LIFESTYLE
જાસુદનું ફૂલ સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી છે

જાસુદના ફૂલ, જેને જાવાકુસુમ તરીકે પણ ઓળખવામાં આવે છે, અંગ્રેજીમાં હિબીકસ તરીકે ઓળખવામાં આવે છે. જે સ્વાસ્થ્ય અને સુંદરતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સામાન્ય રીતે આ ફુલ પૂજામાં ભગવાનના ચરણોમાં ચડાવવામાં આવે છે. ઘણા ઓછા લોકોને ખબર હશે કે જાસુદનાં ફૂલ અને પાંદડાંનાં સ્વાસ્થ્ય અને સૌંદર્યનો ખજાનો છુપાયેલો છે. જાસૂદના ફૂલમાં ઔષધીય ગુણો જોવા મળે છે જે વજન ઘટાડવામાં, તાવને દૂર કરવામાં, એનિમિયાની સમસ્યાને દૂર કરવામાં અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જો તમે તમારા શરીરમાં અપચો અને બેચેની અનુભવી રહ્યા છો, તો તેના પાનનું સેવન કરો. જાસૂદના ફૂલ ખાવાથી શરીરમાં આયર્નની ઉણપ દૂર થાય છે.ચલો, જાણિયે જાસુદના ફાયદા.
– એંટીએજીંગ માટે કામ કરે છે
જાસૂદના ફૂલ સુંદરતા વધારવામાં ખૂબ જ ઉપયોગી છે. તેમાં ભરપૂર એન્ટી-એજિંગ તત્વો મળી આવે છે જે તમારી ઉંમરને રોકવામાં મદદ કરે છે. હિબિસ્કસનું ફૂલ મહિલાઓ માટે અમૃતથી ઓછું નથી. તેનાથી શરીરમાં ફ્રી રેડિકલની સમસ્યાથી રાહત મળે છે. ત્વચાને મુલાયમ અને સુંદર બનાવે છે.
– આયર્નની ઊણપ દૂર કરે છે
જાસુદના ફૂલના ઉપયોગથી શરીરમાં આયર્નની સમસ્યાને દૂર કરે છે. તેમાં ભરપૂર આયર્ન મળી આવે છે, જે શરીરમાં લોહીની ઉણપને પૂરી કરે છે. એનિમિયાથી પીડિત લોકોએ હિબિસ્કસના ફૂલોનો ઉપયોગ કરવો જોઈએ. જાસુદની અંદર આયર્ન હોય છે, તેની કળીઓને પીસીને તેનો ઉપયોગ કરવો જોઈએ. તેને પીસીને તેનો રસ કાઢો અને તેનું નિયમિત સેવન કરો.
– વજન ઘટાડવામાં મદદરૂપ
વજન ઓછું કરવું હોય તો જાસુદના ફૂલનો ઉપયોગ કરો. તેનાથી ભૂખ ઓછી લાગે છે. તમે હિબિસ્કસના પાંદડામાંથી બનેલી ચા પી શકો છો. તેનાથી તમને ઘણી ઉર્જા મળશે. આ ચા પીવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને પાચનક્રિયા સુધરે છે. હિબિસ્કસના ફૂલોનું સેવન કરવાથી ચરબી ઓછી થાય છે અને વજન ઘટે છે.
