Connect with us

ગુજરાત

પ્રથમ મહિલા હોકર્સ ઝોનના ડ્રોમાં ડખ્ખો, હલ્લાબોલ

Published

on

કોર્પોરેશન કચેરીની સભાગૃહમાં ડિપોઝિટ વગરના અરજદારોના નામ ડ્રોમાં નીકળતા ડિપોઝિટ ભરેલ મહિલાઓએ બઘડાટી બોલાવી

રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા પ્રથમ વખત મહિલાઓને સ્વનિર્ભર કરવા માટે વોકર્સઝોન તૈયાર કરવામા આવ્યો છે. કાલાવડ રોડ પર તૈયાર થયેલ વોકર્સઝોનમાં 18 થડાની ફાળવણી કરવાની હતી. જેના માટે 78 અરજીઓ આવેલ જેનો ડ્રો સેન્ટ્રલઝોન કચેરી ખાતે રમેશભાઈ છાયા સભાગૃહમાં રાખવામાં આવેલ અરજદારોએ અરજી સાથે ડિપોઝીટ ભરવી ફરજિયાત હતી પરંતુ અમુક અરજદારોએ ડિપોઝીટ ભરી દીધેલ તેનો ડ્રોમાં સમાવેશ કરી ડ્રોમાં પ્રથમ ડિપોઝીટ વગરનાના નામો નિકળતા મહિલાઓએ દેકારો બોલાવી ડાયસ ખાતે ધસી જતા અંતે ડિપોઝીટ વગરની અરજીઓ રદ કરી ફરીથી ડ્રો કરવામાં આવ્યો હતો.

મનપાની સેન્ટ્રલઝોન કચેરી ખાતે સભાગૃહમાં આજે બપોરે મહિલાઓના હોકર્સઝોન માટેના થડા ફાળવણીનો ડ્રો યોજવામાં આવ્યો હતો. જેમાં બઘડાટી બોલતા જાણવા મળેલ કે, ડિપોઝીટ ન ભરી હોય તેવા અરજદારોને ડ્રોમાં સામેલ કરી થડા ફાળવણી કરાતા જે અરજદારોએ નિયમ મુજબ ડિપોઝીટ ભરી હતી. તેઓએ િવિરોધ દર્શાવ્યો હતો. પરિણામે ડિપોઝીટ વગરના અરજદારોનેી અરજીઓ તુરંત કાઢી નાખવામાં આવેલ અને બાકી રહેલ અરજીઓનો ડ્રો કરી 18 મહિલાઓને થડાની ફાળવણી કરવામાં આવી હતી.

લાઈબ્રેરી વિભાગની સુવિધાયુક્ત મોબાઈલ એપ્લીકેશનનું લોન્ચિંગ તથા મહિલા હોકર્સ ઝોન ફાળવણી ડ્રો કાર્યક્રમ કાર્યક્રમમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસીપલ કમિશનરશ્રીઆનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, બાગ બગીચા અને ઝૂ સમિતિ ચેરમેન સોનલબેન સેલારા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત

સ્વાતિ પાર્કમાં કામધંધો ન ચાલતા આર્થિક ભીંસથી કંટાળી ઈલેક્ટ્રિકના વેપારીનો આપઘાત

Published

on

By

પરિવારજનો લગ્ન પ્રસંગમાં ગયા બાદ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું : એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી

શહેરમાં આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કરી લેવાના બનાવો બની રહ્યાં છે ત્યારે આવો જ એક વધુ બનાવ સામે આવ્યો છે. જેમાં કોઠારીયા વિસ્તારમાં આવેલા સ્વાતિપાર્કમાં રહેતા ઈલેકટ્રીકના વેપારીએ કામ ધંધો ન ચાલતાં આર્થિક ભીંસથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પરિવારજનો લગ્ન પ્રસંગમાં ગયા હતાં ત્યારે પાછળથી આ પગલું ભરી લીધું હતું. આ બનાવથી એકની એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી દેતાં અરેરાટી ફેલાઈ જવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ, કોઠારીયા રોડ પર આવેલા સ્વાતિ પાર્ક શેરી નં.2માં રહેતા ધવલ રાજુભાઈ કોઠારી (ઉ.27) નામના યુવાને ગઈકાલે રાત્રે 11 વાગ્યાના અરસામાં પોતાના ઘરે પંખા સાથે કપડુ બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. 108ના ઈએમટી કરણભાઈએ જોઈ તપાસી મરણ જાહેર કરી પોલીસને જાણ કરતાં આજી ડેમ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ પરમાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ.અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

પ્રાથમિક તપાસમાં મૃતક ધવલ એક બહેનનો એકનો એક મોટો ભાઈ હોવાનું અને તેને સંતાનમાં એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. મૃતક ધવલે આઠેક મહિના પહેલા ઈલેકટ્રીકની દુકાન કરી હોય પરંતુ કામધંધો ચાલતો ન હોવાથી આર્થિક ભીંસ અનુભવતો હોય જેથી કંટાળી ગઈકાલે પત્ની અને પુત્રી માવતરે આંટો મારવા ગયા હોય અને અન્ય પરિવારજનો સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગ હોવાથી ત્યાં હતાં. ત્યારે આ પગલું ભરી લીધું હતું. પરિવારજનો લગ્નમાંથી પરત ઘરે આવતાં દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ ધવલ દરવાજો ખોલતો ન હોય જેથી દરવાજો તોડતા તેનો લટકતો મૃતદેહ જોઈ પરિવારજનો હતપ્રભ બની ગયા હતાં. આ બનાવથી માસુમ પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી દેતાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.

