આજે તીર્થધામ સ્થાપના દિનને 22 વર્ષ પૂર્ણ: 16 વસ્તુઓનું વિતરણ કરાયું: દરેકને રૂા.70ની પ્રભાવના કરાઈ
બા.બ્ર. પૂ.શ્રી
ઈન્દુબાઈ મહાસતીજી તીર્થધામમાં
રાજકોટ,તા.20
ગોં. સંપ્ર.ના
સોનલ સેવા મંડળ સોનલ સીનીયર સીટીઝન આ બધાનો આજે સ્થાપના દિન છે. સોનામાં સુગંધ ભળે તેમ આજે ઈન્દુબાઈ મહાસતીજી તીર્થધામનો સ્થાપના દિવસ છે. તીર્થધામને 22 વર્ષ પૂર્ણ થયા. કાલાવડ રોડ મધ્યે ઈન્દુભાઈ મહાસતીજી ચોકના નામકરણને 8 વર્ષ પૂર્ણ થતા નાલંદા તીથધામમાં આનંદ ઉમંગ ઉત્સાહ છવાયો હતો. ઈન્દુબાઈ સ્વામી અમર રહો ના નાદથી નાલંદા તીર્થધામ ગુંજી ઉઠયું હતું. મધુર વ્યાખ્યાની બા.બ્ર. પુ.શ્રી રંજનબાઈ મહાસતીજીએ સોનલબાઈ મહાસતીજીને આશીર્વચન આપતા ફરમાવ્યું હતું કે તમે શાસન અને સંપ્રદાય તેમજ ગુરૂની આન બાન અને શાન વધારો આત્માનંદી બનો સોન સતી જુગજુગ જીવો ના નારાથી તીર્થધામ ગાજી અને ગુંજી ઉઠયું હતું. દુ:ખિયાના બેલી ઘણુ જીવોની શુભેચ્છાઓ આપી હતી. આ પ્રસંગે દાતાઓ આગેવાનો સંઘના પદાધિકારીઓ હાજર રહી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે અશોકભાઈ દોશી, જયેશભાઈ માવાણી, નિલેશભાઈ શાહ, જયેશભાઈ સંઘાણી, પ્રદીપભાઈ માવાણી, ભુપેન્દ્રભાઈ મહેતા, જંકશન સેવા ગ્રુપ યુવકમંડળ સોનલ સેવામંડળ આદિ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી. નાલંદા તીર્થ ખાતે પરિવારજનોને ધાબળા વિતરણ કરવામાં આવશે.