Connect with us

ગુજરાત

રાજકોટમાં ડબલ મર્ડર: ચોરીનું આળ મૂકીને બે મજૂરની ઢોરમાર મારી હત્યા

Published

on

શિવશક્તિ સોસાયટીમાં કારખાનામાંથી છૂટી ઘરે જતાં રાહુલને ચાંદીની ચોરીમાં રંગે હાથ પકડી મેનેજર સહિતે માર માર્યો: મિત્ર મિનુનું નામ ખુલતા તેને પણ કારખાને બોલાવી માર મારી રૂમમાં પુરી દીધો, સવારે ખોલતા લાશો જ મળી

રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ હોય તેમ મારામારી, લૂંટ,બળાત્કાર અને હત્યાના બનાવો વધતા જાઇ છે.ત્યારે વધુ એક હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.ભાવનગર રોડ ફાયરબ્રિગેડની સામે શિવશક્તિ સોસાયટીમાં એમ.બી.એસ ઓર્નામેન્ટ નામનું કારખાનું ધરાવતા સાગરભાઈ મનુભાઈ સાવલિયાના કારખાનામાં બે મજૂરના મૃતદેહ પડ્યાની જાણ થતાં થોરાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બંનેને બેફામ ઢોર મારમારી ઢીમ ઢાળી દીધું હતું.આ બનાવમાં પોલીસે આઠેય શખ્સની અટકાયત કરી હતી.

વધુ વિગતો મુજબ,મૂળ પશ્ચિમ બંગાળના મોતની અને હાલ બેડીપરામાં રૂૂમ રાખી રહેતા રાહુલ(ઉ.વ.24) અને મીનુ(ઉ.વ.25) બંનેના મૃતદેહ ભાવનગર રોડ ફાયરબ્રિગેડની સામે શિવશક્તિ સોસાયટીમાં સાગરભાઈ સાવલિયાના એમ.બી.એસ ઓર્નામેન્ટ નામના કારખાનામાંથી મળી આવતા થોરાડા પોલીસને જાણ થતાં ઇન્ચાર્જ પીઆઇ એમ. એમ. સરવૈયા,દિવ્યરાજસિંહ સરવૈયા, વિમલભાઈ ધીણોજા, અમરદીપસિંહ જાડેજા,ધીરુભાઈ અને જયરાજસિંહ જાડેજા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.તેમજ આ બનાવ અંગે પંચનામું કરવાનું શરૂૂ કર્યું હતું.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે,રાહુલ કોન્ટ્રાકટર તન્મય મારફતે બંગાળથી અહીં સાગરભાઈ સાવલિયાના કારખાનામાં કામે લાગ્યો હતો.પોતે મજૂરી કામ કરતો અને બેડીપરામાં મીનું નામના મિત્ર સાથે રૂૂમ ભાડે રાખી રહેતો હતો.આ બનાવમાં પોલીસે વધુમાં જણાવતા કહ્યું હતું કે આ બંનેના મોત નિપજ્યા બાદ આજે સવારે સાગરભાઈ કારખાને આવ્યા અને ઓરડીનું બારણું ખોલતા રાહુલ અને તેમનો મિત્ર બેભાન હાલતમાં પડ્યા હતા.જેથી પોલીસ ક્ધટ્રોલ રૂૂમમાં કોલ કરી બનાવની જાણ કરી હતી.આ બનાવ સ્થળ પર થોરાડા પોલીસના ઇન્ચાર્જ પીઆઇ સરવૈયા અને ટીમે કુલ આઠેક આરોપીને સકંજામાં લીધા હતા.

