Connect with us

મોરબી

મોરબીમાં દીકરાએ કરેલી ફરિયાદનો ખાર રાખી પિતા પર ત્રણ શખ્સોનો હુમલો

Published

on

મોરબીના લીલાપર રોડ પર વિલસન પેપરમીલ સામે રવિ ટેલરની સામે વૃદ્ધના દિકરાએ એક શખ્સ વિરુદ્ધ કરેલ ફરીયાદનો ખાર રાખી ત્રણ શખ્સોએ કાર વૃદ્ધના મોટરસાયકલ સાથે ભટકાડી વૃદ્ધને પાડી દઈ કારમાંથી ધોકા સાથે ઉતરી ત્રણ શખ્સોએ વૃદ્ધને લાકડાના ધોકા વડે મારમારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી વૃદ્ધના ખીસ્સામાંથી 500 રૂૂપિયાની લુંટ કરી નાશી ગયા હતા. આ બનાવ અંગે ભોગ બનનાર વૃદ્ધે આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ ત્રિદેવનગર લીલાપર ગામમાં રહેતા અરજણભાઇ પાલાભાઇ રાઠોડ (ઉ.વ.66) એ આરોપી રવિભાઈ વાલાભાઇ ખાંભલા રહે. લીલાપર ગામ તા.જી. મોરબીવાળા તથા બે અજાણ્યા માણસો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. 16-10-2023 ના રોજ સાંજના સાડા છ પોણા સાતેક વાગ્યાના અરસામાં ફરીયાદીના દિકરા અમૃતભાઇએ આરોપી રવિભાઇ વાલાભાઇ ખાંભલા વિરૂૂધ્ધ ફરીયાદ કરેલ હોય જેનો ખાર રાખી આરોપી રવિભાઇ વાલાભાઇ ખાંભલા તથા તેની સાથે બે અજાણ્યા માણસો નંબર વગરની સ્વીફટ કાર લઇ આવી ફરીયાદીને જાનથી મારી નાખવાના ઇરાદે ફરીયાદીના મોટરસાયકલ રજીસ્ટર નંબર ૠઉં-36-ઇં-1808 વાળા સાથે સામેથી સ્વીફટ કાર ભટકાળી ફરીયાદીને મોટરસાયકલ સહીત પાડી દઇ ત્રણેય આરોપી સ્વીફટ કારમાંથી લાકડાના ધોકા સાથે ઉતરી ફરીયાદીના શરીરે આડેધડ લાકડાના ધોકા વડે મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીની જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરી ફરીયાદીના શર્ટના ખિસ્સામાંથી રૂૂા.500/- ની લુટ કરી આરોપીઓ નાસી ગયા હતા. આ બનાવ અંગે ભોગ બનનાર અરજણભાઇએ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી.કલમ-307,392, 323, 506(2), 114 તથા જી.પી.એકટ કલમ-135 તથા એટ્રોસીટી એકટની કલમ-3(1) (આર) (એસ), 3(2)(5) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Uncategorized

મોરબી, બોટાદ, દ્વારકા, રાજુલા, પાલીતાણામાં બનશે એરપોર્ટ

Published

on

By

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે એવિએશન સેક્ટરના વિકાસ અને એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થકી ટુરિઝમ, રિજિયોનલ કનેક્ટિવિટી, ટ્રેડ એન્ડ કોમર્સ તથા જોબ ક્રિએશનને વેગ આપવા એક નક્કર પગલું ભર્યું છે. આ હેતુસર રાજ્ય સરકારના સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટ અને એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા વચ્ચે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ખજ્ઞઞ કરવામાં આવ્યા હતા.
આ ખજ્ઞઞ અનુસાર, ગુજરાત સરકાર એરપોર્ટ ડેવલપમેન્ટ માટે જરૂૂરિયાત મુજબની જમીન, વીજળી, પાણી, ફાયર સિક્યોરિટી જેવી યૂટિલિટી સેવાઓ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને પૂરી પાડશે.
એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા રાજ્યનાં ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ એરપોર્ટ ડેવલપમેન્ટની કામગીરી તથા વિસ્તરણની કામગીરી કરશે અને તે માટે થતો ખર્ચ પણ ભોગવશે. એટલું જ નહીં, એરપોર્ટના ઓપરેશન્સ અને મેન્ટેનન્સની કામગીરી, માસ્ટર પ્લાનિંગ, ડિઝાઇનિંગ પણ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કરશે. આ કામગીરી તથા ખજ્ઞઞની અન્ય બાબતોના સંચાલન માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરમેનના વડપણમાં 10 સભ્યોની રાજ્યસ્તરીય સંકલન સમિતિની રચના કરવામાં આવશે.
આ કમિટીમાં ગુજરાત સરકારના નાગરિક ઉડ્ડયન સચિવ, મહેસુલ સચિવ, સિવિલ એવિએશન ડાયરેક્ટર તથા ગુજસેઇલના સી.ઇ.ઓ સહિત એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયાના અને રાજ્ય સરકારના સંબંધિત વિભાગના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે. નાગરિક ઉડ્ડયન અને ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપુત તથા ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ ખજ્ઞઞ પર ગુજરાત સરકાર વતી ગુજસેઇલના સી.ઈ.ઓ અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વતી એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે હસ્તાક્ષર કર્યા હતા.રાજ્યમાં જે 11 જેટલા સ્થળોની સૂચિત ગ્રીનફિલ્ડ એરપોર્ટની વિકાસ કરવા માટે ઓળખ કરવામાં આવી છે તેમાં અંકલેશ્વર, મોરબી, રાજપીપળા, બોટાદ, દ્વારકા, ધોરડો, રાજુલા, દાહોદ, અંબાજી, ધોળાવીરા તથા પાલીતાણાનો સમાવેશ થાય છે. આ સ્થળોએ ટેકનિકલ ફિઝિબિલિટી અને જમીનની ઉપલબ્ધિની સંભાવનાઓ ચકાસીને તેના આધારે રાજ્ય સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એરપોર્ટ ડેવલપ કરવા માટે જરૂૂરીયાત મુજબ આગળ વધશે. આ ઉપરાંત જે હયાત એરપોર્ટમાં વિસ્તરણની જરૂૂરીયાત છે તેમાં ભાવનગર, કંડલા, પોરબંદર, સુરત, વડોદરા અને કેશોદના એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના એરપોર્ટ સમાવિષ્ટ છે.મહેસાણા, અમરેલી અને માંડવીની રાજ્ય સરકારની એર સ્ટ્રીપના વિસ્તરણની પણ જરૂૂરીયાત સુનિશ્ચિત કરવામાં આવી છે.
એટલું જ નહીં, વડનગર, સિદ્ધપુર અને કેવડિયા ખાતે ટેક્નો-ઇકોનોમિક ફિઝિબિલિટી તથા જમીનની ઉપલબ્ધતાના આધારે રાજ્ય સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવાની સંભાવનાઓ પણ ચકાસશે.

