કુલ પોઝિટિવ કેસનો આંક 14767 ઉપર પહોંચ્યો, હજુ 403 દર્દી સારવાર હેઠળ
સિવિલ કોવિડ હોસ્પિટલમાં હવે માત્ર 78 દર્દી જ દાખલ
રાજકોટમાં
રાજકોટ તા,20
કાતિલ કોરોનાએ વર્ષ 2020માં દેશ સહિત દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો
ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
રાજકોટ શહેરમાં કોરોનાના ઉતાર ચડાવ વચ્ચે આજે મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાયો છે. રાજકોટ શહેરની સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલા 1 દર્દીનું મૃત્યુ થયું હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દરરોજ થતા સંક્રમીતોની સંખ્યામાં પણ વધારો નોધાંયો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં ગઈકાલે નવા 51 પોઝિટિવ કેસો નોંધાયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ શહેરમાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 14767 સુધી પહોંચી ગઈ છે. જ્યારે 53 દર્દીઓ સાજા થઇ જતા રજા આપવામાં આવી છે જયારે હજુ 403 દર્દી પણ સારવાર હેઠળ છે.
શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 5.57 લાખ લોકોને કોરોના ટેસ્ટ થઈ ચુક્યા છે જેમાંથી 14767 દર્દીઓનો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જે પૈકી 14110 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સાજા થઈ ચુક્યા છે. જ્યારે હજુ 403 દર્દીઓ શહેરની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. કોરોનાથી સાજા થતા દર્દીઓની સંખ્યામાં વધારોે નોંધાતા રિકવરી રેઈટ 96.06 ટકાએ પહોંચ્યો છે.
ડેથ ઓડિટ કમિટીના ચોપડે એક પણ મોત નહીં !
રાજકોટ શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લઈ રહેલા શહેર જિલ્લાના દર્દીઓ પૈકી ગઈકાલે 2 દર્દીના મોત નીપજયા હતા. જોકે, સરકાર નિયુકત ડેથ ઓડિટ કમિટીએ આપેલા રિપોર્ટમા એક પણ મોત કોરોનાથી ન થયાનું જણાવાયું છે.