કારખાનેદાર સાગરભાઈની પોલીસે પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે રાહુલ છેલ્લા ઘણા સમયથી કારખાનામાંથી થોડી થોડી ચાંદી ચોરતો હોવાની શંકા હોય અને હિસાબમાં ત્રણ કિલો ચાંદીની ઘટ આવતી હતી.ત્યારે ઘરે જવા દરવાજા પાસે પહોંચ્યો ત્યારે અમારા સિક્યોરિટી પુસ્પેન્ડએ તેની તલાશી લેતા તેની પાસેથી લગભગ 100 ગ્રામ ચાંદી નીકળી હતી.જેથી રાહુલની પૂછપરછ કરતા તેમણે કહ્યું હતું હું ચાંદી મારી સાથે રહેતા મિત્રને આપતો હતો.જેથી મિત્ર મીનુંને કારખાને બોલાવ તેમ કહેતા મીનું ત્યાં કારખાને પહોંચ્યો હતો તેમજ આ બનાવમાં કોન્ટ્રાકટર તન્મય,મેનેજર વલ્લભભાઈ,સિક્યોરિટી ઇન્ચાર્જ પુસ્પેન્ડર,પિન્ટુ માલી,ધવલ,પ્રદીપ અને હિમાલયએ બેફામ મારમાર્યો હતો.આ વાત અમારા સ્ટાફે મને ફોનથી રાહુલ અને તેનો મિત્ર રંગે હાથ પકડાયાની અને રૂૂમમાં પુરી દીધાની તેમજ સવારે તેમને સોંપી દેશું તેવી જાણ કરી હતી.

સાગરભાઇએ પોલીસને જણાવ્યું હતું કે,આજે સવારે પોતે કારખાને આવ્યા ત્યારે રૂૂમનું બારણું ખોલી ત્યારે અંદર અમારો મજુર રાહુલ અને તેમનો મિત્ર મનુ બંને બેભાન હાલતમાં પડ્યા હતા અને તેમના શરીરે લાલ ચાંભાના નિશાન હતા.તેઓને બેભાન હાલતમાં જોઈ પોતે ગભરાઈ ગયા હતા અને પોલીસ ક્ધટ્રોલ રુમમાં બનાવની જાણ કરી હતી.

રાહુલ આઠેક મહિનાથી કામે રહ્યો હતો: બંનેના પરિવારને જાણ કરાઈ
મૃતક રાહુલ છેલ્લા આઠેક મહિના પહેલા કોન્ટ્રાક્ટર તન્મય મારફતે સાગરભાઇના કારખાનામાં કામ કરવા આવ્યો હતો.તેમજ મીનું તેમનો મિત્ર હતો બંનેના મૃત્યુથી હાલ બંનેના વતનમાં રહેતા તેમના પરિવારજનોનો સંપર્ક કરી જાણ કરવામાં આવી છે.

 

કારખાનામાં બનેલા હત્યાના બનાવમાં સીસીટીવી ફૂટેજ ડિલીટ કરાયા !
આજે ભાવનગર રોડ પર આવેલી શિવશક્તિ સોસાયટીમાં કારખાનામાં બે મજુરની હત્યા થઈ છે ત્યારે આ બનાવમાં પોલીસ દ્વારા કુલ 8 શખ્સોને સકંજામાં લેવામાં આવ્યા છે. આ બનાવમાં કારખાનેદાર સાગર સાવલીયા પણ શંકાના દાયરામાં હોય તેની પણ સઘન પુછપરછ કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું હતું કે કારખાનેદાર સાગરનાં કહેવાથી પીન્ટુ માલીએ કારખાનાની અંદરના સીસીટીવી ફુટેજ ડીલીટ કરી નાખ્યા હતાં. તેમજ આ ફુટેજ રિકવર કરવા એક ટીમ કામે લાગી હોવાનું થોરાળા પોલીસમાંથી જાણવા મળી રહ્યું છે.