– કોલેસ્ટ્રોલ ઘટાડે છે
જાસુદ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં અસરકારક સાબિત થઈ શકે છે. જર્નલ ઑફ ઓલ્ટરનેટિવ એન્ડ કોમ્પ્લિમેન્ટરી મેડિસિનમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, હિબિસ્કસ ટી કોલેસ્ટ્રોલના સ્તરને 22 ટકા ઘટાડી શકે છે. આ તેની ઉચ્ચ એન્ટીઑકિસડન્ટ ગુણવત્તાને કારણે છે, જે ખરાબ કોલેસ્ટ્રોલના ઓક્સિડેશનને અટકાવે છે અને હૃદય રોગનું જોખમ ઘટાડે છે
– હાઈ બ્લડ પ્રેશરને
નિયંત્રિત કરે છે
હિબિસ્કસના ફૂલોનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર નિયંત્રિત થાય છે. તેમાં એવા ગુણધર્મો છે જે હાઈ બ્લડ પ્રેશર સામે લડે છે. જાસુદની ચા પીવાથી હૃદયના ધબકારા સામાન્ય થઈ જાય છે અને તમે એકદમ હળવાશ અનુભવો છો. જો તમને બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો જાસુદની ચાનું સેવન ચોક્કસ કરો.
– પીરિયડ્સને નિયમિત
બનાવે છે
જો પીરિયડ્સ રેગ્યુલર ન હોય તો જાસૂદના પાંદડામાંથી બનેલી ચા પીવી જોઈએ. જાસુદ સ્ત્રીઓમાં નિયમિત પીરિયડ્સ જાળવવા માટે ખૂબ જ ફાયદાકારક છે. સ્ત્રીઓના શરીરમાં એસ્ટ્રોજનનું પ્રમાણ ઓછું હોવાને કારણે હોર્મોન્સનું સંતુલન ખોરવાય છે. જેના કારણે પીરિયડ્સ સમયસર આવતા નથી. પરંતુ જાસુદના ઉપયોગથી પીરિયડ્સની સમસ્યામાં રાહત મળે છે.
– શરદી અને ઉધરસ
દૂર કરે છે
જાસુદના પાંદડામાં વિટામિન ભરપૂર માત્રામાં હોય છે. તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. જે લોકો શરદી અને ઉધરસથી પીડાય છે તેમણે હિબિસ્કસના ફૂલોનું સેવન કરવું જોઈએ. તેનાથી ગળાના દુખાવામાં રાહત મળે છે. વિટામિન સીની ઉણપને દૂર કરવા માટે, તમારે હિબિસ્કસના ફૂલોનું સેવન કરવું જોઈએ.
LIFESTYLE
સફરજન ખાવાથી શરીરને થાય છે આ ગંભીર નુકસાન, ફાયદા તો જાણતા હશો અહીં જાણી લો આડઅસરો

સફરજન પોષક તત્વોથી ભરપૂર છે. દરરોજ એક સફરજન ખાવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે. એવું કહેવામાં આવે છે કારણ કે તે પોષક તત્વોથી ભરપૂર છે. સફરજન પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને આયર્નથી ભરપૂર હોય છે. એટલું જ નહીં, તેને ખાવાથી ક્યારેય લોહી કમી નથી થતી. આયુર્વેદ અનુસાર સફરજન ખાવાથી ચામડીના રોગો, હાર્ટબર્ન, તાવ અને કબજિયાતમાં રાહત મળે છે. સફરજનમાં એન્ટી-ઓક્સીડેન્ટ, ફાઈબર, વિટામિન સી અને વિટામિન બી ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે તમારી આંખો માટે ખૂબ જ સારું છે. પરંતુ જો તમે દિવસમાં 1-2 થી વધુ સફરજન ખાઓ છો, તો તે તમારા શરીર માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે.
ઘણા બધા સફરજન ખાવાના ગેરફાયદા
વજન પણ વધવો
જો તમે જરૂર કરતાં વધુ સફરજન ખાઓ તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. જેના કારણે વજન પણ વધવા લાગે છે અને વ્યક્તિ સ્થૂળતાનો શિકાર બની શકે છે. તેમાં ખાંડનું પ્રમાણ ખૂબ જ વધારે છે, તેથી તે કેલરી પણ વધારી શકે છે. ચરબી પણ વધે છે.
પાચન
સફરજનમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. જો તમે તે વધારે ખાઓ છો, તો જઠરાંત્રિય પ્રણાલીમાં ગેસ બનવા લાગે છે. જેના કારણે પેટમાં દુખાવો અને ખેંચાણની સમસ્યા થઈ શકે છે.
