Connect with us

GIR SOMNATH

દિવાળી સ્પેશિયલ વેરાવળ-સુરત સાપ્તાહિક એકસપ્રેસનો આવતીકાલથી પ્રારંભ

Published

on

મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ વેરાવળ અને સુરત વચ્ચે વિશેષ કિરાયે પર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ આ ટ્રેન વેરાવળથી દર મંગળવારે 11-05 કલાકે દોડશે. આ ટ્રેનને તા.7 થી તા.28 નવેમ્બર 2023 સુધી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રેલ્વે સલાહકાર સમિતીના સભ્ય મુકેશભાઇ ચોલેરા સહીતના દ્વારા જીલ્લના સાંસદ તેમજ રેલ અધિકારીઓને રજૂઆત કરી દિવાળી વેકેશન દરમ્યાન સ્પેશ્યલ ટ્રેન શરૂૂ કરવા અંગે રજૂઆત કરેલ જેને સફળતા મળતા વેરાવળ થી સુરત સાપ્તાહીત ટ્રેન શરૂૂ થનાર છે જે ટ્રેનના નંબર 09018 – 09017 વેરાવળ-સુરત-વેરાવળ સાપ્તાહિક એક્સપ્રેસ છે. ટ્રેન નંબર 09018 વેરાવળ – સુરત સાપ્તાહિક વિશેષ ટ્રેન વેરાવળથી દર મંગળવારે 11-05 કલાકે ઉપડશે અને તે જ દિવસે 23-45 કલાકે સુરત પહોંચશે. આ ટ્રેન વેરાવળથી તા.7, 14, 21 અને 28 નવેમ્બર, 2023 ના રોજ દોડશે. એ જ રીતે ટ્રેન નંબર 09017 સુરત વેરાવળ સાપ્તાહિક વિશેષ ટ્રેન દર સોમવારે સુરત થી 19-30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 08-05 કલાકે વેરાવળ પહોંચશે. આ ટ્રેન તા.6, 13, 20 અને 27 નવેમ્બર, 2023 ના રોજ દોડશે. આ ટ્રેન માળીયા હાટીના, કેશોદ, જૂનાગઢ, જેતલસર, ગોંડલ, રાજકોટ, અમદાવાદ અને વડોદરા સ્ટેશન પર બંને દિશામાં ઉભી રહેશે.
આ ટ્રેન બુકિંગ તા.5 ના રવિવારથી પેસેન્જર રિઝર્વેશન કેન્દ્રો અને આઇ.આર.સી.ટી.સી. વેબસાઇટ પર ખુલશે. આ ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો ૂૂૂ.યક્ષિીશિુ. શક્ષમશફક્ષફિશહ.લજ્ઞદ.શક્ષ વેબસાઇટની મુલાકાત લઈ શકે છે તેમ વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક માશૂકઅહમદે એક યાદીમાં જણાવેલ છે.

