જાહેરનામાનો ભંગ કરનાર લોકો સામે ગુનો નોંધાશે : પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ
રાજકોટ તા.16
રાજકોટ સહીત ચારેય મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ ફરી 31 તારીખ સુધી લંબાવી
કર્ફ્યુ અમલમાં રહેશે તેવી જાહેરાત કરી હતી ત્યાર બાદ આજે શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જનતાજોગ જાહેરનામું આજે પ્રસિદ્ધ કર્યું છે જેમાં રાજકોટમાં રાત્રીના 10થી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ 31 તારીખ સુધી યથાવત રહેશે અને આ કર્ફ્યુની કડક અમલવારી કરાવવા માટે પોલીસ સ્ટાફ ખડેપગે રહેશે અને કર્ફ્યુ ભંગ કરનાર લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે