Connect with us

LIFESTYLE

અથાણું ખાતા હોય તો તાત્કાલિક બંધ કરી દેજો!!! થઈ શકે છે આ ગંભીર બીમારીઓ

Published

on

 

જમવા સાથે અથાણું મળી જાય તો ભોજનનો સ્વાદ વધી જાય છે. અથાણાંના ખાટ્ટા સ્વાદને કારણે અથાણુ લોકોને વધુ ભાવે છે. પરંતુ જો તમે આ અથાણાના વધુ પડતું સેવન કરો છો તો તમે અજાણતામાં અનેક મોટી બીમારીઓને આમંત્રણ આપી રહ્યા છો.

ન્યુટ્રિશનિસ્ટ અને વેલનેસ એક્સપર્ટના જણાવ્યા અનુસાર અથાણાં બનાવવા માટે મોટા પ્રમાણમાં મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે. અથાણાંમાં હાજર મીઠાની વધુ માત્રા શરીરમાં સોડિયમની માત્રામાં વધારો કરી શકે છે, જેના કારણે વ્યક્તિને પાણીની જાળવણી, પેટમાં સોજો, હાઈ બ્લડ પ્રેશર અને કિડનીને વધુ કામ કરવું પડી શકે છે. આ સિવાય અથાણાંમાં રહેલું વધુ પડતું મીઠું પણ શરીરમાં કેલ્શિયમનું શોષણ ઓછું કરી શકે છે, જે હાડકાંની ઘનતા ઘટાડે છે.

વધુ પડતું અથાણું ખાવાના ગેરફાયદા –

કોલેસ્ટ્રોલ વધી શકે છે-
વધુ પડતા અથાણાંનું સેવન કરવાથી વ્યક્તિમાં કોલેસ્ટ્રોલની સમસ્યા વધી શકે છે. તેથી જો તમને પહેલાથી જ કોલેસ્ટ્રોલની સમસ્યા છે તો અથાણાંનું સેવન ટાળો અથવા તેને મર્યાદિત માત્રામાં જ ખાઓ. આ એટલા માટે છે કારણ કે અથાણાંને લાંબા સમય સુધી સંગ્રહિત કરવા માટે ઘણાં તેલનો ઉપયોગ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, જ્યારે કોઈ વ્યક્તિ વધુ માત્રામાં અથાણાંનું સેવન કરે છે, ત્યારે તેનું કોલેસ્ટ્રોલ વધી શકે છે.

કિડની માટે નુકસાનકારક
અથાણામાં મીઠુ વધુ હોવાને કારણે સોડિયમની માત્રા વધુ હોય છે. જેના કારણે કિડનીનો વર્કલોડ વધી જાય છે. ભોજનમાં સોડિયમ વધુ હોવાને કારણે કિડની પર વધુ પ્રેશર પડે છે, જેના કારણે કિડનીની બિમારી થઈ શકે છે. વોટર રિટેંશન, બ્લોટિંગની સમસ્યા પણ થઈ શકે છે.

હાઈ બ્લડ પ્રેશર-

બીપીના દર્દીઓ માટે અથાણાંનું વધુ પડતું સેવન ઝેર ખાવા જેવું છે. અથાણાંમાં હાજર મીઠાની વધુ માત્રા શરીરમાં સોડિયમની માત્રામાં વધારો કરે છે. જેના કારણે વ્યક્તિને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે. અથાણાંમાં હાજર સોડિયમની માત્રા બ્લડપ્રેશર વધારી શકે છે અને હૃદયની બીમારીઓને આમંત્રણ આપે છે. એટલું જ નહીં, તે રક્તવાહિનીઓને પણ નુકસાન પહોંચાડે છે.

ગેસ્ટ્રિક કેન્સરની સમસ્યા
અથાણાંમાં સોડિયમની માત્રા વધુ હોવાને કારણે પેટનું કેન્સર થવાની સંભાવના રહે છે. જેના કારમે પેટમાં ચાંદા પડે છે, જે આગળ જતા કેન્સરનું રૂપ પણ લઈ શકે છે.

ગેસ અને એસિડિટીનું કારણ-

અથાણાંને મસાલેદાર બનાવવા માટે વિનેગરની સાથે વધુ મરચાં અને મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે વ્યક્તિને એસિડિટી, ગેસ અને અપચો જેવી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. લાંબા સમય સુધી અથાણાંના વધુ પડતા સેવનથી વ્યક્તિના પેટમાં અલ્સર થઈ શકે છે. તેથી જો તમે પહેલાથી જ પાચન સંબંધી કોઈ સમસ્યાથી પરેશાન છો તો અથાણાનું સેવન ન કરો.

