jamnagar
ઘેટાં ચરાવવા પ્રશ્ને માસા-ભાણેજને મારી નાખવાની ધમકી આપતા ચાર શખ્સ
કલ્યાણપુરથી આશરે 35 કિલોમીટર દૂર રાણ ગામ નજીક ગરવાભાઈ મેરામણભાઈ નાગરા (ઉ.વ. 31, રહે. આરંભડા) તથા તેમના માસા મેઘાભાઈ પોતાના ઘેટા બકરા ચરાવી રહ્યા હતા, ત્યારે આ સ્થળે ભેંસો ચરાવી રહેલો રાણ ગામનો ઘેલા કમા ગઢવી નામનો શખ્સ અન્ય ત્રણ શખ્સો સાથે અહીં આવ્યો હતો અને તમે અહીં તમારા ઘેટા-બકરા કેમ ચરાવો છો.?સ્ત્રસ્ત્ર તેમ કહેતાં ફરિયાદી ગરવા ભાઈએ કહ્યું હતું કે આ પડતર જગ્યા છે અને અહીં અમે રોકાવાના નથી.સ્ત્રસ્ત્ર આમ કહેતા આરોપી ઘેલા ગઢવી તથા અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ ગરવાભાઈ રબારી તેમજ તેમના માસા મેઘાભાઈ ઉપર લાકડીઓ વડે હુમલો કરી, બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસમાં નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 323, 324, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
ધર્મશાળાના મેનેજર સામે કાર્યવાહી
દ્વારકામાં આવેલી બંગાળ ધર્મશાળામાં આવતા યાત્રાળુઓની ‘પથિક સોફ્ટવેર’માં ઓનલાઇન એન્ટ્રી ન કરતા આ અંગે ધર્મશાળાના મેનેજર રામચંદ્ર વાસુદેવ શર્મા (ઉ.વ. 44) સામે સ્થાનિક પોલીસ મથકમાં જાહેરનામા ભંગની કલમ 188 મુજબ ગુનો નોંધાયો છે.
ચાર શખ્સો સામે કાર્યવાહી
ખંભાળિયામાં લોહાણા મહાજન વાડી પાસેથી અત્રે ટેલીફોન એક્સચેન્જ પાસે રહેતા વિશાલ સુરેશ ચૌહાણ (ઉ.વ. 22) ને તેમજ દ્વારકામાં ટીવી સ્ટેશન વિસ્તારમાંથી નરસંગ ટેકરી પાસે રહેતા નંઢુભા રવુભા માણેક (ઉ.વ. 30) ને તથા દ્વારકામાં આહીર સમાજની પાછળ રહેતા રાજેશભા પબુભા માણેક (ઉ.વ. 35) ને છરી સાથે નીકળતા પોલીસે ઝડપી લીધા હતા. ખંભાળિયામાં ઘી ડેમ પાસેથી જયેશ રાણા રાઠોડ (ઉ.વ. 26) ને લોખંડના પાઇપ સાથે પોલીસે ઝડપી લઈ, કલમ 135 (1) હેઠળ ગુનો નોંધ્યો હતો.
ખંભાળિયામાં રેલવે સ્ટેશન રોડ પરથી રાત્રિના એક વાગ્યે દુકાનોના તાળા તપાસતા દિલીપ ભીખુ પરમાર (ઉ.વ. 22, રહે. રાવળ પાડો) ને પોલીસે ઝડપી લઈ, કલમ 122 (સી) હેઠળ કાર્યવાહી કરી હતી.
jamnagar
કાલાવડના આણંદપર ગામે ખેડૂતના ઘરમાંથી રૂા.95 લાખની રોકડ ચોરી

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર ગામે રહેતા દીપકભાઈ જેસડીયા નામના ખેડૂતના ઘરે 95 લાખ રૂૂપિયાની ચોરીની ઘટના સામે આવી છે. આ ખેડૂતે તેમની જમીનનું વેચાણ કર્યું હતું જેમાં તેમને 2 કરોડ રૂૂપિયા રોકડા મળ્યા હતા, તેમાંથી 95 લાખ રૂૂપિયાની ચોરી થઈ છે. ખેડૂત પરિવાર સગાઇના પ્રસંગે રાજકોટ ગયા હતા ઘરે આવતા તેમના ઘરના દરવાજાનો નકુચો તૂટેલો જણાયો હતો. તપાસ કરતા ઘરના કબાટમાં રાખેલા પૈસાની ચોરી થવાની જાણ થઇ હતી.
બંધ મકાનનો લાભ લઇ ચોરોએ ચોરીને ઘટનાને અંજામ આપ્યો છે. ખેડૂત દ્વારા પોલીસ સ્ટેશનમાં ચોરીની જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા કાલાવાડ ગ્રામ્ય પોલીસ સહિતનો કાફલો દોડી આવ્યો હતો.
