Site icon Gujarat Mirror

એવું લાગે છે કે તમે કોઇના કંટ્રોલમાં નથી: શરબત જેહાદ કેસમાં રામદેવને કોર્ટના તિરસ્કારની નોટિસ

દિલ્હી હાઈકોર્ટ હમદર્દની અરજી પર સુનાવણી કરી રહી હતી. અરજીમાં બાબા રામદેવની શરબત જેહાદ ટિપ્પણીને પડકારવામાં આવી છે. સ્વામી રામદેવના વકીલને સંબોધતા કોર્ટે કહ્યું કે એવું લાગે છે કે બાબા રામદેવ પર કોઈનો નિયંત્રણ નથી.

રૂૂહ અફઝાને શરબત જેહાદ કહેનારા બાબા રામદેવ સામે દિલ્હી હાઈકોર્ટે કડક ટિપ્પણી કરી છે. આ સાથે કોર્ટે રામદેવને કોર્ટના તિરસ્કારની નોટિસ ફટકારી છે. રૂૂહ અફઝાને શરબત જેહાદ ગણાવવા અંગે સ્વામી રામદેવની ટિપ્પણીને પડકારતી અરજી પર કોર્ટે અવમાનનાની નોટિસ જારી કરી અને કહ્યું કે બાબા રામદેવ કોઈના નિયંત્રણમાં નથી. તેઓ પોતાની દુનિયામાં રહે છે.

સુનાવણી દરમિયાન, દિલ્હી હાઈકોર્ટમાં જસ્ટિસ અમિત બંસલની કોર્ટે ટિપ્પણી કરી કે બાબા રામદેવ પ્રથમ દ્રષ્ટિએ કોર્ટના અગાઉના આદેશનું ઉલ્લંઘન કરી રહ્યા છે.
વાસ્તવમાં કોર્ટ હમદર્દની અરજી પર સુનાવણી કરી રહી હતી. અરજીમાં બાબા રામદેવની શરબત જેહાદ ટિપ્પણીને પડકારવામાં આવી છે. સ્વામી રામદેવના વકીલને સંબોધતા કોર્ટે કહ્યું કે એવું લાગે છે કે બાબા રામદેવ પર કોઈનો નિયંત્રણ નથી.

કોર્ટે આ ટિપ્પણી ત્યારે કરી જ્યારે હમદર્દના વકીલ મુકુલ રોહતગીએ કોર્ટને કહ્યું કે હાઈકોર્ટના આદેશ છતાં, બાબા રામદેવે એ જ શૈલીમાં એક નવો વીડિયો અપલોડ કર્યો છે.

અગાઉ, બાબા રામદેવના વકીલ રાજીવ નાયરે હાઈકોર્ટને જણાવ્યું હતું કે વાંધાજનક વીડિયો દૂર કરવામાં આવશે. કોર્ટે તેમને ભવિષ્યમાં આવી ટિપ્પણીઓ નહીં કરે તેવું સોગંદનામું દાખલ કરવા પણ કહ્યું હતું. શરબત વિવાદ બાદ સ્વામી રામદેવે કહ્યું હતું કે મેં કોઈનું નામ લીધું નથી. પરંતુ રૂૂહ અફઝા વેચનારાઓએ પશરબત જેહાદથ પોતાના પર લઈ લીધું. આનો સ્પષ્ટ અર્થ એ છે કે તેઓ આ પજેહાદથ કરી રહ્યા છે.

આ પહેલા 22 એપ્રિલે દિલ્હી હાઈકોર્ટે બાબા રામદેવના રૂૂહ અફઝાને શરબત જેહાદ કહેવાના નિવેદન પર સખત નારાજગી વ્યક્ત કરી હતી. જસ્ટિસ અમિત બંસલની બેન્ચે કહ્યું હતું કે તેમનું નિવેદન અક્ષમ્ય અને કોર્ટના અંતરાત્મા માટે આઘાતજનક હતું.
કોર્ટે તેને સામાજિક સૌહાર્દ અને નફરત ફેલાવવા માટે હાનિકારક ગણાવ્યું. રામદેવના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે વિવાદાસ્પદ વીડિયો સોશિયલ મીડિયા પરથી દૂર કરવામાં આવી રહ્યો છે.

Exit mobile version