Connect with us

rajkot

રામ્યુકોનાં 50મા સ્થાપના દિવસે 3 જગ્યાએ વેલનેસ કેન્દ્રોનો પ્રારંભ

Published

on

રાજકોટ મ્યુનિસિપાલિટીમાંથી મહાનગરપાલિકા તરીકે તા.19/11/1973ના રોજ સ્થાપના કરવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્થાપનાની 50-મી વર્ષગાંઠ નિમિતે તા.19-મી નવેમ્બરએ ત્રિ-દિવસીય વિવિધ કાર્યક્રમ અંતર્ગત ત્રણ જુદા જુદા સ્થળોએ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો. જેમાં, વિધાનસભા-68, ન્યુ સાગરનગર – 5, વોર્ડ નં.16 ખાતે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનો શુભારંભ મેયર નયનાબેન પેઢડિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ તકે પૂર્વ ડેપ્યુટી મેયર કંચનબેન સિધ્ધપુરા, કોર્પોરેટર રૂૂચિતાબેન જોષી, નાયબ મ્યુનિ. કમિશનર અનિલ ધામેલિયાવગેરે ઉપસ્થિત રહેલ. વિધાનસભા-69, લક્ષ્મીનગર મેઈન રોડ શેરી નં.6એના ખૂણા પાસે, વોર્ડ નં.08 ખાતે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનો શુભારંભ ધારાસભ્ય ડો. દર્શિતા શાહના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ તકે સંસદ સભ્ય મોહનભાઇ કુંડારિયા, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, દંડક મનીષભાઈ રાડીયા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, કોર્પોરેટર બિપિનભાઈ બેરા, પ્રીતિબેન દોશી, અલ્પાબેન દવે, નાયબ આરોગ્ય અધિકારી ભૂમીબેન કમાણીવગેરે ઉપસ્થિત રહેલ.
વિધાનસભા-70, નવલનગર 03, વોર્ડ નં.13 ખાતે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનો શુભારંભ ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ તકે શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, આરોગ્ય સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિ ચેરમેન નીતિનભાઈ રામાણી, કોર્પોરેટર જયાબેન ડાંગર, નાયબ કમિશનર ચેતન નંદાણી, આરોગ્ય અધિકારી ડો.વંકાણી તથા ભાજપ અગ્રણી છગનભાઈ જાદવ વગેરે ઉપસ્થિત રહેલ.
રાજકોટ શહેરમાં રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા શહેરમાં 23 આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાં દરેક આરોગ્ય કેન્દ્ર દીઠ 2 (બે) એવી રીતે કુલ 46 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની શરૂૂઆત કરવામાં આવી રહી છે. જે શહેરના આરોગ્યને લગતી સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે મહત્વપુર્ણ પગલું છે.
હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં 1 ખઇઇજ ડોક્ટર, 1 સ્ટાફ નર્સ, 1 ખઙઇંઠ તથા 2 સહાયક સ્ટાફ કાર્યાન્વિત રહેશે જેમના દ્વારા નિ:શુલ્ક ઓ.પી.ડી. સેવાઓ આવશ્યક દવાઓ સાથે સમય સવારે 9:00 થી 1:00 તથા સાંજે 5:00 થી 9:00 સુધીમાતૃ સ્વાસ્થ્યને લગતી સેવાઓ જેવી કે પુર્વ પ્રસુતિ તપાસ તથા પુર્વ પ્રસુતિ રસીકરણ, આવશ્યક દવાઓ તથા પોષણ સહાય બાળ સ્વાસ્થ્યને લગતી સેવાઓ જેવી કે બાળકોનું રસીકરણ, બાળકોની આરોગ્યની તપાસ, પોષણ, પ્રાથમિક સારવારરોગચાળા સબંધિત સર્વેલન્સકેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની આરોગ્ય વિષયક કાર્યક્રમો તથા યોજનાઓનું વ્યાપક અમલીકરણઆ ઉપરાંત આરોગ્યપ્રદ જીવનશૈલી, યોગ, પ્રાણાયામ, કસરત જેવી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવામાં આવશે.

rajkot

રાજકોટમાં હાર્ટએટેક વધુ એક પરિણીતાને ભરખી ગયો

Published

on

હૃદય રોગના હુમલાથી અનેક માનવ જિંદગીના શ્વાસ થંભી રહ્યા છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટમાં પરિણીતાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં રણછોડનગરમાં આવેલા જલગંગા ચોકમાં રહેતા ગીતાબેન મનસુખભાઇ દાવડા નામની 42 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી. ત્યારે રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા પરિણીતાને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં આરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરતા બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી પરિણીતાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડાયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક પરિણીતાને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

rajkot

ધ્રાબડિયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનના સુસવાટા, માવઠાની આગાહીએ ચિંતા વધારી

