નંબર 8માં સુંદરી ભવાની ગરબી મંડળ દ્વારા નાની નાની બાળાઓ દ્વારા પ્રાચીન અર્વાચીન રાસ રજૂ કરવામાં આવી રહ્યા છે. આ ગરબી મંડળ દ્વારા 28 વર્ષ પૂર્ણ કરીને આ વર્ષે 29 મા વર્ષે રાસ ગરબાનો આયોજન કરવામાં આવ્યું છે.

આ વિસ્તારના નાના મોટા સેવાભાવી દ્વારા તેમજ તેઓના સાથ અને સહકાર વચ્ચે નાની નાની બાળાઓ દરરોજ રાસ ગરબે ઘૂમી રહી છે. પ્રસ્તુત તસવીરોમાં જોડાયેલી બાળાઓ તેમજ લત્તાવાસીઓ અને આયોજકો દેખાય છે. અહીં નાની નાની બાળાઓને રોજબરોજ લખતા વાસીઓ દ્વારા લાહણી આપવામાં આવે છે ધર્મપ્રેમી અને સેવાભાવી લોકો પણ બાળાઓને લાહણી આપીને પુણ્યશાળી સેવા કરે તે ઇચ્છનીય છે.

પાર્થ ગરબી મંડળ
રાજકોટમાં અંકુર નગર 5 – કડીયાનગર – 1,ગોકુલધામ પાસે પાર્થ ગરબી મંડળ દ્વારા છેલ્લા 33 વર્ષ પૂર્ણ કરીને 34 માં વર્ષમાં પ્રવેશેલા પાર્થ ગરબી મંડળમાં રોજ 80 થી 85 નાની નાની બાળાઓ દ્વારા પ્રાચીન અર્વાચીન રાસ ગરબાની ધૂમ મચાવી રહી છે. અહીં સ્ટેજ પરથી રમાતા રોજ રમાતા ભક્તિની આરાધના દર્શાવતા રાસ ગરબા નિહાળવા માટે આજુબાજુના લતાવાસીઓ ઉમટી પડે છે. પાર્થ ગરબીના આયોજન માટે મંડળના જીતેન્દ્રસિંહ મકવાણા, તેમજ સુરેશભાઈ સારોલા, સવજીભાઈ ટોળીયા, દિપકભાઈ દવે, પિનાકીનભાઈ ટાંક તેમજ જીતુભાઈ ગામી સહિતના સેવાભાવીઓ દ્વારા રોજ ભારે જહેમત ઉઠાવાઈ રહી છે.

અંબિકા પાર્ક
શહેરના રૈયા રોડ સ્થિત અંબિકા પાર્ક ખાતે બાળાઓ અને બાળકો રાસની રમઝટ બોલાવી રહ્યા છે. જેમાં પ્રાચીન ગરબાના તાલે સાથે આકર્ષક રાસ દ્વારા માતાજીની ભકિત કરવામાં આવી રહી છે. જેમાં મધ મીઠી વાતે, સાથીયા પુરાવો રાજ, મે રે ગોરી, મોગલ આવે, મારી માતાના પગલા વગેરે ગરબા રજુ કરવામાં આવે છે. સમગ્ર આયોજન અંબિકા પાર્ક પરિવારના પ્રમુખ નરેન્દ્રસિંહ ઝાલા, ઉપપ્રમુખ રમેશભાઇ વિરમગામા, સેક્રેટરી પ્રતાપભાઈ ખજાનચી યશવંતભાઇ ભટ્ટ તથા ધર્મન્દ્રભાઇ વોરા, વોરા, મનસુખભાઇ ઘેટીયા, કિશોરભાઇ કક્કડ, દામોદરભાઇ પટેલ, છગનભાઇ પટેલ સહિતના વડીલોના માર્ગદર્શન હેઠળ મહિલા મંડળના બહેનો હર્ષાબેન કક્કડ, મધુબેન દોશી,જયશ્રીબેન ત્રાંબડીયા, જુલીબેન કોટેચા, જલ્પાબેન સથવારા, હેમાબેન ભુંછડા, કૃપાબેન દેવાણી, ફોરમબેન થડેશ્વર સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. બાળાઓને નીવા ભુછડા, હેમાબેન ભુંછડા, હેતલબેન રવાણી, ફોરમબેન થડેશ્વર તથા કૃપાબેન દેવાણી દ્વારા તાલીમ આપવામાં આવી છે.