ક્રાઇમ

શહેરમાં વધુ એક ક્લબ ઝડપાઈ, વિજય પ્લોટમાં ઘોડીપાસાના પાટલા ઉપર દરોડો

Published

on

By

શહેરમાં અગાઉ લીમડાચોક પાસે, અમીન માર્ગ અને કુબલિયા પરામાં પોલીેસે જુગારની રેઈડ પાડી જુગારીઓને પકડી લીધા હતા. ત્યારે પોલીસે વધુ એક રેઈડ કરી છે. જેમાં ગોંડલ રોડ પર આવેલા વિજય પ્લોટમાં ચાલી રહેલા જુગાર પર પોલીસે દરોડો પાડી સાત શખ્સોને ઝડપી લીધા હતા તેઓ પાસેથી રૂૂપિયા 23 હજારની રોકડ જપ્ત કરવામાં આવી હતી.

વધુ વિગતો મુજબ,શહેર ડીસીબી ઝોન-2 સુધીર દેસાઈની એલસીબીની ટીમના પીએસઆઈ આર.એચ.ઝાલા અને ધર્મરાજસિંહ ઝાલા નાઓને ખાનગી રાહે બાતમીના આધારે ગોંડલ રોડ વિજય પ્લોટ શેરી નં.15 ના ખુણેથી જાહેરમાં દરોડો પાડી ધોડીપાસા વતી પૈસાની હારજીતનો જુગાર રમતા મુસ્તાક હુશેનભાઇ સમા(રહે.સાગર રેસીડેન્સી જાલોરી હોલ વાળી ગલી જગાવારા ચોરા જેતપુર),ઇન્દુભાઇ લક્ષ્મણભાઈ મેવાડા(રહે. ગુંદાવાડી શેરી નં.8/12 નો ખુણો ભારત ડેરીની પાછળ રાજકોટ),અજય મનોજભાઈ સોલંકી(રહે. લોહાનગર મ. પરા ગોંડલ રોડ),ભાવેશ વિનોદભાઈ મકવાણા (રહે. લોહાનગર મ પરા રામાપીરના મંદિર પાસે રાજકોટ),હિરેન રસીકભાઇ આડેસરા(રહે. કોઠારીયા રોડ વિવેકાનંદ નગર શેરી નં.14),જાહિદ અબ્દુલભાઈ મીનીવાડીયા (2હે. લેઉવા પટેલ સોસાયટી શેરી નં.2/4 નો ખુણો કોઠારીયા રોડ) અને અશ્વીન મગનભાઇ મકવાણા (રહે. ભુતખાના ચોક વિજય પ્લોટ શેરી નં.25 ગોંડલ રોડ)ને પકડી લીધા હતા. આરોપીઓ પાસેથી રૂૂ.23,160 ની રોકડ જપ્ત કરી હતી.પકડાયેલા તમામની પૂછપરછ કરતા તેઓ બધા મિત્રો સાથે તેઓ ભેગા થયા અને બાદમાં જુગાર રમવાનો પ્લાન બનાવી જુગાર રમવા બેસી ગયા હતા.ઉલ્લેખનીય છે કે,ચારેક દિવસ પૂર્વે રાજકોટના લીમડા ચોક પાસે એવરેસ્ટ બિલ્ડીંગના નવમાં માળે ઘોડીપાસાની કલબ પર એ ડીવીઝન પોલીસે દરોડો પાડી 20 શખ્સોને ઝડપી લીધા હતા.આ જુગારના દરોડામાં ઓફિસની ચાવી આપનાર પારસ ઠેબાને પકડવા તજવીજ ચાલી રહી છે.ત્યારે આ જુગારમાં પોલીસ દ્વારા પહેરો દેવામાં આવતો હોવાની પણ ચર્ચા થઈ રહી છે.