Continue Reading

મોરબી

વાંકાનેર પાસે થાર કારના ચાલકે અડફેટે લેતા સિંધાવદરની મહિલાનું મોત

Published

on

વાંકાનેર શેર નજીક ચંદ્રપુર ગામ પાસે આવેલ સીએનજી પંપ સામે આજે સાંજના પાંચ વાગ્યાની આસસપાસ હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં એક બ્લકે કલરની થાર કારના ચાલકે બેદરકારી દાખવી હાઇવે પરથી પસાર થતી એક મલિાને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ગંભીર ઇજાના કારણે મહિલાનું મોત થયું હતું.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ગામના બોર્ડ પાસે આવેલ સીએનજી પંપ સામે આજે સાંજના સમયે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં નેશનલ હાઇવે પરથી પસાર થતા હસીનબેન ઇસ્માઇલભાઇ શેરસીયા (ઉ.વ.52, રહે.સિંધાવર) નામની મહિલાને ત્યાંથી પસાર થતી એક મહિન્દ્રા થાર કાર નં.જીજે 36 એજે 909ના ચાલકે ગંભીર બેદરકારી દાખવી હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં મહિલાને તાકાલિક સારવાર અર્થે પીર મશાયખ હોસ્પિટલ ખાતે ખસેડવમાં આવી હતી, જયાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જેથી હિટ એન્ડ રનની ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે જવા રવાના થયો હોવાની માહિતી મળી રહી છે.

Continue Reading

મોરબી

મોરબીમાંથી બાઈકચોર ઝડપાયો

Published

on

રાજકોટ ગ્રામ્ય ભાડલા પોલીસ સ્ટેશનની અનડિટેકટ મોટર સાયકલ ચોરી ડિટેક કરી ચોરીમા ગયેલ મોટર સાયકલ સાથે એક ઇસમને મોરબીના જેતપર નજીકથી ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસના પોલીસને સંયુકત બાતમી મળી હતી કે, નંબર વગરના હિરો કંપનીના ચોરાઉ મોટરસાયકલ સાથે આરોપી ગોપાલ અરજણભાઇ વાઘેલા મોરબી તાલુકાના જેતપર થી મોરબી તરફ પસાર થવાનો હતો. આ બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસની ટીમે જેતપરથી મોરબી જતા રોડ ઉપર સત્યમ કાંટા સામે વોચ ગોઠવી હતી. જ્યાં આરોપી ગોપાલ નંબર વગરના મોટરસાયકલ સાથે નીકળતા પોલીસે તેને અટકાવ્યો હતો અને મોટરસાયકલના કાગળો બાબતે પૂછપરછ કરી હતી.જે અંગે આરોપી ગોપાલે સંતોષકારક જવાબ આપ્યો ન હતો.
જેથી મોરબી તાલુકા પોલીસના પોલીસએ પોકેટકોપના માધ્યમથી મોટર સાયકલના ચેસીસ તથા એન્જીન નંબર સર્ચ કરતા આરોપી ગોપાલ અને મોટરસાયકલના માલિકના નામમાં તફાવત આવ્યો હતો. જેથી પોલીસે તેની સઘન પૂછપરછ કરી હતી. જ્યાં આરોપી ગોપાલે કબુલાત આપી હતી કે, રાજકોટના ગ્રામ્ય વિસ્તાર કનેસર થી રાજા વડલા વચ્ચે રસ્તામાંથી બાઇકની ચોરી હતી.

Continue Reading

Trending