આ ઘટના વિશે ડીવાયએસપી જયવિર સિંહ ઝાલાએ જણાવ્યું હતું કે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર ગામે ગઇકાલે બપોરે 2.30થી 7 વાગ્યા દરમિયાન એક ચોરીની ફરિયાદ દાખલ થઇ છે. ફરિયાદ દીપકભાઇ જેસડીયાના ઘરે અજાણ્યા ઇસમ દ્વારા તેમના ઘરે પડેલી રોકડ રકમ આશરે 95 લાખ રૂૂપિયાની ચોરી થઇ છે. જેની ફરિયાદ કાલાવાડ ગ્રામ્ય પોલીસમાં દાખલ કરવામાં આવી છે. આ બાબતે સમગ્ર વિસ્તારમાં તપાસ ચાલું છે. જેટલા પણ હિસ્ટ્રીશીટર કે શકમંદ છે તેમને રાઉન્ડઅપ કરી પૂછપરછ ચાલું છે.
તેમણે કહ્યું કે પ્રાથમિક તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે ફરિયાદી દ્વારા તાજેતરમાં જ કોઇ જમીનનું વેચાણ કરવામાં આવ્યું હતું. જેમાં કટકે-કટકે તેમની પાસે આ રૂૂપિયા આવ્યા હતા.
jamnagar
જામનગર-અમદાવાદમાંથી 93 લાખનું ભેળસેળિયુ ઘી ઝડપાયું

જામનગર અને અમદાવાદમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. આરોગ્ય વિભાગની તપાસ દરમ્યાન શંકાસ્પદ ફેક્ટરીમાંથી ભેળસેળ યુક્ત ઘીના 10 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી રૂૂપિયા 93 લાખની કિંમતનો કુલ 13 હજાર આઠસો કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
ગુજરાત ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને જીવન જરૂૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમૂનાનું પરીક્ષણ કરી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. કમિશનર કોશિયાએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની જામનગર ટીમ દ્વારા બાતમીના આધારે જામનગરના એક ખાનગી મકાનમાં રેઇડ કરવામાં આવી હતી. આ ઘરમાં ચિરાગભાઈ હરિયાની વગર પરવાને ઘી બનાવી વેચવાનો ગેરકાયદેસર ધંધો કરતા હોવાનું જણાયું હતું. તપાસ દરમિયાન આ ઘરમાં શંકાસ્પદ ઘીનો પેક તથા લુઝમાં જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘીમાં ભેળસેળની પ્રબળ શંકાના આધારે ઘીના ત્રણ નમુનાઓ લેવામાં આવ્યા હતા, જ્યારે બાકીનો આશરે રૂા. 2.65 લાખની કિંમતનો 530 કિ.ગ્રા. શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
અમદાવાદ ખાતે પણ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા બે જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. પ્રથમ દરોડામાં બાકરોલના મે. સાર્થક ફૂડ પ્રોડક્ટ્સ ખાતે તપાસ હાથ ધરતા પેઢીના માલિક અંકીતભાઈ બારોટની હાજરીમાં જ શંકાસ્પદ પરીધમ પ્રીમીયમ ઘીથ અને પવચનામૃતથ એવી અલગ-અલગ બ્રાંડના ત્રણ નમૂનાઓ તથા તેમાં વાપરવામાં આવેલ ફલેવરનો પણ નમૂનો લેવામાં આવ્યો હતો. બીજા કિસ્સામાં દસક્રોઈ તાલુકાના ધામતવણ ખાતે મે. હર્ષ ડેરી ફૂડ પ્રોડક્ટ્સ પ્રા. લી. ખાતે પેઢીના માલિક ભરતભાઈ પટેલની હાજરીમાં શંકાસ્પદ પગોપી શ્રીથ બ્રાંડના ઘીના બે નમૂનાઓ તથા તેમાં વાપરવામાં આવેલ ફલેવરનો નમુનો લેવામાં આવ્યો હતો. જ્યારે બાકીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આમ, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ત્રણ રેડમાં કુલ 10 નમુનાઓ લેવામાં આવ્યા છે. આ તમામ નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. આ ખાદ્ય પદાર્થોનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું છે.
jamnagar
રાજકોટ-જામનગરમાં ડિસેમ્બરના અંતથી લગાવાશે સ્માર્ટ વીજમીટર

વિજળીની બચત કરવા અને ગ્રાહકોને સારી સુવિધા પૂરી પાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ વિજ મીટર લગાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોનમાં સૌપ્રથમ રાજકોટ અને ગુજરાતમાં સ્માર્ટ વિજ મીટર લગાવવાની કામગીરીનો પ્રારંભ મહિનાના અંતે અને 2024ના વર્ષેથી કરવામાં આવશે. જેમાં સૌરાષ્ટ્ર કચ્છમાં 23.66 લાખ સ્માર્ટ વિજમીટર જાન્યુઆરી 2025 સુધીમાં લગાવવામાં આવશે.