Published

on

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ફરી માવઠાની આગાહી કરવામાં આવી છે. ગઇકાલે અમુક સ્થળોએ કમોસમી વરસાદ પડવા સાથે ઠંડા પવનો નિકળતા વાતાવરણમાં ઠંકર છવાઇ ગઇ છે. અને સવારથી વાદળછાયુ ધ્રાબડીયુ વાતાવરણ સર્જાયુ છે. હજુ આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી હોવાથી ખેડૂતોની ચિંતા વધી ગઇ છે. ગઇકાલે સંતરામપુરમાં એક, કડાણામાં પોણો અને છોટાઉદેપુરમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો. તેમજ સાયક્લોનીક સર્કયુલેશન સક્રિય થતાં માવઠું થઈ શકે છે. 3 દિવસ બાદ રાજ્યમાં ઠંડીનું જોર વધશે.હાલ સૌથી ઓછું નલિયામાં 12.2 ડિગ્રી તાપમાન છે. જ્યારે અમદાવાદમાં 19.6 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં 19.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.મિચાંગ સાયક્લોનની ગુજરાત પર હાલ કોઈ અસર રહેશે નહીં.
તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારે અમદાવાદ, આણંદ,ભાવનગર, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, નવસારી, પાટણ, વડોદરા સહિતના જિલ્લાઓમાં 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો વલસાડ,તાપી, સુરેન્દ્રનગર, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન થાય તેવી સંભાવના છે. તો ડાંગ,દેવભૂમિ દ્વારકા, જામનગર, મહીસાગર, પંચમહાલ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

Continue Reading

rajkot

સોમવારથી ધોરણ 12ના વિદ્યાર્થીના મતદારયાદીમાં નામ ઉમેરવા ઝુંબેશ

Published

on

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચૂંટણી પંચના આદેશથી રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષી અને મુખ્ય ચૂંટણી અધિકારી એસ.જે.ખાચર દ્વારા મતદારયાદી સુધારણ કાર્યક્રમ જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે યુવા મતદારો મતદાન કરી શકે તે માટે તેમના નામ મતદારયાદીમાં ઉમેરવા સોમવારથી એક નવી ઝુંબેશ શરૂ કરવા જઈ રહ્યાં છે. જેમાં રાજકોટ શહેર અને જિલ્લામાં ધો.12માં ભણતાં તમામ વિદ્યાર્થીઓના મતદાર યાદીમાં નોંધાવવા માટેની ઝુંબેશ શરૂ કરવામાં આવનાર હોવાનું રાજકોટ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી એસ.જે.ખાચરે જણાવ્યું છે.
રાજકોટ શહેર જિલ્લામાં લોકસભાની ચૂંટણી અંતર્ગત યુવા મતદારોના મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે એક પછી એક અસરકારક પગલાં અને કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે. જેમાં સૌ પ્રથમ ઘરે ઘરે જઈ બુથ લેવલ ઓફિસરો દ્વારા મતદાર યાદીમાં નામ ઉમેરવાની ઝુંબેશ શરૂ કરી હતી. ત્યારબાદ મુખ્ય ચૂંટણી અધિકારી એસ.જે.ખાચરના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર અને જિલ્લાની તમામ કોલેજોમાં બુથ લેવલ ઓફિસરો દ્વારા જઈને યુવા મતદારોને ઓનલાઈન મતદાર યાદીમાં નામ કેવી રીતે ઉમેરવું અને ફોર્મ કેવી રીતે ભરવું અને શું શું ડોકયુમેન્ટ જોડવા તે અંગેના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતાં.
ત્યારબાદ રાજકોટ શહેર અને જિલ્લામાં 2200થી વધુ મતદાન મથકો પર બુથલેવલના ઓફિસરો દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત યુવા મતદારોના નામ યાદીમાં ઉમેરવા માટે બે દિવસ ઝુંબેશ કરી હતી અને આગામી તા.3 ડિસેમ્બરને રવિવારના રોજ તેમજ તા.9 ડિસેમ્બર શનિવારના રોજ બુથ લેવલ પર મતદાર યાદી સુધારણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં મતદાર યાદીમાં નામ ઉમેરવામાં આવશે.
બીજી બાજુ જિલ્લા કલેકટર પ્રભવ જોષી અને ચૂંટણી અધિકારી એસ.જે.ખાચર દ્વારા અમદાવાદની માફક રાજકોટ જિલ્લામાં પણ એક નવો અભિગમ અપનાવી રાજકોટ શહેર અને જિલ્લાની તમામ હાઈસ્કૂલોમાં ધો.12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓની માહિતી જિલ્લા શિક્ષણાધિકારી પાસેથી મંગાવવામાં આવી છે અને સોમવારથી રાજકોટ શહેર અને જિલ્લાની તમામ હાઈસ્કૂલોમાં ધો.12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના મતદારયાદીમાં નામ ઉમેરવા માટેના ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આ આવકારદાયક પગલાંના કારણે રાજકોટ જિલ્લામાં મતદારયાદીમાં નવા નામ ઉમેરવામાં જોરદાર ઉછાળો જોવા મળે તો નવાઈ નહીં.
રાજકોટ જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી એસ.જે.ખાચરે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ઘરે ઘરે જઈ તેમજ બુથ લેવલે કરવામાં આવેલી મતદારયાદી સુધારણ કાર્યક્રમના કારણે રાજકોટ જિલ્લામાં 13600 જેટલા નવા યુવા મતદારોના નામ યાદીમાં ઉમેરી દેવામાં આવ્યા છે. જ્યારે અવસાન થવાના કારણે 9516 જેટલા મતદારોના નામ યાદીમાંથી કમી કરાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્થળાંતર કરેલા અને મતદારોના નામનો સુધારવા કરવામાં 15000 જેટલા ફોર્મ ભરાયા છે.

Continue Reading

Trending