Connect with us

Uncategorized

કૂતરા ખાય એના કરતા ખેડૂતો ખાય એ સારું: રાઘવજી પટેલ

Published

on

ગુજરાતના ખેડૂતોને આજથી કૃષિ જણસમાં ટેકાના ભાવ મળી રહેશે, આજે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્યના માટે ટેકાના ભાવથી ખરીદી શરૂૂ કરાવી છે. રાજ્ય કૃષિ મંત્રી રાઘવજી પટેલ આજે રાજકોટમાંથી રાજ્યવ્યાપી ટેકાના ભાવની ખરીદી શરૂૂ કરાવી છે. આમાં મગફળી, અડદ, મગ, સોયાબીન વગેરે જણસની ખરીદીમાં પોષણક્ષમ ભાવ મળી રહેશે. આ રાજકોટમાં આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખાસ નિવેદન આપ્યુ હતુ, તેમને કહ્યું કે, અમારો પ્રયાસ ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તેવો છે.
ટેકાના ભાવની ખરીદી શરૂૂ કરાવતી વખતે મંત્રી રાઘવજી પટેલ રાજકોટમાં આક્રમક સ્વભાવમાં જોવા મળ્યા હતા, તેમને આ દરમિયાન કહ્યું કે, કુતરાઓ ખાય એના કરતા ખેડૂતો ખાય એ સારું….. અને એ જોવાની જવાબદારી અગ્રણીઓની છે, આમ કહીને રાઘવજી પટેલે રાજકોટ માર્કેટ યાર્ડના બાંધકામ સમયે થયેલા કથિત ભ્રષ્ટાચાર અંગે ટકોર કરી હતી અને નારાજગી વ્યકત કરી હતી.
રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે પોતાના સંબોધનમાં કહ્યું કે, ખેડૂતોની આવક ડબલ કરવી હોય તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ. આ વખતે 35585 ખેડૂતો મગફળીની નોંધણી કરાવી છે.
આજથી ગુજરાતમાં મંત્રી રાઘવજી પટેલ દ્વારા ખેડૂતો માટે ટેકાના ભાવથી વિવિધ કૃષિ જણસોની ખરીદી શરૂૂ કરાવવામાં આવી હતી. રાજ્યમાં આજે ટેકાના ભાવથી ખેડૂતોનો જણસની ખરીદી થશે. રાજ્યના કૃષિ વિભાગ દ્વારા ટેકાના ભાવની ખરીદીનું આયોજન કરવામાં આવ્યુ છે, જેમાં રાજકોટથી રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ ખરીદી શરૂૂ કરાવશે, મગફળી, અડદ, મગ અને સોયાબીનની રાજ્યવ્યાપી ખરીદી થશે. રાજકોટના જૂના યાર્ડથીથી ખરીદી થશે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટેના આ ખાલ પ્રયાસો છે. રાજકોટમાં આ પ્રસંગે રાજકોટ જિલ્લાના સહકારી અને ખેડૂત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં.
રાજ્યમાં ટેકાના ભાવથી ખરીદીને લઇને રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલનું મોટુ નિવેદન સામે આવ્યુ છે. ખેડૂતોની આવક ડબલ કરવી હોય તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ. આ વખતે 35585 ખેડૂતોએ મગફળીની નોંધણી કરાવી છે. હાલમાં ખેડૂતોને ઓપન માર્કેટમાં સારા ભાવ મળતા હોવાના કારણે ટેકા ભાવે રજિસ્ટ્રેશન ઓછું થયું છે. નોંધણીની મુદત પણ અમે વધારી દીધી છે. કોઈપણ વસ્તુઓનો ભાવ તેની માગના પ્રમાણમાં હોય છે.
કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની નેમ છે કે ભારતનો ખેડૂત સમૃદ્ધ બને ત્યારે તેમની આવક બમણી કરવા અને દેશના ખેડૂતોને તેઓની ઉત્પાદિત થતી જણસીઓના તેઓને પોષણક્ષમ ભાવો મળે તે માટે ભારત સરકારશ્રીની લઘુત્તમ ટેકાના ભાવની નીતિનો અમલ કરવામાં આવે છે. ભારતને મહાસત્તા બનાવવામાં ભારતનું સૌથી મોટું રોજગાર ક્ષેત્ર કૃષિ ક્ષેત્ર છે ત્યારે તેના ખેડૂતોને ઉત્પાદન ક્ષેત્રે કોઈ નુકસાની ન થાય તેની સરકાર દરકાર લઇ રહી છે. વર્ષ 2023-24 માં ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી અન્વયે ભારત સરકાર દ્વારા રાજ્ય સરકારની માંગણી મુજબ મગફળી માટે 9,98,000 મે.ટન, સોયાબિન માટે 91,343 મે.ટન, મગ માટે 9,000 મે.ટન તથા અડદ માટે 53,000 મે.ટન જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.