બલ્ડ શુગર
વધુ પડતા સફરજન ખાવાથી લોહીમાં શુગર લેવલ વધી જાય છે. જેના કારણે શરીરને ઘણું નુકસાન થઈ શકે છે. સફરજનમાં કાર્બોહાઈડ્રેટ, ફાઈબર અને અન્ય પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. કાર્બોહાઈડ્રેટમાંથી શરીરને ઘણી ઉર્જા મળે છે.
દાંત
સફરજનમાં રહેલું એસિડ દાંતોને ઘણું નુકસાન પહોંચાડે છે. તેથી, સફરજન વધુ પડતું ખાવું નુકસાનકારક હોઈ શકે છે.
LIFESTYLE
સરગવો પોષક તત્ત્વોનો ખજાનો છે જાણો તેના ફાયદા

અંગ્રેજીમાંSRUM STICK અને ગુજરાતીમાં સરગવો તરીકે ઓળખાતું આ શાક માનવ શરીર માટે આશીર્વાદથી કમ નથી. સરગવો ખાસ કરીને સાંધાથી લઈ સુગર સુધીનાં રોગમાં સજ્જડ ફાયદો કરે છે. સરગવાને અનેક ઓષધિય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે.હાડકાને મજબૂત કરવાની સાથે સાથે સ્વાસ્થ્યના અનેક લાભ પણ આપે છે. સરગવો ઔષધ સમાન છે અનેક રોગમાં લાભદાયી થાય છે. સરગવાનું વૃક્ષ તેના ઔષધીય ગુણો માટે જાણીતું છે. સદીઓથી તેનો ઉપયોગ દવા તરીકે કરવામાં આવે છે. સરગવાના વૃક્ષનો લગભગ દરેક ભાગ ખાવા લાયક છે. સરગવામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયરન, મેગ્નેશિયમ, વિટામિન-એ, સી અને બી કોમ્પલેક્સ પુષ્કળ માત્રામાં જોવા મળે છે. એક અભ્યાસ મુજબ તેમા દૂધની તુલનામાં ચાર ગણુ કેલ્શિયમ અને બે ગણુ પ્રોટીન જોવા મળે છે.
સરગવો કે તેના ફૂલ અને પાન તંદુરસ્તીનો ખજાનો છે. સરગવાના તાજા ફુલ હર્બલ ટોનિક છે. તેની વનસ્પતિ નામ મોરિંગા ઓલિફેરા છે. તેના પાનમાં અનેક પોષક તત્વ છે. જે સ્વાસ્થ્યની દ્રષ્ટિથી ખૂબ લાભકારી છે. ફિલીપિંસ, મેક્સિકો શ્રીલંકા મલેશિયા જેવા દેશોમાં પણ સરગવાનો પ્રયોગ વધુ કરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં વ્યંજનોમા તેનો ઉપયોગ ખૂબ કરવામાં આવે છે. આર્યુવેદમાં 300 રોગોનો સરગવા દ્વારા ઉપચાર બતાવ્યો છે.સરગવાના પાવડર પ્રોટીન, ખનિજો, એમિનો એસિડ, એન્ટીઑકિસડન્ટો અને ફ્લેવોનોઈડથી ભરપૂર છે. આ પાવડરનો ઉપયોગ લીવર, કીડની, હૃદય અને ફેફસાના પેશીઓને સુરક્ષિત કરવાના મદદ કરે છે. આ ચમત્કારિક પાવડરનો ઉપયોગ એન્ટીસેપ્ટિક તરીકે થઈ શકે છે. સરગવાનું પાવડર કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું જોખમ ઘટાડી શકે છે.