Continue Reading

ગુજરાત

યુનિવર્સિટી-કોલેજોમાં વડાપ્રધાનના સેલ્ફી પોઇન્ટ મૂકવા યુજીસીનો આદેશ

Published

on

By

રેલવે સ્ટેશનો બાદ હવે શૈક્ષણિક સંસ્થાઓમાં પણ પીએમ મોદીના પોઇન્ટ મુકાશે: થીમ બેઇઝ સેલ્ફી પોઇન્ટ મૂકવા પરિપત્ર: નવી શિક્ષણ નીતિ અંતર્ગત યુવાનોને જાગૃત કરવાનો દાવો

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને દેશની તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોને પૃષ્ઠભૂમિમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની છબીઓ સાથે સેલ્ફી પોઈન્ટ સ્થાપિત કરવા કહ્યું છે, જે આગામી ઉનાળાની સામાન્ય ચૂંટણીના ભાગરૂૂપે આવી રહ્યો છે. ઉચ્ચ શિક્ષણ નિયમનકારે વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓને આ બિંદુઓ પર સેલ્ફી ક્લિક કરવા અને મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવા પ્રોત્સાહિત કરવા માટે કેમ્પસ સત્તાવાળાઓને દબાણ કર્યું છે, જે તેમને ભાજપના બિનસત્તાવાર પ્રચારકોમાં ફેરવે છે. ઞૠઈ એ વિવિધ ક્ષેત્રોમાં ભારતની સિદ્ધિઓ તરીકે વર્ણવેલ છે, આ રીતે સામૂહિક ગૌરવની ભાવનાને ઉત્તેજન તરીકે વર્ણવેલ છે તેની આસપાસ બઝ બનાવવાનો આ વિચાર છે. કેટલાક શિક્ષણવિદોએ નિયમનકાર પર શૈક્ષણિક સંસ્થાઓને સંપ્રદાય-નિર્માણ કવાયતમાં તૈયાર કરવાનો આરોપ મૂક્યો હતો, જો કે તાજેતરમાં જ 5-5 લાખના ખર્ચ રેલવે સ્ટેશન પર વડાપ્રધાનના સેલ્ફી પોઇન્ટ મુકવામાં આવ્યા છે.

યુજીસીના સચિવ મનીષ જોશી તરફથી તમામ ભારતીય યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરોને મોકલવામાં આવેલ પત્રમાં જણાવાયું છે કે, યુવાનોની ઊર્જા અને ઉત્સાહનો ઉપયોગ કરવાની, વિવિધ ક્ષેત્રોમાં ભારતની પ્રગતિમાંથી પ્રેરણા લઈને તેમના મનને ઘડવાની અનોખી તક છે. શુક્રવારે તમામ કોલેજોના આચાર્યોને પત્ર લખી જણાવ્યું છે કે તમારી સંસ્થામાં સેલ્ફી પોઈન્ટ સ્થાપિત કરીને આપણા દેશ દ્વારા કરવામાં આવેલી અવિશ્વસનીય પ્રગતિની ઉજવણી અને પ્રસાર કરીએ. સેલ્ફી પોઈન્ટનો ઉદ્દેશ્ય વિવિધ ક્ષેત્રોમાં ભારતની સિદ્ધિઓ, ખાસ કરીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળની નવી પહેલો વિશે યુવાનોમાં જાગૃતિ લાવવાનો છે.

પત્રમાં ઉમેર્યું છે કે તમને વિનંતી કરવામાં આવે છે કે વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓને આ ખાસ પળોને કેપ્ચર કરવા અને સામાજિક મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવા માટે પ્રોત્સાહિત કરો, સામૂહિક ગૌરવની ભાવનાને પ્રોત્સાહન આપો.
યુજીસીએ સેલ્ફી પોઈન્ટ માટે વિવિધ પ્રકારની ડિઝાઈન સૂચવી છે. દરેક ડિઝાઇન ચોક્કસ થીમને સમર્પિત છે, જેમ કે શિક્ષણનું આંતરરાષ્ટ્રીયકરણ, વિવિધતામાં એકતા, સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન, ભારતીય જ્ઞાન પ્રણાલી, બહુભાષીવાદ અને ઉચ્ચ શિક્ષણ, સંશોધન અને નવીનતામાં ભારતનો ઉદય. દરેક સેલ્ફી પોઈન્ટ કેમ્પસમાં કોઈ વ્યૂહાત્મક જગ્યાએ સ્થાપિત થવો જોઈએ અને તેનું લેઆઉટ 3બી હોવું જોઈએ.