પ્રિઝર્વેટિવ્સ સોજાનું કારણ બને છે-

વધુ પડતું અથાણું ખાવાથી શરીરમાં સોજો આવી જાય છે. કારણ કે અથાણાંમાં પ્રિઝર્વેટિવ્સનો ઉપયોગ લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માટે કરવામાં આવે છે. જે બાદમાં શરીરમાં સોજો અને દુખાવો પેદા કરી શકે છે. આ સિવાય અથાણાંના વધુ પડતા સેવનથી ગેસ ઉત્પન્ન કરીને મેટાબોલિઝમ બગડી શકે છે અને શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધી જાય છે, જે યુરિક એસિડના દર્દીઓની સમસ્યામાં વધુ વધારો કરી શકે છે.

મસલ ક્રેંપિંગ
અથાણાંનું વધુ સેવન કરવાને કારણે ઈલેક્ટ્રોલાઈટ્સનું સંતુલન બગડી શકે છે. અથાણાંમાં વધુ સોડિયમ હોવાને કારણે આ સમસ્યા થાય છે, જેના કારણે માંસપેશીઓમાં ક્રેંપિંગની સમસ્યા થઈ શકે છે.

નબળા હાડકાં-

અથાણાંમાં સોડિયમની માત્રા વધુ હોવાને કારણે શરીર કેલ્શિયમને સારી રીતે શોષી શકતું નથી. અથાણાંના વધુ પડતા સેવનથી હાડકાં નબળા પડી શકે છે અને દુખાવો થાય છે. આ જ કારણ છે કે સંધિવા અને સાંધા સંબંધિત રોગોમાં અથાણાંનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે.

LIFESTYLE

સફરજન ખાવાથી શરીરને થાય છે આ ગંભીર નુકસાન, ફાયદા તો જાણતા હશો અહીં જાણી લો આડઅસરો

Published

on

By

સફરજન પોષક તત્વોથી ભરપૂર છે. દરરોજ એક સફરજન ખાવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે. એવું કહેવામાં આવે છે કારણ કે તે પોષક તત્વોથી ભરપૂર છે. સફરજન પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને આયર્નથી ભરપૂર હોય છે. એટલું જ નહીં, તેને ખાવાથી ક્યારેય લોહી કમી નથી થતી. આયુર્વેદ અનુસાર સફરજન ખાવાથી ચામડીના રોગો, હાર્ટબર્ન, તાવ અને કબજિયાતમાં રાહત મળે છે. સફરજનમાં એન્ટી-ઓક્સીડેન્ટ, ફાઈબર, વિટામિન સી અને વિટામિન બી ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે તમારી આંખો માટે ખૂબ જ સારું છે. પરંતુ જો તમે દિવસમાં 1-2 થી વધુ સફરજન ખાઓ છો, તો તે તમારા શરીર માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

ઘણા બધા સફરજન ખાવાના ગેરફાયદા

વજન પણ વધવો

જો તમે જરૂર કરતાં વધુ સફરજન ખાઓ તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. જેના કારણે વજન પણ વધવા લાગે છે અને વ્યક્તિ સ્થૂળતાનો શિકાર બની શકે છે. તેમાં ખાંડનું પ્રમાણ ખૂબ જ વધારે છે, તેથી તે કેલરી પણ વધારી શકે છે. ચરબી પણ વધે છે.

પાચન

સફરજનમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. જો તમે તે વધારે ખાઓ છો, તો જઠરાંત્રિય પ્રણાલીમાં ગેસ બનવા લાગે છે. જેના કારણે પેટમાં દુખાવો અને ખેંચાણની સમસ્યા થઈ શકે છે.

બલ્ડ શુગર

વધુ પડતા સફરજન ખાવાથી લોહીમાં શુગર લેવલ વધી જાય છે. જેના કારણે શરીરને ઘણું નુકસાન થઈ શકે છે. સફરજનમાં કાર્બોહાઈડ્રેટ, ફાઈબર અને અન્ય પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. કાર્બોહાઈડ્રેટમાંથી શરીરને ઘણી ઉર્જા મળે છે.

દાંત

સફરજનમાં રહેલું એસિડ દાંતોને ઘણું નુકસાન પહોંચાડે છે. તેથી, સફરજન વધુ પડતું ખાવું નુકસાનકારક હોઈ શકે છે.

Continue Reading

LIFESTYLE

સરગવો પોષક તત્ત્વોનો ખજાનો છે જાણો તેના ફાયદા

Published

on

અંગ્રેજીમાંSRUM STICK  અને ગુજરાતીમાં સરગવો તરીકે ઓળખાતું આ શાક માનવ શરીર માટે આશીર્વાદથી કમ નથી. સરગવો ખાસ કરીને સાંધાથી લઈ સુગર સુધીનાં રોગમાં સજ્જડ ફાયદો કરે છે. સરગવાને અનેક ઓષધિય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે.હાડકાને મજબૂત કરવાની સાથે સાથે સ્વાસ્થ્યના અનેક લાભ પણ આપે છે. સરગવો ઔષધ સમાન છે અનેક રોગમાં લાભદાયી થાય છે. સરગવાનું વૃક્ષ તેના ઔષધીય ગુણો માટે જાણીતું છે. સદીઓથી તેનો ઉપયોગ દવા તરીકે કરવામાં આવે છે. સરગવાના વૃક્ષનો લગભગ દરેક ભાગ ખાવા લાયક છે. સરગવામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયરન, મેગ્નેશિયમ, વિટામિન-એ, સી અને બી કોમ્પલેક્સ પુષ્કળ માત્રામાં જોવા મળે છે. એક અભ્યાસ મુજબ તેમા દૂધની તુલનામાં ચાર ગણુ કેલ્શિયમ અને બે ગણુ પ્રોટીન જોવા મળે છે.
સરગવો કે તેના ફૂલ અને પાન તંદુરસ્તીનો ખજાનો છે. સરગવાના તાજા ફુલ હર્બલ ટોનિક છે. તેની વનસ્પતિ નામ મોરિંગા ઓલિફેરા છે. તેના પાનમાં અનેક પોષક તત્વ છે. જે સ્વાસ્થ્યની દ્રષ્ટિથી ખૂબ લાભકારી છે. ફિલીપિંસ, મેક્સિકો શ્રીલંકા મલેશિયા જેવા દેશોમાં પણ સરગવાનો પ્રયોગ વધુ કરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં વ્યંજનોમા તેનો ઉપયોગ ખૂબ કરવામાં આવે છે. આર્યુવેદમાં 300 રોગોનો સરગવા દ્વારા ઉપચાર બતાવ્યો છે.સરગવાના પાવડર પ્રોટીન, ખનિજો, એમિનો એસિડ, એન્ટીઑકિસડન્ટો અને ફ્લેવોનોઈડથી ભરપૂર છે. આ પાવડરનો ઉપયોગ લીવર, કીડની, હૃદય અને ફેફસાના પેશીઓને સુરક્ષિત કરવાના મદદ કરે છે. આ ચમત્કારિક પાવડરનો ઉપયોગ એન્ટીસેપ્ટિક તરીકે થઈ શકે છે. સરગવાનું પાવડર કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું જોખમ ઘટાડી શકે છે.
– શીંગોમાં ફાઈબરની માત્રા મળી આવે છે, જેના કારણે વ્યક્તિને વારંવાર ભૂખ નથી લાગતી.જો શરીરમાં આયર્નની ઉણપ હોય તો પાલકની જગ્યાએ તેનું સેવન પણ કરી શકાય છે. તેના ઉપયોગથી લોહી શુદ્ધ રહે છે અને હિમોગ્લોબિનની ઉણપ દૂર થાય છે.
– સરગવામાં અનેક ઔષધીય ગુણો હોય છે. સાથે તેના પાન શરીરમાં રક્ત શર્કરાને પણ ઘટાડે છે. આ સિવાય ડાયાબિટિસને નિયંત્રણમાં રાખવામાં પણ મદદ કરે છે.
– સરગવાની સ્ટીક અને પાન તથા ફૂલમાં જીવાણુરોધી તત્વો હોય છે. જે ગળા અને ત્વચા સંબંધી સંક્રમણોને દૂર કરવામાં મદદ કરે છે. તેમાં વિટામીન સી પણ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે શરીરની પ્રતિરક્ષાને વધારે છે અને શરીરના હાનિકારક કણોને ખતમ કરવામાં મદદ કરે છે.
– સારા સ્વાસ્થ્ય માટે પણ તેમાં અનેક જરૂૂરી તત્વો હોય છે. તેમાં પૂરતું વિટામીન બી મળે છે. તે પાચનક્રિયાને સારી કરે છે અને સાથે તેને ખાવાથી પેટમાં ફેટ નહીં બને. આ સિવાય તેનાથી એનર્જી મળે છે. ફાઈબર હોવાના કારણે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. તેનાથી વજન ઘટાડવામાં મદદ કરે છે.
– હાલના સમયમાં ડાયાબિટીસની સમસ્યા ખૂબ જ વધારો થઈ રહ્યો છે. જેના કારણે હૃદય રોગની સમસ્યાઓ પણ વધી રહી છે. એના માટે સરગવાના પાંદડા અને ઉત્તમ ઇલાજ માનવામાં આવે છે. જો તમે પણ હાઇબ્લડપ્રેશર થી બચવા માંગતા હોવ તો સરગવાના પાનનો ઉપયોગ કરવો જોઈએ.
– દાંતમાં રહેલા કિટાણુ દૂર કરવામાં અને પાયોરિયા જેવી સમસ્યામાંથી છુટકારો અપાવવા માટે પણ સરગવાના પાન ખૂબ જ ફાયદાકારક છે.
– સરગવાના પાનમાં રહેલું વિટામીન-એ ત્વચાને મુલાયમ રાખવા માં મદદ કરે છે. એ ઉપરાંત એમાં એમનો એસિડ પણ રહેલું છે જે આપણા વાળ માટે ફાયદાકારક છે સરગવાના પાન માંગેલું એમિનો એસિડ આપણા વાળને ઘટ્ટ અને મજબૂત બનાવે છે. આ ઉપરાંત તેમાં કેરોટીન અને પ્રોટીનનું પ્રમાણ પણ ખૂબ સારી માત્રામાં રહેલું છે.
– સરગવાના પાન અને ફળમાં લોહીને સાફ કરવાની તાકાત હોય છે.સાથે તે એક શક્તિશાળી એન્ટીબાયોટિકના રૂૂપમાં પણ કામ કરે છે. તેનો સૂપ કે જ્યૂસનો ઉપયોગ કરવાથી સ્કીન સંબંધી સમસ્યાઓમાં રાહત મળે છે.
– કેલ્શિયમ, આયર્ન અને અન્ય વિટામીનથી ભરપૂર સરગવો હાડકાને મજબૂત કરવામાં મદદ કરે છે. તેના રસના નિયમિત સેવનથી હાડકા મજબૂત કરે છે. પરંતુ શક્ય હોય તો ડોક્ટરની સલાહ અનુસાર તેનું સેવન કરવું.