Uncategorized

વડિયામાંથી નશીલી સીરપનો 240 બોટલનો જથ્થો ઝડપાયો

Published

on

સમગ્ર રાજ્યમાં હાલ નશીલી સીરપના કાળા કારોબાર નો પર્દાફાસ થતો જોવા મળી રહ્યો છે સમગ્ર રાજ્યમાં આ બાબતે પોલીસ એલાર્ટ બની છે ત્યારે અમરેલી જિલ્લામાં પણ અગાવ આ બાબતે જથ્થો પકડાયો હોવથી સમગ્ર જિલ્લા માં પોલીસ સઘન તપાસ કરતા અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા માં ઢોળવા રોડ રાજેશ વલ્લભભાઈ સાંગાણી ના રહેણાંક મકાન અને મહાદેવ પાન એન્ડ કોલડ્રિંક્સ નામની દુકાનમાં બાતમીના આધારે રેડ કરતા ત્યાંથી 280નંગ જથ્થો ઝડપ્યો હતો.અને આ જથ્થો ઝડપાયા બાદ વડિયા પોલીસ ના ઇન્ચાર્જ પીએસઆઇ કે. એલ. કોડિયાતર અને તેમની ટીમ દ્વારા વડિયા ની શંકાસ્પદ તમામ દુકાનો પર રેડ કરવામાં આવી હતી. આ બાબત લોકોમાં ચર્ચાતી વિગતો મુજબ ઘણા સમયથી આ નશીલુ સીરપ વેચાય છે અને તે દારૂૂ ના વ્યશનીઓ આ સીરપ નો ઉપયોગ રોજ નશા માટે કરતા હોવાનુ પાન લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. હવે આ બાબતે વડિયા પોલીસ ઊંડી તપાસ કરીને આ નુ પગેરું ક્યાં સુધી શોધે છે અને સપ્લાયર અને ઉત્પાદક સામે કેવી કાર્યવાહી કરે છે તેતો આવનારો સમય જ બતાવશે.

Continue Reading

Uncategorized

રાજકોટમાં વધુ એક યુવાન અને આધેડનું હાર્ટએટેકથી મોત

Published

on

રાજકોટમાં આજે એક યુવક અને એક આધેડનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે.જેમાં શાપર વેરાવળ ના પડવલા માં આવેલી સંગીતા ઇન્ટેક્સ નામના કારખાને સિક્યુરિટીમાં રહેલા આધેડને હૃદય રોગનો હુમલો આવતા તેમને બેભાન હાલતમાં અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવતા તેમનું સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું.આ અંગે શાપર પોલીસે કાર્યવાહી કરી હતી.
વધુ વિગતો મુજબ,આજીડેમ વિસ્તારમાં લોઠડામાં મીરા કાસ્ટિંગ નજીક રહેતા જેન્તીભાઈ અમરાભાઇ ધાંધલ નામના 46 વર્ષના આધેડ સાંજના સમયે પડવલામાં સંગિતા ઇન્ટેક્સ નામના કારખાને નાઈટ સિક્યોરિટીની નોકરી કરતા હતા.ત્યારે તેઓ અચાનક બેભાન હાલતમાં ઢળી પડતા તેમને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા.તેઓનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યાનું જાણવા મળ્યું છે.પોતે બે ભાઈ ત્રણ બહેનમાં મોટા હતા.તેમજ સિક્યોરિટીની કરતા હતા.આ અંગે શાપર વેરાવળ પોલીસે કાર્યવાહી આદરી છે.
બીજા બનાવમાં ચંદ્રેશ નગર મેઇન રોડ પર અમરનગરમાં રહેતા રજનીશ મનસુખભાઈ ભટ્ટી નામના 40 વર્ષનો યુવક ચામુંડા ટેઇલર પાસે શૌચાલયમાં બાથરૂૂમ કરવા ગયા બાદ બહાર નીકળ્યા બાદ અચાનક ઢળી પડતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેઓનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું.તેઓ કરીયાણાની દુકાનમાં નોકરી કરતા હતા.પોતે બે ભાઈમાં મોટા અને સંતાનમાં એક પુત્ર છે.

Continue Reading

Uncategorized

ગોંડલ ચોકડી નજીક નર્સરીમાં વૃક્ષ સાથે કલચ વાયરથી ફાંસો ખાઇ યુવાનનો આપઘાત

Published

on

શહેરની ભાગોળે ગોંડલ ચોકડી નજીક નર્સરીમાં વૃક્ષ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતોે. બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટનીસ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતકની ઓળખ મેળવવા વાળી વારસની શોધખોળ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ ગોંડલ ચોકડી નજીક પ્રેમવતી પાસે આવેલી નર્સરીમાં વૃક્ષ સાથે કલચ વાયર બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં અજાણ્યો યુવાન લટકતો હોય જે અંગે જાગૃત નાગરિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ પી.એન.મોરવાડીયા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક અજાણ્યો યુવાન (ઉ.વ.આશરે 25થી 30) હોવાનું અને પરપ્રાંત્તય જેવો લાગતો હોવાનું જણાવ્યું છે. મૃતકના જમણા હાથ ઉપર અંગે્રજીમાં અશોક ત્રોફાવેલું છે.
108ના ઇએમટી ભાવસંગભાઇએ મૃત જાહેર કરતા પોલીસે જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતોે આ અંગે તાલુકા પોલીસે મૃતકની ઓળખ મેળવવા વાળી વારસની શોધખોળ હાથ ધરી છે. પોલીસે વાવડી અને કાઠરીયા વિસ્તારમાં તપાસ કરાવી હતી પરંતુ મૃતકની કોઇ ઓળખ ન મળતા વધુ તપાસ યથાવત રાખી છે.

Continue Reading

Trending