મઢુલી ચોક ગરબી
ગામડાંઓમાં અને શહેરોમાં પણ આવી અનેક પ્રાચીન ગરબીઓ જોવા મળે છે. આવી જ એક પ્રાચીન ગરબી રાજકોટનાં કિશોરસિંહજી રોડ પર આવેલા મઢુલી ચોકમાં આવેલી છે. જે છેલ્લા 83 વર્ષ થી આપણાં સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતી અકબંધ છે.

આ ગરબી વર્ષો પહેલાં મસ્તાનની ગરબી તરીકે પ્રસિદ્ધ હતી.લોકો દૂર દૂર થી આ ગરબી જોવા આવતા. છેલ્લા ત્રીસેક વર્ષથી ગરબીનું સંચાલન નવીનભાઈ રાયજાદા સંભાળે છે. આ મઢુલી નાં ચાચર ચોકમાં ગીત, લય, સૂર, અને તાલ સાથે નાની નાની જોગમાયા ઓને તાલીમ આપી રમાડવામાં આવે છે. ઉપરાંત નવરાત્રીના મૂળ હેતુ અને સંસ્કૃતિની ભાવનાને અકબંધ રાખી આ ગરબીમાં થોડી વૈવિધ્યતા લાવવાનો પણ અમે હંમેશા પ્રયાસ કરતા રહીએ છીએ.

જીવનનગર ગરબી
જીવનનગર વિકાસ સમીતી વોર્ડ નં.10 જાગૃત નાગરિક મંડળ, નવરાત્રી મહોત્સવ સમિતિ મહીલા મંડળના સંયુકત ઉપક્રમે 43માં વર્ષે પ્રાચીન રાસ ગરબાએ લોકહૃદયમાં સ્થાન લીધું છે. દરરોજ અવનવા રાસ જોવા માનવ મહેરામણ ઉમટી પડે છે. રાજયમાં ગરબીએ અનેરૂ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

મનપાના ટાઉન પ્લાનીંગ શાખાના ચેરમને ચેતનભાઇ સુરેજા વોર્ડ નં.10ના પ્રભારી રઘુભાઇ ધોળકીયા, મહામંત્રી મેહુલભાઇ નથવાણી, શ્યામભાઇ ડાભી, દર્શિતભાઇ જોષીએ દિપ પ્રાગટ્ય કરી બાળાઓને લાણી વિતરણ કર્યું હતું. ગરબીમાં દરરોજ દાંડીયા, ટીપ્પણી, સાડી, મંજીરા, દિવડા, બેડા, તાલી, રાસ- ગરબા નિહાળવા માનવ મહેરામણ ઉમટે છે. બાળાઓની કદર કરવામાં આવે છે.

ગુજરાત

સ્વાતિ પાર્કમાં કામધંધો ન ચાલતા આર્થિક ભીંસથી કંટાળી ઈલેક્ટ્રિકના વેપારીનો આપઘાત

Published

on

By

પરિવારજનો લગ્ન પ્રસંગમાં ગયા બાદ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું : એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી

શહેરમાં આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કરી લેવાના બનાવો બની રહ્યાં છે ત્યારે આવો જ એક વધુ બનાવ સામે આવ્યો છે. જેમાં કોઠારીયા વિસ્તારમાં આવેલા સ્વાતિપાર્કમાં રહેતા ઈલેકટ્રીકના વેપારીએ કામ ધંધો ન ચાલતાં આર્થિક ભીંસથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પરિવારજનો લગ્ન પ્રસંગમાં ગયા હતાં ત્યારે પાછળથી આ પગલું ભરી લીધું હતું. આ બનાવથી એકની એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી દેતાં અરેરાટી ફેલાઈ જવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ, કોઠારીયા રોડ પર આવેલા સ્વાતિ પાર્ક શેરી નં.2માં રહેતા ધવલ રાજુભાઈ કોઠારી (ઉ.27) નામના યુવાને ગઈકાલે રાત્રે 11 વાગ્યાના અરસામાં પોતાના ઘરે પંખા સાથે કપડુ બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. 108ના ઈએમટી કરણભાઈએ જોઈ તપાસી મરણ જાહેર કરી પોલીસને જાણ કરતાં આજી ડેમ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ પરમાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ.અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

પ્રાથમિક તપાસમાં મૃતક ધવલ એક બહેનનો એકનો એક મોટો ભાઈ હોવાનું અને તેને સંતાનમાં એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. મૃતક ધવલે આઠેક મહિના પહેલા ઈલેકટ્રીકની દુકાન કરી હોય પરંતુ કામધંધો ચાલતો ન હોવાથી આર્થિક ભીંસ અનુભવતો હોય જેથી કંટાળી ગઈકાલે પત્ની અને પુત્રી માવતરે આંટો મારવા ગયા હોય અને અન્ય પરિવારજનો સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગ હોવાથી ત્યાં હતાં. ત્યારે આ પગલું ભરી લીધું હતું. પરિવારજનો લગ્નમાંથી પરત ઘરે આવતાં દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ ધવલ દરવાજો ખોલતો ન હોય જેથી દરવાજો તોડતા તેનો લટકતો મૃતદેહ જોઈ પરિવારજનો હતપ્રભ બની ગયા હતાં. આ બનાવથી માસુમ પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી દેતાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.

Continue Reading

ગુજરાત

કૂવામાં પાણી જોવા ગયેલી યુવતીને કાળ ખેંચી ગયો

Published

on

By

વહેલી સવારે યુવતી બહેન સાથે વાડીએ પાણી વાળવા જતા પાણી બંધ થતા કૂવામાં જોવા ગઇને અંદર પડી

જામનગર રોડ પર ન્યારા ગામ પાસે આવેલી વાડીમાં પાણી વાળતી વખતે અકસ્માતે કુવામાં પડી જતા પરપ્રાંતીય યુવતીનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ બનાવમાં જ્યારે તેની બહેન કુવામાં જોવા ગઈ ત્યારે બહેન કૂવામાં પડી ગઈ હોવાનું માલુમ પડ્યું હતું.બાદમાં ફાયર બ્રિગેડના સ્ટાફે ચાર કલાકની જહેમત બહાર યુવતીનો મૃતદેહ બહાર કઢાયો હતો.

વધુ વિગત મુજબ,મુળ મધ્યપ્રદેશ હાલ રાજકોટ જામનગર રોડ પર ન્યારા ગામ પાસે જેઠુરભાઇ રાઠોડની વાડીએ મજુરીકામ કરતા પરિવારની કરમા જેમલભાઇ વાસકડીયા(ઉ.વ.20) આજે વહેલી સવારે તેની બહેન સવીતા સાથે વાડીમાં પાણી વાળવા માટે ગઇ હતી.કુવાની મોટર ચાલુ કરતા નળીમાં પાણી આવતુ ન હોઇ તેથી કરમા કુવા પાસે જતા તેમનો પગ લપસી જતા કૂવામાં પડી ગઇ હતી.બાદમાં બહેન કરમાનો અવાજ સાંભળી બહેન સવીતા કુવા પાસે આવીને જોતા કરમા કુવામાં પડી ગઇ હોવાની ખબર પડતા દેકારો કરી મુકતા ત્યાં પરિવારજનો દોડી આવ્યા હતા.