શૈક્ષણિકએ કહ્યું કે વડા પ્રધાનની તસવીરો કોવિડ રસી પ્રમાણપત્રો સહિત ઘણી ચેનલો દ્વારા પ્રસારિત કરવામાં આવી હતી. રોજગાર મેળાઓમાં સેલ્ફી પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે જ્યાં નવા નિયુક્ત સરકારી કર્મચારીઓ – અથવા બઢતી પામેલા સેવા કર્મચારીઓ -એ મોદીના કટ-આઉટની સામે ઉભા રહેવું પડતું હતું અને ફોટોગ્રાફ લેવાનો હતો. એક સૂક્ષ્મ ધારણા બનાવવામાં આવી રહી છે કે આ બધી પ્રવૃત્તિઓ માટે માત્ર એક નેતા જવાબદાર છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભોળા મતદારોને ગેરમાર્ગે દોરવા માટે આ કરવામાં આવી રહ્યું છે,

યુનિવર્સિટી એ બહુવિધ અભિપ્રાયોને પોષવાનું સ્થાન છે. જો વિચાર એક એકલ અભિપ્રાયને પ્રોત્સાહન આપવાનો છે, જે પ્રબળ દળો દ્વારા દબાણ કરવામાં આવે છે, તો તે યુનિવર્સિટીના લાંબા ગાળાના હિતોનું સમાધાન કરે છે, મેનેજમેન્ટ શિક્ષકે જણાવ્યું હતું કે યુજીસી આવા પરિપત્રો જારી કરે છે પરંતુ કેમ્પસ વહીવટીતંત્ર તેની અવગણના કરવા માટે સ્વતંત્ર છે. (શૈક્ષણિક) સંસ્થાઓએ આવી સલાહ પર ધ્યાન આપવું જોઈએ નહીં. તે સંસ્થાકીય નેતાઓ કે જેઓ સિકોફન્ટ નથી તેઓ આ પ્રકારની સલાહને અવગણી શકશે.

 

સેલ્ફી પોઇન્ટ વિચારોને પ્રોત્સાહન આપે છે-જેએનયુ
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના ફેકલ્ટી મેમ્બરે જણાવ્યું હતું કે સેલ્ફી પોઈન્ટ જે વિવિધ વિચારોને પ્રોત્સાહન આપે છે, ચર્ચાને પ્રોત્સાહિત કરે છે અને જાહેર મુદ્દાઓને આગળ ધપાવે છે, તે હંમેશા આવકાર્ય છે.

સરકાર- યુજીસી પાસે આવા આદેશની જોગવાઇ નથી: શિક્ષણવિદ
ટોચની સંસ્થાના એક ફેકલ્ટી મેમ્બરે જણાવ્યું હતું કે સરકાર દરેક સામાન્ય સિદ્ધિને અદભૂત તરીકે રજૂ કરી રહી છે અને તેનો શ્રેય વડા પ્રધાનને આપે છે. જે થઈ રહ્યું છે તે સંપ્રદાયની આકૃતિ બનાવવા માટે સંપૂર્ણ વિકસિત પ્રચાર છે. રાજ્ય તે જાહેર સંસ્થાઓનો ઉપયોગ કરીને કરી રહ્યું છે જેને આ પ્રવૃત્તિઓ સાથે કોઈ લેવાદેવા નથી, તેમણે કહ્યું. સરકાર અથવા યુજીસીને શૈક્ષણિક સંસ્થાઓને આવા પ્રચારને પ્રોત્સાહન આપવો કહેવા અને સક્ષમ બનાવવા માટે કાયદામાં કોઈ જોગવાઈ નથી.