– શીંગોમાં ફાઈબરની માત્રા મળી આવે છે, જેના કારણે વ્યક્તિને વારંવાર ભૂખ નથી લાગતી.જો શરીરમાં આયર્નની ઉણપ હોય તો પાલકની જગ્યાએ તેનું સેવન પણ કરી શકાય છે. તેના ઉપયોગથી લોહી શુદ્ધ રહે છે અને હિમોગ્લોબિનની ઉણપ દૂર થાય છે.
– સરગવામાં અનેક ઔષધીય ગુણો હોય છે. સાથે તેના પાન શરીરમાં રક્ત શર્કરાને પણ ઘટાડે છે. આ સિવાય ડાયાબિટિસને નિયંત્રણમાં રાખવામાં પણ મદદ કરે છે.
– સરગવાની સ્ટીક અને પાન તથા ફૂલમાં જીવાણુરોધી તત્વો હોય છે. જે ગળા અને ત્વચા સંબંધી સંક્રમણોને દૂર કરવામાં મદદ કરે છે. તેમાં વિટામીન સી પણ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે શરીરની પ્રતિરક્ષાને વધારે છે અને શરીરના હાનિકારક કણોને ખતમ કરવામાં મદદ કરે છે.
– સારા સ્વાસ્થ્ય માટે પણ તેમાં અનેક જરૂૂરી તત્વો હોય છે. તેમાં પૂરતું વિટામીન બી મળે છે. તે પાચનક્રિયાને સારી કરે છે અને સાથે તેને ખાવાથી પેટમાં ફેટ નહીં બને. આ સિવાય તેનાથી એનર્જી મળે છે. ફાઈબર હોવાના કારણે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. તેનાથી વજન ઘટાડવામાં મદદ કરે છે.
– હાલના સમયમાં ડાયાબિટીસની સમસ્યા ખૂબ જ વધારો થઈ રહ્યો છે. જેના કારણે હૃદય રોગની સમસ્યાઓ પણ વધી રહી છે. એના માટે સરગવાના પાંદડા અને ઉત્તમ ઇલાજ માનવામાં આવે છે. જો તમે પણ હાઇબ્લડપ્રેશર થી બચવા માંગતા હોવ તો સરગવાના પાનનો ઉપયોગ કરવો જોઈએ.
– દાંતમાં રહેલા કિટાણુ દૂર કરવામાં અને પાયોરિયા જેવી સમસ્યામાંથી છુટકારો અપાવવા માટે પણ સરગવાના પાન ખૂબ જ ફાયદાકારક છે.
– સરગવાના પાનમાં રહેલું વિટામીન-એ ત્વચાને મુલાયમ રાખવા માં મદદ કરે છે. એ ઉપરાંત એમાં એમનો એસિડ પણ રહેલું છે જે આપણા વાળ માટે ફાયદાકારક છે સરગવાના પાન માંગેલું એમિનો એસિડ આપણા વાળને ઘટ્ટ અને મજબૂત બનાવે છે. આ ઉપરાંત તેમાં કેરોટીન અને પ્રોટીનનું પ્રમાણ પણ ખૂબ સારી માત્રામાં રહેલું છે.
– સરગવાના પાન અને ફળમાં લોહીને સાફ કરવાની તાકાત હોય છે.સાથે તે એક શક્તિશાળી એન્ટીબાયોટિકના રૂૂપમાં પણ કામ કરે છે. તેનો સૂપ કે જ્યૂસનો ઉપયોગ કરવાથી સ્કીન સંબંધી સમસ્યાઓમાં રાહત મળે છે.
– કેલ્શિયમ, આયર્ન અને અન્ય વિટામીનથી ભરપૂર સરગવો હાડકાને મજબૂત કરવામાં મદદ કરે છે. તેના રસના નિયમિત સેવનથી હાડકા મજબૂત કરે છે. પરંતુ શક્ય હોય તો ડોક્ટરની સલાહ અનુસાર તેનું સેવન કરવું.
LIFESTYLE
જમ્મુ ક્રિકેટ ટીમના કેપ્ટનનું પાત્ર ભજવશે વિકી કૌશલ

વિકી કૌશલે કહ્યું છે કે તેણે જમ્મુ ક્રિકેટ ટીમના શારીરિક રીતે અક્ષમ ક્રિકેટર આમિર હુસેનનું પાત્ર ભજવવું છે. તેની ‘સેમ બહાદુર’ પહેલી ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં વિકીની સાથે સાન્યા મલ્હોત્રા અને ફાતિમા સના શેખ જોવા મળશે. સા રે ગા મા પાના સેમી ફાઇનલ એપિસોડમાં તેઓ આ ફિલ્મને પ્રમોટ કરવા ગયાં હતાં. આ શોની સ્પર્ધક સ્નેહા આ શોમાં પલક્ષ્ય તો હર હાલ મેં પાના હૈથ સોન્ગ ગાતી જોવા મળી હતી. આ સોન્ગ તેને તેના ફેન આમિર હુસેન લોન દ્વારા સજેસ્ટ કરવામાં આવ્યું હતું. તે પણ આ શોમાં હાજર હતો. આ સોન્ગ પર સ્નેહા પર્ફોર્મ કરે એ પહેલાં આમિરની સ્ટોરીને દેખાડવામાં આવી હતી. તેના ગીતમાં એક સોલ્જરના પેશન અને બોલ્ડનેસ જોવા મળ્યાં હતાં. આમિરભાઈની આ સ્ટોરી જાણ્યા બાદ સ્નેહાએ આ ગીતને જસ્ટિસ આપ્યો છે. આ શબ્દ આમિર જેવા લોકો માટે હોય છે. તે એક સાચો હીરો છે ને હું તેની બહાદુરીને સેલ્યુટ કરું છું. તેણે મારો સૌથી મોટો પ્રોબ્લેમ સોલ્વ કરી દીધો છે. આજકાલ દરેક ઇન્ટરવ્યુમાં મને સવાલ કરવામાં આવે છે કે મારે કયા ઇન્ડિયન ક્રિકેટરની બાયોપિકમાં કામ કરવું છે. આજે મને એનો જવાબ મળી ગયો છે. આમિરભાઈની લાઇફને પડદા પર દેખાડવાનો મને ચાન્સ મળ્યો તો એની મને ખુશી થશે.
-
Sports3 weeks ago
કોહલી-રોહિત નહીં આ ખેલાડી છે ઓસ્ટ્રેલિયન ટીમ માટે ખતરનાક, કાંગારુ કેપ્ટને કર્યો ખુલાસો
-
LIFESTYLE1 month ago
દિવાળી પહેલા JIO નો મોટો ધમાકો: ઓછી કિંમત ને વધારે ફિચર્સ સાથે 4G મોબાઇલ કર્યો લૉન્ચ, જુઓ કેવા છે ફીચર્સ
-
પોરબંદર2 months ago
પોરબંદર પંથકના ખેડૂત નાં રૂા. 50 હજાર સેરવી લેનાર ત્રણ ઝડપાયા
-
પોરબંદર2 months ago
આરોગ્યની જાળવણી માટે ખેડૂતોએ મિલેટ્સ ધાન્યોનું વાવેતર વધારવું જોઇએ: પર્યાવરણ મંત્રી
-
પોરબંદર2 months ago
સગર સમાજની ભગીરથ જનકલ્યાણ યાત્રાનું ભાણવડ ખાતે આગમન
-
પોરબંદર1 month ago
બોટાદ જિલ્લામાં વીજતંત્ર આકરા પાણીએ : 228 કનેક્શનમાંથી રૂા. 1.11 કરોડની વીજચોરી પકડાઈ
-
પોરબંદર2 months ago
ગાંધવી સમુદ્ર કિનારે તથા ભાણવડ પાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ
-
પોરબંદર1 month ago
પોરબંદરની સ્વામિનારાયણ નર્સિંગ કોલેજના વોર્ડનના બીભત્સ શબ્દાના ઉચ્ચારથી ચકચાર