ભારતની રાજધાની નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વિશ્વ શાંતિ મિશન માટે પૂજ્ય મોરારી બાપૂ દ્વારા ચાલી રહેલી નવદિવસીય રામકથામાં ભાગ લેતા દિલ્હી રાજ્યના મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તાએ જણાવ્યું કે અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્ર દ્વારા આયોજિત આ રામકથામાં જોડાવાનો અવસર તેમને મળ્યો તે ગૌરવની વાત છે. પૂજ્ય મોરારી બાપૂજીની રામકથા સેવા, કરુણા અને રાષ્ટ્રના નૈતિક સંસ્કારોનો સંદેશ આપે છે.
આચાર્ય લોકેશ મુનિજીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમ ભારતીય સાંસ્કૃતિક ચેતના અને અહિંસાની પરંપરાને વધુ મજબૂત બનાવે છે.
આ સંસ્થાઓ દ્વારા સતત કરવામાં આવતા સેવા અને લોકકલ્યાણના કાર્યોમાંથી પ્રેરણા લઈને મુખ્યમંત્રીએ વિશ્વ શાંતિ કેન્દ્ર મિશન માટે પોતાની એક મહિનાની વેતનરાશિ અર્પણ કરવાની જાહેરાત કરી, જેને તેમણે સામાજિક દાયિત્વ અને માનવ મૂલ્યો પ્રત્યેની પોતાની નમ્ર ભાગીદારી તરીકે વર્ણવી.
તે પહેલાં રામકથાના છઠ્ઠા દિવસે પૂજ્ય મોરારી બાપૂએ અમેરિકા, બ્રિટેન, કેનેડા તેમજ ભારતના અનેક રાજ્યોમાંથી આવેલા ઉત્સાહી શ્રદ્ધાળુઓને સંબોધન કરતાં જણાવ્યું કે સનાતન ધર્મ શાશ્વત અને સર્વવ્યાપક છે.
તેમણે જૈન આચાર્ય લોકેશજીને વ્યાસપીઠ પર આમંત્રિત કરી પોતાના સ્નેહસભર આશીર્વાદ આપ્યા અને મુખ્યમંત્રી દ્વારા યમુના નદીની વહેલી તકે સફાઈ કરવાનો સંકલ્પ વ્યક્ત કરાયો તે અંગે પ્રસન્નતા વ્યક્ત કરી.

