Site icon Gujarat Mirror

લક્કડબાઘા, મૂર્ખ: દુબેના નિવેદન સામે પ્રતિક્રિયા આપતા ઉદ્ધવ, શિવસેના: કોંગ્રેસના નેતાઓનો કટાક્ષ

ભાજપ સાંસદની ટીકા કરનારાઓમાં શિંદે જુથના પ્રધાન પણ સામેલ

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ભાષા વિવાદ વચ્ચે શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેએ સોમવારે નિશિકાંત દુબે પર લકડબાઘા કટાક્ષ સાથે પ્રહાર કર્યો. ઉદ્ધવે દુબે પર લોકોને વિભાજીત કરીને સંવાદિતા ભંગ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો અને ભાજપ પર ભાગલા પાડો અને રાજ કરો નીતિ દ્વારા રાજકીય લાભ મેળવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો.

શિવસેના નેતાની ટિપ્પણી નિશિકાંત દુબેએ ઠાકરેના પિતરાઈ ભાઈઓ પર હુમલો કર્યા પછી આવી, જ્યારે તેમણે રાજ ઠાકરેને મહારાષ્ટ્રમાંથી બહાર આવવાનો પડકાર ફેંકતા કહ્યું, તુમકો પટક પટક કે મારેંગે.
દુબેની ટિપ્પણીનો જવાબ આપતા ઉદ્ધવે કહ્યું, આવા લકડબાઘા (હાયના) રાજ્યમાં શાંતિ અને સુમેળને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમનો (ભાજપના નેતાઓનો) એકમાત્ર વ્યવસાય લોકોને ઉશ્કેરવાનો છે. અમે કોઈપણ ભાષાની વિરુદ્ધ નથી, પરંતુ અમે કોઈપણ ભાષા લાદવા માટે બળના ઉપયોગનો વિરોધ કરીએ છીએ.

શિવસેનાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી યોગેશ કદમે પણ દુબેને છેલ્લી ચેતવણી આપી અને કડક પ્રતિક્રિયા આપવાની ચેતવણી આપી. આવી ટિપ્પણીઓ સ્વીકારવામાં આવશે નહીં. એક શિવસૈનિક તરીકે, હું દુબેને છેલ્લી ચેતવણી આપી રહ્યો છું. જો તેઓ આવા નિવેદનોનું પુનરાવર્તન કરશે, તો તીવ્ર પ્રતિક્રિયા આવશે.
બીજી તરફ મહારાષ્ટ્રના વિપક્ષી નેતાઓએ આકરી પ્રતિક્રિયા આપી. મહારાષ્ટ્ર કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા અતુલ લોંધે પાટીલે જણાવ્યું, તે મૂર્ખ છે. આ વિવાદ ભાષા વિશે નથી. કોંગ્રેસ બધી ભાષાઓનું સન્માન કરે છે.
જઈઙ ધારાસભ્ય રોહિત પવારે કહ્યું, હું નિશિકાંત દુબેજીને વિનંતી કરું છું કે તેઓ મહારાષ્ટ્રમાં બિહાર માટે ખાસ ચૂંટણી રણનીતિઓ લાગુ કરવાનો પ્રયાસ ન કરે.જ્યારે તેઓ પશ્ચિમ બંગાળ અને બિહારની ચૂંટણીઓ વિશે વિચારી રહ્યા છે, ત્યારે તેઓ મહારાષ્ટ્રમાં સમાનતાની ભાવનાને ખલેલ પહોંચાડી રહ્યા છે.

શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ કહ્યું, આ બિલકુલ ભાજપની માનસિકતા છે, જે મહારાષ્ટ્ર વિરોધી છે. અમે દરેકને આવા પાગલ અને ગંદા મનવાળા લોકો સામે પ્રતિક્રિયા ન આપવા કહ્યું છે કારણ કે તેઓ મહારાષ્ટ્રમાં ભય અને અસ્થિરતા પેદા કરવા માંગે છે. આ એ જ લોકો છે જે મહારાષ્ટ્રમાં ભાગલા પાડવા માંગે છે.
દુબેની ટિપ્પણી પર સૌપ્રથમ ટીકા કરનારાઓમાં શિવસેનાના નેતા પ્રિયંકા ચતુર્વેદી હતા. તેમણે ભાજપના સાંસદ પર પ્રહાર કરતા પૂછ્યું, તેમને હિન્દીનો દ્વારપાલ કોણે બનાવ્યો? તેમને હિન્દીનો દ્વારપાલ કોણે બનાવ્યો? તેમને ભારતના કરદાતા કોણે બનાવ્યા? તેમને ઉદ્યોગપતિઓના પ્રવક્તા કોણે બનાવ્યા? અન્ય પક્ષના નેતાઓએ શું કરવું જોઈએ તેનો નિર્ણય કોણે લીધો?

Exit mobile version