 

Continue Reading

ગુજરાત

આસારામના ફોટાની પૂજા કરાવતા 33 શિક્ષકોને નોટિસ

Published

on

By

વલસાડના કપરાડામાં માતૃ-પિતૃ વંદના કાર્યક્રમમાં બનેલી ઘટનામાં શિક્ષણ વિભાગની કાર્યવાહી

માત્ર 16 વર્ષની કિશોરી પર બળાત્કારના કેસમાં જોધપુરની જેલમાં સજા કાપી રાહેલા આસારામના ભક્તો હજુ પણ તેની પુજા કરી રહ્યા છે. લગભગ 10 મહિના પહેલા વલસાજુ જિલ્લાનો એક જૂનો કેસ સામે આવ્યો છે જેમાં 3 શાળાઓમાં શિક્ષકોએ આસારામના ફોટાની પુજા કરી હતી. હવે પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીના ધ્યાન પર આ વાત આવતા 33 જેટલો શિક્ષકોને નોટીસ પાઠવવામાં આવી છે અને તેમને રૂૂબરૂૂ બોલાવવામાં આવ્યા છે. ભક્તો પર કામણ પાથરનારો આસારામ બળાત્કારના કેસમાં જેલમાં છે અને તેને આજીવન કેદની સજા થયેલી છે, પરંતુ તેના ભક્તો હજુ પણ અંધભક્તિમાં પાગલ છે અને તેને ભગવાન તરીકે પૂજા કરી રહ્યા છે.

જાણવા મળેલી વિગત મુજબ 14 ફેબ્રુઆરીએ વલસાડ જિલ્લામાં આવેલા કપરાડામાં માતૃ-પિતૃ વંદના કાર્યક્રમનું 3 શાળાઓમાં આયોજન કરવામાં આવ્યુ હતું. આ શાળાઓમાં ગુનેગાર આસારામના ફોટાની પૂજા કરવામાં આવી હતી. જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થયા બાદ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીના ધ્યાન પર આ વાત આવતા 33 શિક્ષકોને નોટીસ ફટકારવામાં આવી છે અને તમામ શિક્ષકોને રૂૂબરૂૂ બોલાવવામાં આવ્યા છે.

આસારામની કરમ કહાણીથી બધા વાકેફ જ છે. ઉત્તર પ્રદેશના શાહજહાંપુરની એક સગીરા પર નરાધમ આસારામે એક ફાર્મ હાઉસ પર સેવા અને સારવારના નામે બોલાવીને તેણી પર બળાત્કાર કર્યો હતો. પીડિતાએ દિલ્હીના કમલાનગર પોલીસ સ્ટેશનમાં 19 ઓગસ્ટ 2013ના દિવસે ઋઈંછ કરી હતી અને પોલીસ ઇંદોરથી આસારામને પકડી લાવી હતી. તેની સામે આરોપ સાબિત થયા અને કોર્ટે આસારામને આજીવન કેદની સજા ફટકારી હતી. આસારામે જેલમાંથી બહાર આવવાના અનેક વખત હવાતિયાં માર્યા હતા, પરંતુ તે સફળ થયો નહોતો અને જોધપુર જેલની હવા ખાઇ રહ્યો છે.

એટલું જ નહીં આસારામને વધુ એક બળાત્કારના કેસમા આજીવન કેદની સજા થયેલી છે. ગાંધીનગરની સેશન્સ કોર્ટે આસારામને દોષિત માન્યો હતો. વર્ષ 2013માં આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઇ સામે સુરતની બે બહેનોએ બળાત્કારનો કેસ કર્યો હતો. આ બનાવ અમદાવાદના મોટેરા આશ્રમમાં બન્યો હતો એટલે સુરત પોલીસે ઝીરો ફરિયાદ નોંધીને અમદાવાદના ચાંદખેડામાં ફરિયાદ ટ્રાન્સફર કરી હતી.

Continue Reading

Trending