GIR SOMNATH

વેરાવળના ખારવા વાડા અને ભોયવાડામા રાસાયણિક રજકણો ઉડવાની બુમરાણ

Published

on

તારીખ 5/12/2023ના રોજ શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજની વંડીમાં જે વેરાવળ બંદરમાં ફેસ 2નું કામ ચાલુ કરવામાં આવ્યું છે તેના કારણે ખારવાવાડ ભોઈવાળામાં વસતા લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે વેરાવળમાં બંદરમાં જે ફેસ 2ના ક્ધસ્ટ્રકટર્સ ના કારણે રસાયણિક રજકણો ઉડે છે તેનાથી લોકોને સ્વાસ્થ્યની સમસ્યા થઈ રહી છે સાથે સાથે મોડી રાત્રે 2/3/4 વાગ્યા સુધી કામ ચાલે છે તેનાથી લોકો શાંતિથી સૂઈ પણ નથીં શકતા તેથી ખારવાવાડ ભોઈવાળા વિસ્તારની તમામ મહિલાઓ શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ કુહાડાને રજુવાત કરવા આવી હતી સાથે સાથે મચ્છી માર્કેટની બહેનોએ રજુવાત કરી હતી કે જી. આઈ. ડી. સી. માંથી જે મચ્છી વેચવાની રિક્ષા લઈને આવીએ છે તેમાં બંદર માંથી સિમેન્ટ અને ખુબજ ધુળ ઉડે છે એનાથી અમારી કિંમતી મચ્છી બગડી જાય છે જેથી અમોને ધંધામાં ખૂબ જ નુકશાન જાય છે તે બાબતે તમામ મચ્છી માર્કેટની બહેનો પણ શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ કુહાડાને રજુવાત કરવામાં આવી હતી ત્યારબાદ પટેલ શ્રી જીતુભાઈ કુહાડા એ બોટ એસોએશનના પ્રમુખ ગોપાલભાઈ ફોફંડી તથા એસોસિયનના આગેવાનો તેમજ હોળી એસોસિયનના પ્રમુખ હીરાભાઈ વધાવી તથા આગેવાનોને બોલાવી અને બંદરના કામ બાબત માટે લેખિતમાં લખી સરકારશ્રીને રજૂઆત વાત કરવામાં આવી.

Continue Reading

GIR SOMNATH

તળાજામાં વિધવા માતાની બેટના ફટકા મારી પુત્રએ હત્યા નિપજાવી

Published

on

ભાવનગર જિલ્લાના તળાજા ની નદીના સામા કાંઠે આવેલ નરસિંહ મહેતા નગર,પી.ડબ્લ્યુ. ડી ના ક્વાર્ટર મા પોતાના બે સંતાનો સાથે રહેતી વિધવા માતા ને આજે જ્યેષ્ઠ પુત્ર એ માથાના ભાગે ક્રૂરતા પૂર્વક લાકડાના ક્રિકેટ રમવા ના બેટના ફટકા મારી હત્યા કરી નાખી હતી.મહિલા અહીં ટ્રેઝરી ઓફિસમા સરકારી કર્મચારી છે.માતાની હત્યા નિપજાવવા બદલ નાના દીકરા એ મોટા ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
તળાજા મા ચકચાર મચાવતા બનાવ ની મળતી વિગતો મુજબ નજીકના સથરા ગામે દવે પરિવાર મા પિયર ધરાવતા અને કુંઢડા ગામે સાસરું ધરાવતા અને હાલ તળાજા મામલતદાર કચેરીના મેદાનમાં આવેલ ટ્રેઝરી ઓફીસમા પ્યુન ની નોકરી કરતા રેખાબેન મૂળશંકરભાઈ બારૈયા ઉ.વ.59 તે નદીના સામા કાંઠે આવેલ પી.ડબ્લ્યુ. ડી ના કવાર્ટર નં.27 મા રહે છે. રેખાબેન આશરે વીસેક વર્ષ પહેલાં વિધવા થતા તેમના પતિ મૂળશંકરભાઈ ના વરસાદ તરીકે નોકરી મળેલ હતી.તેઓને બે દીકરા મિતેષ અને નિતેષ.
આજે રેખાબેન બપોરે 12 વાગ્યા આસપાસ ઓફિસે હતા એ સમયે મોટો દીકરો મિતેષ ઉ.વ30 ઘરે રસોઈ બનાવવા અને જમવા માટે લેવા આવેલ હતો.મોટાભાગે એ રાબેતા મુજબ નો ક્રમ હતો.એ સમયે નાનો દીકરી નિતેષ સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતો હોય અભ્યાસ અર્થે ઘરે ન હતો.આ સમયે પુત્ર મિતેષ ને માતા રેખાબેન સાથે રસોઈ બાબતે બોલાચાલી થતા રૂૂમ મા પડેલ બેટ ઉપાડી ને માતા ના માથા અને કમર ના ભાગે ઉપરા છાપરી ફટકા મારવા લાગતા રેખાબેન રૂૂમમાંજ પડી ગયા હતા.માથામાં વાગેલ ફટકાઓ ને લઈ લિહીના ખાબોચિયામાં તરફડીયા મારવા લાગ્યા હતા.દેકારો થતા આસપાસ ના રહીશો દોડી આવ્યા હતા.108 મારફતે તળાજા રેફરલ હોસ્પિટલ ખાતે નાના દીકરા નિતેષ અને પાડોશી લઇ ગયા હતા.જ્યાં ફરજ પરના તબીબે મૃત્યુ પામેલ જાહેર કરેલ હતા.મહિલા એફ.એસ.એલ – પી.એમ માટે ભાવનગર લઈ જવામાં આવેલ.માતા ની હત્યા નિપજાવવા બદલ નાના ભાઈ નિતેષ એ મોટાભાઈ મિતેષ વિરુદ્ધ તળાજા પોલીસ મા ફરિયાદ નોંધાવતા તપાસ પો.ઇ. આર.ડી. ચૌધરી ચલાવી રહ્યા છે.

