Site icon Gujarat Mirror

ફિકસ પે કર્મચારીઓના ભથ્થામાં ડ્યુટી અવર્સના પ્રમાણમાં વધારો

ફિક્સ પે કર્મચારીઓના ભથ્થામાં થશે વધારો. રાજ્ય સરકારના નાણાં વિભાગે આ જાહેરાત કરી છે. આ નિર્ણયથી રાજ્ય ભરના ફિક્સ પેના કર્મચારીઓને લાભ થશે. ડ્યૂટી અવર્સ ઉપરાંત ટ્રાવેલ્સ એલાઉન્સ અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો છે. ફિક્સ પે કર્મચારીઓને એસટી અને રેલવેની ટિકિટ અનુસાર મુસાફરી ભાડું મળશે.

ફિક્સ પે કર્મચારીઓના ડ્યૂટી અવર્સ પ્રમાણે નાણાં વિભાગે ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. જે અનુસાર 12 કલાકથી ઓછા સમયના ડ્યૂટી અવર્સનું ભથ્થું વધારીને 200 રૂૂપિયા કરવામાં આવ્યું છે. જ્યારે 12 કલાકથી વધુના રોકાણ માટે ભથ્થું વધારીને 400 રુપિયા કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર ફિક્સ પે કર્મચારીઓને એસટી અને રેલવેના ટિકિટ દર અનુસાર મુસાફરી ભાડું પણ આપશે.

ગુજરાત સરકારના નાણાં વિભાગે રાજ્યમાં કામ કરતા ફિક્સ પે કર્મચારીઓને રાહત થાય તેવો નિર્ણય કર્યો છે. જેમાં ફિક્સ પે કર્મચારીઓના ડ્યૂટી અવર્સ પ્રમાણે ભથ્થામાં વધારો તેમજ મુસાફરી ભાડા અંગે પણ નિર્ણય કર્યો છે. નાણાં વિભાગ હવે 12 કલાકથી ઓછા સમયના ડ્યૂટી અવર્સનું ભથ્થું વધારીને 200 રૂૂપિયા તથા 12 કલાકથી વધુના રોકાણ માટે ભથ્થું વધારીને 400 રુપિયા આપશે. રાજ્ય સરકાર ફિક્સ પે કર્મચારીઓને એસટી અને રેલવેના ટિકિટ દર અનુસાર મુસાફરી ભાડું પણ આપશે.

Exit mobile version