Connect with us

rajkot

જૈનમ-કામદાર નવરાત્રી મહોત્સવનો કાલથી પ્રારંભ

Published

on

નવરાત્રીને હવે ગણતરીનાં જ કલાકો બાકી છે ત્યારે જૈનો માટે જૈનો દ્વારા સતત છઠા વર્ષે યોજાવા જઇ રહેલ જૈનમ – કામદાર નવરાત્રી મહોત્સવ – 2023 પોતાના પરંપરાગત સ્થળ ખાતે નવરાત્રીનું જાજરમાન આયોજન કરવા જઇ રહ્યું છે. તમામ કામગીરીને ફાઇનલ ટચ અપાઇ ચૂક્યો છે. જાણીતા આગેવાનોની હાજરીમાં આવતીકાલે તા.15નાં રોજ રાત્રે આ રાસોત્સવનો પ્રારંભ કરવામાં આવશે. દરવર્ષ કરતા કંઇક નોખું, અનોખું આપવા જઇ રહેલ જૈનમ નવરાત્રીમાં રમવા માટે ખેલૈયાઓ થનગની રહ્યાં છે. આ વર્ષે દરેક ખેલૈયાઓને સાથે દર્શકોને પણ જૈનમનું આ આયોજન ખુબ પસંદ પડશે અને બધા મન મુકીને આ ઉત્સવને માણશે તેવી આયોજક ટીમની નેમ છે.
ગુજરાતનાં સુપ્રસિધ્ધ સંગીતકાર પંકજભાઇ ભટ્ટ તથા તેમનાં મ્યુઝિક એરેન્જર સહિતનાં સાર્જીદાઓની ટીમ દ્વારા ખેલૈયાઓને ઘેલુ લગાડવામાં આવશે. આ વખતે ગાયકોની સંખ્યામાં પણ વધારો કરી અલગ-અલગ પ્રકારની પ્રતિભા ધરાવતાં ગાયકો અમદાવાદનાં વિશાલ પંચાલ, પરાગી પારેખ, રાજકોટનાં પ્રદિપ ઠક્કર, નમ્રતા ગોસલીયા સહિતની ટીમ દ્વારા અવનવા હિન્દી, ગુજરાતી, સાહીતીક, રાષ્ટ્રભકિત સભર ગીતોનો ગુલદસ્તો દર્શકો સમક્ષ ખુલ્લો મુકશે. ખેલૈયાઓ તો ઠીક પણ બેઠેલા દર્શકોનાં પગમાં પણ જોમ ભરી દે તેવા ગીતા, મ્યુઝિક અને સાઉન્ડ સીસ્ટમનું એક અદભૂત સમન્વય આ નવરાત્રીમાં રચાશે. અદ્યતન લાઇટીંગ ઇફેકટ દ્વારા માહોલને તહેવારમય બનાવવામાં આવશે.
સામાજીક જવાબદારીનાં ભાગરૂૂપે તથા સરકારની ગાઇડલાઇન અનુસાર હાલમાં જોવા મળી રહેલ નાની ઉંમરનાં લોકોમાં થતા હદય સંબંધિત બનાવ વખતે કે ખેલૈયાઓમાંથી કોઇને ચક્કર આવી જવા, મોચ આવી જવી, લાગવાથી ઇજા થવી જેવા બનાવ વખતે તાત્કાલીક સારવાર મળી રહે તે માટે ખાસ સુવિધા ઉભી કરી આઇ.સી.યુ. મિની મોડયુલ સ્વરૂપે એક મિની હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. જેમાં દર્દી માટે બેડ, વ્હીલચેર, ઓકિસજન સીલીન્ડર, ઇ.સી.જી. મશીન, જરૂૂર પડે તો ચડાવવા માટે બાટલાઓ, લાગી જવા સમયે પાટાપીંડી કે ટાંકા લેવાની પણ જરૂર પડે તો એ તમામ સુવિધા સાથે રોજ રાત્રે 8થી 1ર સુધી બે સિનીયર ડોકટરો, પેરામેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, આયાબહેન સહિતનાં લોકો સેવા આપશે.આ સ્થળે કોઇપણ ઇમરજન્સી માટે એક એમ્બ્યુલન્સ સતત હાજર રહેશે. આ ઉપરાંત આ એમ્બ્યુલન્સને મેઇન રોડ સુધી પહોંચવામાં કોઇ તકલીફ ન પડે તે માટે એક ખાસ ગ્રીન કોરીડોર કે જેમાં ઇમરજન્સી સમયે એમ્બ્યુલન્સ વિના અડચણથી મુખ્ય રોડ સુધી પહોંચી શકે તેવો રસ્તો રીઝર્વ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ એમ્બ્યુલન્સને રોડ સુધી પહોંચાડવા માટે આગળ જૈનમ ટીમ દ્વારા એસ્કોર્ડીંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