Continue Reading

GIR SOMNATH

સૂત્રાપાડા પંથકમાંથી 1200 લિટર ચોરાઉ ડીઝલ સાથે 3 ઝડપાયા : 3 ટ્રક કબજે કરાયા

Published

on

ગીર સોમનાથના સુત્રાપાડા પંથકમાં ચોરીયાઉ ડીઝલનું ગેરકાયદેસર વેંચાણ થતુ હોવાની માહિતીના આધારે સુત્રાપાડા પોલીસે અમરાપુર ફાટક પાસેથી ચોરી કરી અત્રે લાવેલ 1200 લીટર ડીઝલના જથ્થા સાથે રાજુલાના બે અને ઉનાના એક શખ્સોને ત્રણ ટ્રકો મળી કુલ રૂૂ.63 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આગળ તપાસ હાથ ધરી છે. ચોરીયાઉ ડીઝલ પીપાવાવની ઓઈલ કંપનીમાં ચાલતા ટેન્કરોમાંથી ચોરી કરાતું હોવાનું પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવતા પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ સુત્રાપાડા પંથકમાં ચોરીયાઉ ડીઝલ સસ્તા ભાવે વેચાતું હોવાની માહિતી સુત્રાપાડા પોલીસના સંજય પરમાર, મનોજ બાંભણીયા, નિલેશ મોરીબે બાતમી મળી હતી. જેના આધારે પીઆઈ આર.એલ.પ્રજાપતિ, પીએસઆઈ એન.એ.વાઘેલાએ સ્ટાફને સાથે રાખી વેરાવળ – કોડીનાર હાઇવે ઉપર અમરાપુર ફાટક પાસે દરોડો પાડયો હતો. ત્યાં સ્થળ ઉપરથી ચોરીયાઉ 1200 લીટર ડીઝલનો જથ્થો તથા ત્રણ ટ્રકો સાથે રાહુલ રાજદે ડેર ઉ.વ.26, પ્રદિપ રામદે ડેર ઉ.વ.25 બંન્ને રહે.રાજુલા, મેહુલ બોધાભાઇ ચૌહાણ ઉ.વ.23 રહે.ઉના વાળા હાજર મળી આવતા ત્રણેયની સામે સીઆરપીસી કલમ 102, 41(1) ઉ મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી અટક કરી હતી.
આ અંગે પીએસઆઈ એન.એ.વાઘેલાએ જણાવેલ કે, મળી આવેલ ડીઝલનો જથ્થો પીપાવાવ પંથકમાં આવેલ ઓઈલ કંપનીમાં ટ્રાન્સપોર્ટમાં ચાલતા ટેન્કરોમાંથી ચોરી કરી તેનું સસ્તા ભાવે વેંચાણ થતુ. જેઓ પાસેથી પકડાયેલા શખ્સો ડીઝલ લઈ આવી અહીં પોતાના ટ્રકો ઉપરાંત અન્ય ટ્રકોને વેંચતા હોવાનું પૂછપરછમાં સામે આવ્યુ છે. જેના આધારે પીપાવાવ પંથકમાં કેટલા શખ્સો કઈ રીતે ચોરી કરતા તે જાણવા આગળ તપાસ હાથ ધરી છે.

Continue Reading

Trending