Connect with us

rajkot

રાજનગર ચોકમાં પાનના ધંધાર્થી બંધુ ઉપર ચાર શખ્સોનો હુમલો

Published

on

શહેરના નાના મૌવા રોડ પર રાજનગર ચોકમાં આવેલી પાનની દુકાને ચાર શખ્સોએ ધમાલ મચાવી દુકાનદાર બંધુ ઉપર હુમલોકર્યાનીફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા માલવિયાનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાત ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ 150 ફૂટ રીંગ રોડ પર ગોવર્ધન ચોકમાં ખોડિયાર નગર શેરી નં. 17માં રહેતા અને નાનામૌવા રોડ પર રાજનગરચોક પાસે પનઘટ ડિલક્સ નામની પાનની દુકાન ધરાવતા ગોપાલ રવજીભાઈ ટોયટા ઉ.વ.25 નામના યુવાને માલવિયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કરણ બોરીચા, નિરજ દેવડા, સોનુચૌહાણ અને જયેશ રાઠોડના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવયા મુજબ ગઈકાલે રાત્રે 11 વાગ્યાના અરસામાં તેમની દુકાને આરોપીઓ ફાકી ખાવા માટે આવ્યા હતા. ત્યારે દુકાનપાસે પડેલું સોડાબોટલનું ગાલુ નીચે પડીજતા કરણ બોરીચાને ધ્યાન રાખવાનું કહેતા તમામ આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ ગાળો આપી દુકાનમાં સોડા-બોટલના ઘા કરી ‘હવે તમે દુકાન કેમ ખોલો છો’ તે હું જોઈ લઉ’તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ હુમલામાં ફરિયાદીને પગના ભાગે કાંચ લાગી જતા ઈજા થઈ હતી. આ અંગે માલવિયા નગર પોલીસે ચારેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

rajkot

ગોંડલ ખાતે નમો કિસાન કબડ્ડી પ્રતિયોગિતાનો કાલથી પ્રારંભ

Published

on

કિસાન મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજકુમાર ચાહરજીની સુચના તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના માર્ગદર્શનમાં પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિતેશભાઇ પટેલના નેતૃત્વમાં કેન્દ્રીય કિસાન મોરચા દ્વારા નમો કિસાન કબડ્ડી પ્રતિયોગીતા સ્પર્ધાનું આયોજન કરેલ છે. આ અંતર્ગત રાજકોટ જીલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા રાજકોટ જીલ્લામાં નમો કિસાન કબડ્ડી પ્રતિયોગીતા સ્પાર્ધાનું આયોજન કરેલ છે.
નમો કિસાન કબડ્ડી પ્રતિયોગીતા સ્પર્ધા અંતર્ગત રાજકોટ જીલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા તા.5 ડિસેમ્બરના રોજ રાજકોટ જીલ્લાની તમામ વિધાનસભાના કુલ 16 મંડલો (તાલુકાન)ની કબડ્ડી ટીમો વચ્ચે ઉપરોકત પ્રતિયોગીતા એશિયાટિક એન્જીનીયરીંગ કોલેજ, ગોંડલ ખાતે યોજાનાર છે.
આ કાર્યક્રમમાં ઉદઘાટક તેમજ અતિથી વિશેષઓ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરા, સંગઠન પ્રભારી ધવલભાઇ દવે, રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઇ ઢોલરીયા, કેબીનેટ મંત્રીઓ રાઘવજીભાઇ પટેલ, કુંવરજીભાઇ બાવળિયા, ભાનુબેન બાબરિયા, સાંસદઓ મોહનભાઇ કુંડારિયા, રમેશભાઇ ધડુક, રામભાઇ મોકરીયા, પ્રદેશ કિસાન મોરચા મહામંત્રી હિરેનભાઇ હીરપરા, ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા, ગીતાબા જાડેજા, ડો.મહેન્દ્રભાઇ પાડલીયા, જીલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન સંજયભાઇ રંગાણી. રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઇ હેરભા, રવિભાઇ માંકડિયા, પ્રદેશ કિસાન મોરચા મંત્રી વિજયભાઇ કોરાટ, એશિયાટિક કોલેજના પ્રમુખ ગોપાલભાઇ ભુવા સહિતનાઓ જોડાશે.
નમો કિસાન કબડ્ડી પ્રતિયોગીતા સ્પર્ધામાં સ્પર્ધકોને ઉત્સાહતિ કરવા અને પ્રેરણાસ્ત્રોત બનવા માટે રાજકોટ જીલ્લા ભાજપ કિસાન મોરચા પ્રભારી વનરાજસિંહ ડાભી, જીલ્લા કિસાન મોરચાના પ્રમુખ વિનુભાઇ ઠુંમર, મહામંત્રી અનિરુધ્ધસિંહ ડાભી, વલ્લભભાઇ રામાણી તથા જીલ્લા કિસાન મોરચાના હોદેદારો, જીલ્લા કારોબારી સભ્ય, મંડલના પ્રમુખ-મહામંત્રીઓએ ઉપસ્થિત રહેવા આમંત્રણ આપેલ છે. તેમ રાજકોટ જીલ્લા પ્રેસ-મીડિયા ઇન્ચાર્જ, સહ-ઇન્ચાર્જે યાદીમાં જણાવ્યું હતું.

