Site icon Gujarat Mirror

જામ કંડોરણામાં અસામાજિક તત્ત્વો દ્વારા હનુમાનજીના મંદિરમાં તોડફોડ

જામકંડોરણાના ઈન્દિરા નગર સુર્યમુખી હનુમાનજી મહારાજ નું મંદિર તોડફોડ ઘટના ને પગલે સ્થાનિક લોકો ભારે રોષની લાગણી ફેલાઈષમ જવા પામી છે. ભાજપ સરકાર મા રામ રાજ્ય હોય તેવું છાસવારે રાજકીય નેતાઓ ના ભાષણોમા ફાંકા ફોજદારી સાંભળવા મળે છે ત્યારે જામકંડોરણા થી દિલ્હી સુધી ભાજપનું શાસન છે ત્યારે આ હનુમાનજી ના મંદિરમાં લુખ્ખા તત્વો દ્રારા કરવામાં આવેલ આવી કરતુત ને ક્યારે સાખી લેવાય નહી સ્થાનિક લોકોએ આ મંદિર કરેલી નુકસાની ને લઈને જામકંડોરણા પોલીસ સ્ટેશન લેખિત માં રજુઆત કરી છે. આ રજુઆત માં એવું પણ જણાવ્યું કે આ વિસ્તારમાં જામકંડોણા પોલીસ દ્રારા સધન પેટ્રોલિંગ હાથ ધરવા આવે અને હલકી કક્ષા ની માનસિક ધરવતા તત્વોને કાયદા નો પાઠ ભણવામાં આવે તેવું અંતે જણાવ્યું હતું

Exit mobile version