Continue Reading

ગુજરાત

કૂવામાં પાણી જોવા ગયેલી યુવતીને કાળ ખેંચી ગયો

Published

on

By

વહેલી સવારે યુવતી બહેન સાથે વાડીએ પાણી વાળવા જતા પાણી બંધ થતા કૂવામાં જોવા ગઇને અંદર પડી

જામનગર રોડ પર ન્યારા ગામ પાસે આવેલી વાડીમાં પાણી વાળતી વખતે અકસ્માતે કુવામાં પડી જતા પરપ્રાંતીય યુવતીનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ બનાવમાં જ્યારે તેની બહેન કુવામાં જોવા ગઈ ત્યારે બહેન કૂવામાં પડી ગઈ હોવાનું માલુમ પડ્યું હતું.બાદમાં ફાયર બ્રિગેડના સ્ટાફે ચાર કલાકની જહેમત બહાર યુવતીનો મૃતદેહ બહાર કઢાયો હતો.

વધુ વિગત મુજબ,મુળ મધ્યપ્રદેશ હાલ રાજકોટ જામનગર રોડ પર ન્યારા ગામ પાસે જેઠુરભાઇ રાઠોડની વાડીએ મજુરીકામ કરતા પરિવારની કરમા જેમલભાઇ વાસકડીયા(ઉ.વ.20) આજે વહેલી સવારે તેની બહેન સવીતા સાથે વાડીમાં પાણી વાળવા માટે ગઇ હતી.કુવાની મોટર ચાલુ કરતા નળીમાં પાણી આવતુ ન હોઇ તેથી કરમા કુવા પાસે જતા તેમનો પગ લપસી જતા કૂવામાં પડી ગઇ હતી.બાદમાં બહેન કરમાનો અવાજ સાંભળી બહેન સવીતા કુવા પાસે આવીને જોતા કરમા કુવામાં પડી ગઇ હોવાની ખબર પડતા દેકારો કરી મુકતા ત્યાં પરિવારજનો દોડી આવ્યા હતા.

બાદમાં બનાવ અંગે કોઇએ ફાયરબ્રિગેડને જાણ કરતા રેલનગર ફાયરબ્રિગેડ સ્ટેશનના ફાયરમેન વનરાજસિંહ પરમાર તથા વિજયભાઇ, રાહુલભાઇ મુનીયા અને રાજેશભાઇ આંબલીયા સહિતે ઘટના સ્થળે પહોંચી ચાર કલાકની જહેમત બાદ યુવતીને બેભાન હાલતમાં કુવામાંથી બહાર કાઢી હતી. બાદ 108 માં જાણ કરતા 108ની ટીમ સ્થળ પર પહોંચી તપાસ કરી તબીબે યુવતીને મૃતજાહેર કરી હતી.પોલીસને બનાવની જાણ કરતા યુનિવર્સિટી પોલીસ મથકના જયશ્રીબેન ડાંગર અને સ્ટાફ બનાવ સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી.મૃતક કરમા ત્રણ બહેન અને એક ભાઇમાં વચેટ હતી તેના પિતા અને માતા મજુરી કામ કરે છે યુવતીના મૃત્યુથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.

Continue Reading

ગુજરાત

રાજકોટના તત્કાલીન ડીસીપી પ્રવીણકુમાર મીણા અને અચલ ત્યાગીની CBIમાં નિમણૂક

Published

on

By

ગુજરાત કેડરના વધુ બે IPS અધિકારીઓની CBIમાં નિમણૂક કરવામાં આવી છે. અચલ ત્યાગી 2015 બેન્ચના અધિકારીની સીબીઆઈમાં નિમણૂક કરાઈ છે, જ્યારે IPS પ્રવિણ કુમાર 2016 બેન્ચના અધિકારીની પાંચ વર્ષ માટે સીબીઆઈમાં નિમણૂક કરવામાં આવી છે. અચલ ત્યાગી મહેસાણા જિલ્લા પોલીસવડા તરીકે ફરજ બજાવતા હતા. જ્યારે IPS પ્રવિણ કુમાર મીણા આણંદ જિલ્લા પોલીસવડા હતા.

IPS પ્રવિણ કુમાર સૌ પ્રથમ ગીર સોમનાથ જિલ્લામાં તલાલા ગીર ખાતે તેમના પ્રોબેશન સમય દરમિયાન ફરજ બજાવી હતી. બાદમાં દોઢ વર્ષ સુધી વિરમગામ ખાતે એએસપી તરીકે બાદમાં તેમની નિમણૂંક રાજકોટ ડીસીપી ઝોન-1 માં થઈ હતી. ત્યાં તેમણે તેમની ફરજની સાથે ડીસીપી ટ્રાફિક અને સાયબર ક્રાઇમનો વધારાનો હવાલો પણ સંભાળ્યો હતો.

પ્રવિણકુમાર મૂળ રાજસ્થાનના અલવરના વતની છે. પ્રવિણકુમારના પિતા પણ ઈન્ડીયન રેવન્યુ સર્વીસમાં પુનામાં અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. આ કારણે તેમણે પ્રાથમિક શિક્ષણ પૂના ખાતે અને ધોરણ 12 સુધીનો અભ્યાસ મુંબઈ ખાતે કર્યો હતો. બાદમાં તેમણે ઈંઈંઝ બોમ્બે ખાતેથી બી.ટેક અને એમ.ટેક.માં મિકેનિકલ એન્જિનિયરિંગની પદવી મેળવી હતી. વર્ષ 2011માં તેઓએ યુપીએસસીની તૈયારીઓ શરૂૂ કરી, જેમાં તેઓને વર્ષ 2016માં સફળતા મળતા તેઓ આઇપીએસ અધિકારી બન્યાં હતાં.

Continue Reading

Trending