Site icon Gujarat Mirror

ન્યાયધીશો પણ માણસ છે, તે પણ ભૂલ કરી શકે છે: સુપ્રીમ કોર્ટના જજ

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ અભય એસ ઓકાએ સોમવારે કહ્યું કે ન્યાયાધીશો પણ માણસ છે અને તેઓ નિર્ણય આપતી વખતે ભૂલો કરી શકે છે. તેમણે સ્વીકાર્યું કે 2016 માં બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે ઘરેલુ હિંસા કાયદા સંબંધિત કેસમાં ચુકાદો આપતી વખતે તેમણે પણ ભૂલ કરી હતી. તેમણે કહ્યું કે આ ન્યાયાધીશો માટે સતત શીખવાની પ્રક્રિયા છે.

જસ્ટિસ ઓકા, જેમણે પોતાની અને જસ્ટિસ ઉજ્જલ ભુઇયાની બનેલી બેન્ચ માટે ચુકાદો લખ્યો હતો. તેમણે કહ્યું કે હાઈકોર્ટને ઘરેલુ હિંસા અધિનિયમની કલમ 12(1) હેઠળ ઈઙિઈની કલમ 482 હેઠળ દાખલ કરાયેલી અરજી પર કાર્યવાહી રદ કરવાની સત્તા આપવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે પીડિત મહિલા વળતરની ચુકવણી જેવી રાહત માટે મેજિસ્ટ્રેટનો સંપર્ક કરી શકે છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાઈકોર્ટોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે ઘરેલુ હિંસા કાયદો એક કલ્યાણકારી કાયદો છે, જે ખાસ કરીને ઘરેલુ હિંસાથી પીડિત મહિલાઓને ન્યાય આપવા માટે રચાયેલ છે.તેથી, કલમ 12(1) હેઠળની કાર્યવાહી રદ કરવા માટે કલમ 482 હેઠળ અધિકારક્ષેત્રનો ઉપયોગ કરતી વખતે, હાઈકોર્ટે ખૂબ જ ધીમી અને સાવધ રહેવું જોઈએ. બેન્ચે કહ્યું કે જો કાયદાની પ્રક્રિયાના ઘોર ગેરકાયદેસરતા અથવા ઘોર દુરુપયોગનો સ્પષ્ટ કેસ હોય તો જ હસ્તક્ષેપ કરી શકાય છે.

Exit mobile version