Continue Reading

LIFESTYLE

જમ્મુ ક્રિકેટ ટીમના કેપ્ટનનું પાત્ર ભજવશે વિકી કૌશલ

Published

on

વિકી કૌશલે કહ્યું છે કે તેણે જમ્મુ ક્રિકેટ ટીમના શારીરિક રીતે અક્ષમ ક્રિકેટર આમિર હુસેનનું પાત્ર ભજવવું છે. તેની ‘સેમ બહાદુર’ પહેલી ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં વિકીની સાથે સાન્યા મલ્હોત્રા અને ફાતિમા સના શેખ જોવા મળશે. સા રે ગા મા પાના સેમી ફાઇનલ એપિસોડમાં તેઓ આ ફિલ્મને પ્રમોટ કરવા ગયાં હતાં. આ શોની સ્પર્ધક સ્નેહા આ શોમાં પલક્ષ્ય તો હર હાલ મેં પાના હૈથ સોન્ગ ગાતી જોવા મળી હતી. આ સોન્ગ તેને તેના ફેન આમિર હુસેન લોન દ્વારા સજેસ્ટ કરવામાં આવ્યું હતું. તે પણ આ શોમાં હાજર હતો. આ સોન્ગ પર સ્નેહા પર્ફોર્મ કરે એ પહેલાં આમિરની સ્ટોરીને દેખાડવામાં આવી હતી. તેના ગીતમાં એક સોલ્જરના પેશન અને બોલ્ડનેસ જોવા મળ્યાં હતાં. આમિરભાઈની આ સ્ટોરી જાણ્યા બાદ સ્નેહાએ આ ગીતને જસ્ટિસ આપ્યો છે. આ શબ્દ આમિર જેવા લોકો માટે હોય છે. તે એક સાચો હીરો છે ને હું તેની બહાદુરીને સેલ્યુટ કરું છું. તેણે મારો સૌથી મોટો પ્રોબ્લેમ સોલ્વ કરી દીધો છે. આજકાલ દરેક ઇન્ટરવ્યુમાં મને સવાલ કરવામાં આવે છે કે મારે કયા ઇન્ડિયન ક્રિકેટરની બાયોપિકમાં કામ કરવું છે. આજે મને એનો જવાબ મળી ગયો છે. આમિરભાઈની લાઇફને પડદા પર દેખાડવાનો મને ચાન્સ મળ્યો તો એની મને ખુશી થશે.

Continue Reading

Trending