કેન્દ્ર સરકારની આર.ડી.એસ.એસ. (રીવેમ્પડ ડિસ્ટ્રીબ્યુશન સેકટર સ્કીમ) યોજના હેઠળ પીજીવીસીએલના વિજગ્રાહકો ખેતીવાડી તથા ભારે દબાણના વિજગ્રાહકો સિવાયના)ના વિજસ્થાપનમાં સ્માર્ટ પ્રી-પેઇડ મીટર લગાવવા માટે પીજીવીસીએલ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.સૌરાષ્ટ્રના 56 લાખ વીજગ્રાહકોના ઘર, દુકાન, બિલ્ડિંગ, ઓફિસોમાં હવે પ્રિ-પેઈડ વીજમીટર લગાવાશે. અત્યાર સુધી વીજળી વાપર્યા બાદ પૈસા ચૂકવતા હતા પરંતુ હવે સ્માર્ટ પ્રિ-પેઈડ મીટર લગાવ્યા બાદ વીજગ્રાહક જેટલું રિચાર્જ કરશે તેટલી જ વીજળી તેને વાપરવા મળશે. આ યોજના હેઠળ સ્માર્ટ પ્રી-પેઇડ મીટર લગાવવાથી વિજગ્રાહકો પોતાની જરૂૂરીયાત મુજબ રીચાર્જ કરી શકશે. આમ ગ્રાહકોની સુખાકારીમાં વધારો થશે. વધુમાં પીજીવીસીએલનાં કર્મયા2ીઓને મીટર રીડીંગ માટે વખતો વખત રૂૂબરૂૂ જવાની જરૂૂરીયાત રહેશે નહિ જેથી સમયનો પણ બચાવ થશે.
આ યોજનાના અમલીકરણ માટે કેન્દ્ર સરકારના RECPDC (આર.ઈ.સી. પાવર ડેવલોપમેન્ટ એન્ડ ક્ધસલટન્સી લિમીટેડ) વિભાગને નિયુક્ત કરવામાં આવેલ છે. પીજીવીસીએલના 55,83,000 વિજગ્રાહકોના (કુલ રૂૂપીયા 3600 કરોડના ખર્ચથી) વિજસ્થાપનમાં સ્માર્ટ પ્રી-પેઈડ મીટર, બે તબક્કામાં લગાવવાનું આયોજન કરવામાં આવેલ છે.આ યોજના અંતર્ગત સૌ પ્રથમ પાઈલોટ ટાઉન તરીકે મહિલા કોલેજ પેટા વિભાગીય કચેરી-રાજકોટથી મીટર લગાવવાનું આયોજન કરવામાં આવેલ છે. ઉપરાંત જામનગર સીટી ડીવીઝનનાં સેન્ટ્રલ ઝોન સબડીવીઝનમાં મીટર લગાડવાની શરૂઆત કરવામાં આવશે. પ્રથમ તબકકામાં જાન્યુઆરી-2025 સુધીમાં 23.66 લાખ સ્માર્ટ મીટરો લગાવામાં આવશે.
આ મીટરો સરકારી વિજજોડાણો, ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર, ઔધોગિક વિજજોડાણો, વાણિજ્યક વિજજોડાણો તેમજ ઘરવપરાશના વિજજોડાણોમાં લગાવવાનું આયોજન કરવામાં આવેલ છે.
પ્રી-પેઈડ સ્માર્ટ મીટરમાં રીચાર્જ પ્રક્રીયા મોબાઈલ ના પ્રી-પેઇડ સીમકાર્ડ જેવી હશે. હવે માસિક ચુકવણી ના બદલે જરૂૂરિયાત મુજબ અનુકુળ દિવસો કે કલાકો માટે પણ ચુકવણી થઇ શકશે. જો કોઈ વીજ ગ્રાહકનું રીચાર્જ રાત્રી ના પૂરું થઇ જાય તો આવા ગ્રાહકોને રાત્રી ના વીજળી વગર રેહવું નહી પડે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
-
Sports3 weeks ago
કોહલી-રોહિત નહીં આ ખેલાડી છે ઓસ્ટ્રેલિયન ટીમ માટે ખતરનાક, કાંગારુ કેપ્ટને કર્યો ખુલાસો
-
LIFESTYLE1 month ago
દિવાળી પહેલા JIO નો મોટો ધમાકો: ઓછી કિંમત ને વધારે ફિચર્સ સાથે 4G મોબાઇલ કર્યો લૉન્ચ, જુઓ કેવા છે ફીચર્સ
-
પોરબંદર2 months ago
પોરબંદર પંથકના ખેડૂત નાં રૂા. 50 હજાર સેરવી લેનાર ત્રણ ઝડપાયા
-
પોરબંદર2 months ago
આરોગ્યની જાળવણી માટે ખેડૂતોએ મિલેટ્સ ધાન્યોનું વાવેતર વધારવું જોઇએ: પર્યાવરણ મંત્રી
-
પોરબંદર2 months ago
સગર સમાજની ભગીરથ જનકલ્યાણ યાત્રાનું ભાણવડ ખાતે આગમન
-
પોરબંદર1 month ago
બોટાદ જિલ્લામાં વીજતંત્ર આકરા પાણીએ : 228 કનેક્શનમાંથી રૂા. 1.11 કરોડની વીજચોરી પકડાઈ
-
પોરબંદર2 months ago
ગાંધવી સમુદ્ર કિનારે તથા ભાણવડ પાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ
-
પોરબંદર1 month ago
રૂા. 1.35 કરોડના મામલે રિક્ષાચાલક, વકીલ અને પોલીસ વચ્ચે ગેમ