ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે દિલ્હી પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સાથે શિષ્ટાચાર મુલાકાત કરી તેઓનું માર્ગદર્શન પ્રાપ્ત કર્યું. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનો રાષ્ટ્ર-પ્રથમ અભિગમ, નવાચાર આધારિત વિચારધારા અને જનભાગીદારી પરનો વિશ્વાસ ‘વિકસિત ભારત’ના સંકલ્પને નવી ઉર્જા આપે છે. તેમના પ્રેરક શબ્દોથી જનકલ્યાણ, સુશાસન અને સમયબદ્ધ પરિણામો માટે સંકલ્પબદ્ધ થઈ કાર્ય કરવાની પ્રેરણા મળી.
PM મોદીની શુભેચ્છા મૂલાકાત લેતા જગદીશ પંચાલ