Continue Reading

rajkot

પિતાએ ઠપકો આપતા ઘરેથી નીકળી ગયેલા પડધરીનાં કિશોરનો નદીમાંથી મૃતદેહ મળ્યો

Published

on

પડધરીના મોવૈયા ગામે બાલાજી પાર્ક-રમાં રહેતાં અને 6 દિવસથી લાપત્તા સુજલ ઉર્ફે બોદુ અબ્દુલભાઈ મલેક (ઉ.વ.16)નો આજે સવારે પડધરીની ડોંડી નદીમાંથી કોહવાઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. તેણે આપઘાત કર્યાની શકયતા પોલીસે દર્શાવી છે.
પોલીસે જણાવ્યું કે,સુજલ છેલ્લા એકાદ માસથી કારખાને નોકરીએ લાગ્યો હતો.પરંતુ છેલ્લા પાંચ-છ દિવસથી નોકરી પર જવાનું બંધ કર્યું હતું. તેણે પરિવારજનોને કારખાનું બંધ હોવાનું કહ્યું હતું. પરંતુ તેના પિતાને કારખાનું ચાલું હોવા છતાં નોકરીએ નહીં જતો હોવાની માહિતી મળતાં ઠપકો આપ્યો હતો.જેથી ગઈ તા.ર8મીએ સુજલ ઘરેથી જતો રહ્યો હતો.પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી.પરંતુ કયાંયથી પત્તો નહીં મળતા શનિવારે પડધરી પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી.પોલીસ અને પરિવારજનો શોધખોળ કરતાં હતા ત્યાં રવિવારે સવારે ડોંડી નદીમાંથી સુજલનો કોહવાઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો.ડોંડી નદીના સમ્પ પાસે મૃતદેહ જોઈ સમ્પના કર્મચારીએ અન્યોને જાણ કરતાં તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢયો હતો. પડધરી પોલીસે ત્યાં પહોંચી જરૂૂરી કાર્યવાહી કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવીલમાં ખસેડયો હતો.સુજલે પિતાએ ઠપકો આપતા આ પગલું ભરી લીધાની પોલીસે શકયતા દર્શાવી તપાસ જારી રાખી છે.

Continue Reading

rajkot

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાંથી ઘેટાં-બકરા ચોરી કતલખાને વેચી નાખવાનું ષડયંત્ર ઝડપાયું

Published

on

સૌરાષ્ટ્ર કચ્છના મેલડી માતાના મંદિર માનતાના ઘેટા-બકરાની ચોરી કરી કતલખાને વેંચી નાખવાના ષડયંત્રનો પોલીસે પર્દાફાશ કરી ખેડા પંથકની ગેંગના ત્રણ શખ્સોની ધરપકડ કરી અન્ય ત્રણ શખ્સોની શોધખોમ હાથ ધરી છે. ઈનોવા કારમાં સૌરાષ્ટ્રમાં આવી રાત્રીનાં સમયે મેલડી માંના મંદિરેથી ઘેટા-બકરાની ચોરી કરી આરોપીઓ આણંદમાં કતલખાને વેંચી નાખતાં હોવાનું બહાર આવ્યું છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, અમરેલી એલસીબીને મળેલી ચોક્કસ માહિતીના આધારે નડિયાદના પરસોતમ પુંજાભાઈ તળપદા, ખેડા તાલુકાના માતર ગામના નિજામુદ્દીન મયુદ્દીન શેખ અને નડિયાદના રાજ પુનમભાઈ તળપદાની ધરપકડ કરી તેમની પાસેથી ઈનોવા કાર કબજે કરી છે.
પોલીસની પુછપરછમાં આરોપીઓએ પોતાના અન્ય ત્રણ સાગ્રીતો ખેડા પંથકનાં સંજય બાબુભાઈ તળપદા, કિશોર મનુભાઈ તળપદા અને વિપુલ વીરસંગ ભુરીયાની મદદથી સૌરાષ્ટ્રમાં એક ડઝન જેટલા સ્થળોએ મેલડી માતાના મંદિરેથી માનતાના ઘેટા-બકરાની ચોરી કરી કતલખાને વેંચી નાખ્યાની કબુલાત આપી છે.
છેલ્લા એક વર્ષ દરમિયાન ખેડા પંથકની ગેંગ ઈનોવા કાર લઈ સૌરાષ્ટ્રમાં આવી મેલડી માતાના મંદિરે માનતા બકરા કારમાં ભરી આણંદના યાસીન ગુલાબ શેખને ઘેટા બકરા વેંચી નાખતાં હતાં અને યાસીન ઘેટા બકરાની કતલ કરી નાખતો હોવાનું બહાર આવ્યું છે. આ તસ્કર ગેંગ ઘેટા બકરા 30 થી 40 હજારમાં વેંચી નાખતા હોવાનું જણાવ્યું છે.
પશુ ચોરી કરતી આ ગેંગ દ્વારા છેલ્લા એક વર્ષમાં બાબરાના મેલડી મંદિર, કાલાવડ તાલુકાના આણંદ પર ગામે, ટંકારાના અમરાપર ગામે, જામકંડોરણાના સાતોદડ અને તાજેતરમાં જ રાજકોટનાં મનહરપરા ગામે મેલડી મંદિરમાં ત્રાટકી માનતાના ઘેટા બકરાની ચોરી કર્યાની કબુલાત આપી છે. જેમાં રાજકોટનાં મનહરપરા ગામે આવેલ મેલડીમાના મંદિરે સાંજે દર્શન કરવા આવ્યા બાદ રાત્રીનાં મંદિરમાં ત્રાટકી માનતાના 7 ઘેટા-બકરા ઈનોવામાં ભરી નાસી ગયા હતાં.
આ કામગીરી અમરેલી એલસીબીના પીઆઈ એ.એમ.પટેલ સહિતના સ્ટાફે કરી અન્ય ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરી છે. પોલીસે પશુ ચોરી કરતી આ ગેંગ પાસેથી મોબાઈલ અને કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Continue Reading

Trending