rajkot

રાજકોટનો કારખાનેદાર પિસ્તોલ સાથે ઝડપાયો

Published

on

શાપર વેરાવળના ગંગા ફાર્જીંગ ગેઈટ પાસે શાપર-વેરાવળ પોલીસનું સઘન વાહન ચેકીંગ ચાલુ હતું ત્યારે એક સ્કોર્પિયોના ચાલક ત્યાંથી શંકાસ્પદ હાલતમાં નીકળતાં તેને અટકાવી સ્કોર્પિયોની તલાસી લેતાં કારમાંથી 1 પિસ્તોલ, 51 જીવતા કાર્ટીસ, ખાલી મેગ્જીન મળી આવી હતી. આ સાથે તેની ધરપકડ કરી કાર અને મોબાઈલ સહિત રૂા.20.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપીએ અગાઉની માથાકુટ ચાલતી હોય જેથી તેમણે યુપીના શખ્સ પાસેથી પિસ્તોલ લઈ સાથે રાખી હતી અને પોતે શાપરમાં કારખાનું ધરાવતો હોવાનું જાણવા મળી રહ્યું છે.
બનાવની વધુ વિગતો મુજબ, રાજકોટ રૂરલ એલસીબીના પીઆઈ વી.વી.ઓડેદરાની રાહબરીમાં પીએસઆઈ એચ.સી.ગોહિલ, ડી.જી.બડવા, એએસઆઈ રવિદેવભાઈ બારડ, હેડ કોન્સ્ટેબલ રોહિતભાઈ બકોતરા અને મનોજભાઈ બાયલ સહિતનો સ્ટાફ શાપર વેરાવળમાં આવેલા ગંગા ફોર્જીંગના ગેઈટ પાસે વાહન ચેકીંગ કરી રહ્યો હતો ત્યારે ત્યાંથી એક સ્કોર્પિયો કાર નીકળી હતી. તેને અટકાવી પોલીસ સ્ટાફે તલાસી લેતાં ચાલક પાસેથી 1 પિસ્તોલ, 51 કાર્ટીસ અને મેગ્જીન મળી આવ્યા હતાં તેમજ ચાલકનું નામ પુછતાં પોતે પોતાનું નામ કૈલાસકુમાર રામસુમીરન શુકલા (ઉ.50, રહે.રાજકોટ ધરમનગર શિવમ પાર્ક મેઈન રોડ બ્લોક નં.53-એ 150 ફુટ રીંગ રોડ ગાંધીગ્રામ મુળ શુકલાપુર ઉત્તરપ્રદેશ)હોવાનું જણાવ્યું હતું.
ચાલક કૈલાસકુમારની પુછપરછ કરતાં પોતે શાપર વેરાવળમાં કારખાનું ધરાવે છે અને તેમને અગાઉ માથાકુટ થઈ હોય જેથી યુપીના અજય કુમાર ચૌહાણ નામના શખ્સ પાસેથી આ હથિયાર ખરીદયું હતું અને સાથે રાખ્યું હતું. પોલીસે આરોપી વિરૂધ્ધ આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધી રૂા.20.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Continue Reading

rajkot

કોટડાસાંગાણીના મોટી મેંગણી ગામે શ્રમિક યુવાનનો ઝેર પી આપઘાત

Published

on

કોટડા સાંગાણીના મોટી મેંગણી ગામે રહેતા યુવાને કોઈ અગમ્યકારણોસર ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. યુવકના આપઘાતથી પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, કોટડાસાંગાણીના મોટી મેંગણી ગામે ખેત મજુરી અર્થે આવેલા રાકેશ સિતારામ વર્મા નામના 40 વર્ષના યુવાને ધીરૂભાઈ ઉકાભાઈ સિધ્ધપરાની વાડીએ કોઈ અગમ્ય કારણોસર સાંજના છએક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતીં. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવાને હોસ્પિટલનાં બીછાને દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.આ ઉપરાંત અન્ય બનાવમાં ગોંડલ તાલુકાના પાંચ ખીલોરી ગામે દિલીપભાઈની વાડીએ રાધિકા લક્ષ્મણભાઈ પરીહાર (ઉ.5) અને પેપીયા (ઉ.3) નામના બે બાળકો રમતા રમતા રતનજયોતના બીજ ખાઈ ગયા હતાં. બન્ને બાળકોને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

Continue Reading

rajkot

ધોરાજીના પીપળિયા ગામે જૂની અદાવતે શાકભાજીના વેપારી પર છરી વડે હુમલો

Published

on

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા પીપળીયા ગામે બે વર્ષથી ચાલી આવતી અદાવતનો ખાર રાખીને બે શખ્સોએ શાકભાજીના વેપારી પર છરી અને ગુપ્તી વળે હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને હુમલાખોરોની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, ધોરાજીના પીપળીયા ગામે રામદેવપીર સોસાયટીમાં રહેતાં રતિભાઈ જેઠાભાઈ દાફડા (ઉ.46)એ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં હુમલાખોર તરીકે પીપળીયા ગામના જગદીશ ઉર્ફે હુશેન પ્રવિણભાઈ દાફડા, અરવિંંદ ઉર્ફે લુખ્ખો ભીખાભાઈ બાંભણીયાના નામ આપ્યા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી શાકભાજીની રીક્ષામાં ફેરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. બે વર્ષ પહેલા યુવાનને આરોપી જગદીશ ઉર્ફે હુશેન દાફડા સાથે માથાકુટ થઈ હતી. જે અંગે પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પાંચ મહિના પછી પણ માથાભારે જગદીશે ફરિયાદીના પરિવાર પર હુમલો કર્યો હતો.
બે વર્ષથી ચાલી આવતી માથાકુટમાં અગાઉ સમાધાન થઈ ગયું હતું. પરંતુ ગઈકાલે ફરિયાદી પોતાના ઘરે હતો ત્યારે બન્ને આરોપીઓ ઘરે આવ્યા હતાં અને ઘર પાસે બેફામ ગાળો બોલી ફરિયાદીને ઘરની બહાર બોલાવી બન્ને આરોપીઓએ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી છરી અને ગુપ્તી વળે હુમલો કર્યો હતો.
શાકભાજીનાં ધંધાર્થી પર બન્ને શખ્સોએ હુમલો કર્યો ત્યારે ફરિયાદીના ભાણેજે સમગ્ર ઘટનાનું વીડિયો શુટીંગ પોતાના મોબાઈલમાં કરી લીધું હતું. આ બનાવ અંગે ધોરાજી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી બન્ને આરોપીની ધરપકડ કરવાન ચક્રોગતિમાન કર્યા છે.

Continue Reading

Trending