Site icon Gujarat Mirror

કાયદા વિના જમીન માફિયા કેવી રીતે જાહેર કરી રહ્યા છો? યુપી સરકારને સવાલ

કોઇની પ્રતિષ્ઠા અને ગૌરવની મજાક ઉડાવવી ગેરબંધારણીય: અલ્હાબાદ હાઇકોર્ટ

ઉત્તર પ્રદેશની અલ્હાબાદ હાઈકોર્ટ તરફથી જમીન માફિયા જાહેર કરવાના મામલે મોટો આદેશ આવ્યો છે. અલાહાબાદ હાઈકોર્ટે કોઈપણ કાયદા વિના લોકોને જમીન માફિયા જાહેર કરવા પર સવાલ ઉઠાવ્યા છે. કોર્ટે રાજ્યના સચિવને એફિડેવિટ દાખલ કરવા અને ત્રણ અઠવાડિયામાં જવાબ આપવાનો આદેશ આપ્યો છે. કોર્ટે અરજદારને જમીન માફિયા તરીકે જાહેર કરવા પર આગામી આદેશ સુધી રોક લગાવી છે. જસ્ટિસ અશ્વિની કુમાર મિશ્રા અને જસ્ટિસ દોનાડી રમેશની ડિવિઝન બેંચે બનવારી લાલની અરજી પર સોમવારે આ આદેશ આપ્યો હતો.

ખંડપીઠે કહ્યું કે કોઈ વ્યક્તિને જમીન માફિયા જાહેર કરવાની કાયદાકીય પરવાનગી પર કોર્ટ દ્વારા વિચાર કરવાની જરૂૂર છે.

આગરાના રહેવાસી બનવારી લાલે પોતાને જમીન માફિયા તરીકે જાહેર કરવાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. તેણે જમીન પચાવી પાડનારાઓની યાદીમાંથી પોતાનું નામ હટાવવાની પ્રાર્થના કરી હતી. અરજદારે કહ્યું કે તેની સામે માત્ર શાળાની જમીન પર અતિક્રમણનો આરોપ છે. તેમાં પણ કોઈ તથ્ય જોવા મળ્યું નથી. આગ્રાના જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસે પણ લેન્ડ ગ્રેબર્સની યાદીમાંથી તેમનું નામ હટાવવા માટે અધિકારીઓને પત્ર લખ્યો હતો. આ પછી પણ રાજ્યના અધિકારીઓએ જમીન માફિયાઓની યાદીમાંથી નામ હટાવ્યા નથી.

અરજદારના વકીલે દલીલ કરી હતી કે કોઈ વ્યક્તિને જમીન માફિયા જાહેર કરવાથી તેની પ્રતિષ્ઠા પર પ્રતિકૂળ અસર થાય છે, જે તેના સન્માન સાથે જીવવાના અધિકારનો અભિન્ન ભાગ છે. એવી દલીલ પણ કરવામાં આવી હતી કે રાજ્ય સત્તાવાળાઓ માટે કોઈ વ્યક્તિને જમીન હડપ કરનાર જાહેર કરવી અને આમ જનતામાં તેની પ્રતિષ્ઠા અને ગૌરવની મજાક ઉડાવવી તે સંપૂર્ણપણે ગેરબંધારણીય છે.

વકીલે તેમની અરજીમાં જણાવ્યું હતું કે સરકારી આદેશ જમીન પચાવી પાડનારાઓ દ્વારા ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવા માટે ટાસ્ક ફોર્સ બનાવવાની માત્ર વાતો પર આધાર રાખે છે. આવો આદેશ વ્યક્તિને જમીન હડપ કરનાર જાહેર કરવાનો આધાર બની શકે નહીં.

Exit mobile version