બાદમાં બનાવ અંગે કોઇએ ફાયરબ્રિગેડને જાણ કરતા રેલનગર ફાયરબ્રિગેડ સ્ટેશનના ફાયરમેન વનરાજસિંહ પરમાર તથા વિજયભાઇ, રાહુલભાઇ મુનીયા અને રાજેશભાઇ આંબલીયા સહિતે ઘટના સ્થળે પહોંચી ચાર કલાકની જહેમત બાદ યુવતીને બેભાન હાલતમાં કુવામાંથી બહાર કાઢી હતી. બાદ 108 માં જાણ કરતા 108ની ટીમ સ્થળ પર પહોંચી તપાસ કરી તબીબે યુવતીને મૃતજાહેર કરી હતી.પોલીસને બનાવની જાણ કરતા યુનિવર્સિટી પોલીસ મથકના જયશ્રીબેન ડાંગર અને સ્ટાફ બનાવ સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી.મૃતક કરમા ત્રણ બહેન અને એક ભાઇમાં વચેટ હતી તેના પિતા અને માતા મજુરી કામ કરે છે યુવતીના મૃત્યુથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.

Continue Reading

ગુજરાત

રાજકોટના તત્કાલીન ડીસીપી પ્રવીણકુમાર મીણા અને અચલ ત્યાગીની CBIમાં નિમણૂક

Published

on

By

ગુજરાત કેડરના વધુ બે IPS અધિકારીઓની CBIમાં નિમણૂક કરવામાં આવી છે. અચલ ત્યાગી 2015 બેન્ચના અધિકારીની સીબીઆઈમાં નિમણૂક કરાઈ છે, જ્યારે IPS પ્રવિણ કુમાર 2016 બેન્ચના અધિકારીની પાંચ વર્ષ માટે સીબીઆઈમાં નિમણૂક કરવામાં આવી છે. અચલ ત્યાગી મહેસાણા જિલ્લા પોલીસવડા તરીકે ફરજ બજાવતા હતા. જ્યારે IPS પ્રવિણ કુમાર મીણા આણંદ જિલ્લા પોલીસવડા હતા.

IPS પ્રવિણ કુમાર સૌ પ્રથમ ગીર સોમનાથ જિલ્લામાં તલાલા ગીર ખાતે તેમના પ્રોબેશન સમય દરમિયાન ફરજ બજાવી હતી. બાદમાં દોઢ વર્ષ સુધી વિરમગામ ખાતે એએસપી તરીકે બાદમાં તેમની નિમણૂંક રાજકોટ ડીસીપી ઝોન-1 માં થઈ હતી. ત્યાં તેમણે તેમની ફરજની સાથે ડીસીપી ટ્રાફિક અને સાયબર ક્રાઇમનો વધારાનો હવાલો પણ સંભાળ્યો હતો.

પ્રવિણકુમાર મૂળ રાજસ્થાનના અલવરના વતની છે. પ્રવિણકુમારના પિતા પણ ઈન્ડીયન રેવન્યુ સર્વીસમાં પુનામાં અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. આ કારણે તેમણે પ્રાથમિક શિક્ષણ પૂના ખાતે અને ધોરણ 12 સુધીનો અભ્યાસ મુંબઈ ખાતે કર્યો હતો. બાદમાં તેમણે ઈંઈંઝ બોમ્બે ખાતેથી બી.ટેક અને એમ.ટેક.માં મિકેનિકલ એન્જિનિયરિંગની પદવી મેળવી હતી. વર્ષ 2011માં તેઓએ યુપીએસસીની તૈયારીઓ શરૂૂ કરી, જેમાં તેઓને વર્ષ 2016માં સફળતા મળતા તેઓ આઇપીએસ અધિકારી બન્યાં હતાં.

Continue Reading

Trending