Connect with us

ગુજરાત

મર્સિડીઝ કારની નુકસાનીના 20 લાખ વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવા વીમા કંપનીને કોર્ટનો હુકમ

Published

on

રસ્તામાં પાણી ભરેલા ખાડામાં અથડાતા કાર બંધ થતા ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરી’તી

પડધરી સદગુરૂૂ હોસ્પિટલના ડો. સંદિપકુમાર બાબુલાલ સાવલીયાએ મર્સિડીસ બેન્ઝ ખરીદીને ઈફકો ટોકીયો જન2લ ઈન્સ્યુરન્સ કંપની લી.ને વીમો ઉતરાવી પેટી પ્રિમિયમની રકમ રૂૂા.1.98 લાખ ચુકવેલ અને કારની આઈ.ડી.વી. રૂૂા. 26લાખ નકકી કરવામાં આવી હતી.

દરમિયાન ડો. સંદિપકુમારના મિત્ર સકિલભાઈ શમા તેમના પરિવાર સાથે જુનાગઢ જવા માટે તેઓની કાર લઈ ગયેલ હતા. જુનાગઢથી પરત આવતા સમયે સરદારનગર પાસે પાણી ભરેલા ખાડામાં ગાડી અથડાતા અવાજ આવતા ચેક કરતા કોઈ દેખીતું નુકસાન ન જણાતા તેઓ કાર લઈને રાજકોટ રવાના થયેલ રસ્તામાં જેતપુર બાયપાસ પાસે પહોંચતા ચાલુ કાર અચાનક બંધ પડી ગયેલ. તેથી સકિલભાઈએ મિકેનિકને બોલાવી કાર ચાલુ કરવાની ટ્રાય કરેલ પરંતુ તેમ છતા કાર ચાલુ ન થતાં મર્સિડીસ કંપનીના ઓથોરાઈઝડ સર્વિસ સ્ટેશન લેન્ડમાર્ક કાર્સ પ્રા. લી., માં રાજકોટ ખાતે રિપેરિંગ અર્થે મુકી હતી, વીમા કંપનીમાં ક્લેઈમ નોંધાવ્યો હતો.

દરમિયાન મર્સિડીસ કંપનીના ઓથોરાઈઝડ સર્વિસ સ્ટેશન દ્વારા કારમાં થયેલ નુકશાની અંગેનું રૂૂા. 30,72,166 નું કવોટેશન આપવામાં આવ્યું હતું. જેમાં વીમા કંપની દ્વારા તાત્કાલીક કલેઈમ પ્રોસેસ કરી ફરિયાદીના ક્લેઈમની રકમ ચુકવી આપવાના બદલે કલેઈમ પ્રોસેસમાં લાંબો સમય પસાર કરીને તા. 07/10/2021ના રોજ પત્ર ફરિયાદીની કારને અગાઉના માલિક દ્વારા નુકસાનગ્રસ્ત થયેલ હોવાનું કારણ આગળ ધરી ક્લેઇમ નામંજૂર કર્યો હતો. જેથી તબીબ સાવલિયાએ તેના વકીલ મારફત રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં વીમા કંપની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે કેસ ચાલી જતા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રેસિડેન્ટ પી.સી. રાવલ દ્વારા ડો. સંદિપકુમાર બાબુલાલ સાવલીયાની ફરિયાદ મંજુર કરી રૂૂા. 19,95,280 તથા ખર્ચના રૂૂા. 5,000 6% વ્યાજ સહીત બે માસમાં ચુકવી આપવા ઈફકો ટોકીયો જનરલ ઈન્સ્યુરન્સ કંપની લી.ને ફરિયાદીની કારના રિપેરિંગ ખર્ચ અંગે હુકમ ફરમાવ્યો છે. આ કામમાં ફરિયાદી તરફે એડવોકેટ સરફરાઝખાન પઠાણ તથા બી. એમ. ડાભી રોકાયા હતા.

ગુજરાત

સ્વાતિ પાર્કમાં કામધંધો ન ચાલતા આર્થિક ભીંસથી કંટાળી ઈલેક્ટ્રિકના વેપારીનો આપઘાત

Published

on

By

પરિવારજનો લગ્ન પ્રસંગમાં ગયા બાદ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું : એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી

શહેરમાં આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કરી લેવાના બનાવો બની રહ્યાં છે ત્યારે આવો જ એક વધુ બનાવ સામે આવ્યો છે. જેમાં કોઠારીયા વિસ્તારમાં આવેલા સ્વાતિપાર્કમાં રહેતા ઈલેકટ્રીકના વેપારીએ કામ ધંધો ન ચાલતાં આર્થિક ભીંસથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પરિવારજનો લગ્ન પ્રસંગમાં ગયા હતાં ત્યારે પાછળથી આ પગલું ભરી લીધું હતું. આ બનાવથી એકની એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી દેતાં અરેરાટી ફેલાઈ જવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ, કોઠારીયા રોડ પર આવેલા સ્વાતિ પાર્ક શેરી નં.2માં રહેતા ધવલ રાજુભાઈ કોઠારી (ઉ.27) નામના યુવાને ગઈકાલે રાત્રે 11 વાગ્યાના અરસામાં પોતાના ઘરે પંખા સાથે કપડુ બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. 108ના ઈએમટી કરણભાઈએ જોઈ તપાસી મરણ જાહેર કરી પોલીસને જાણ કરતાં આજી ડેમ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ પરમાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ.અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

પ્રાથમિક તપાસમાં મૃતક ધવલ એક બહેનનો એકનો એક મોટો ભાઈ હોવાનું અને તેને સંતાનમાં એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. મૃતક ધવલે આઠેક મહિના પહેલા ઈલેકટ્રીકની દુકાન કરી હોય પરંતુ કામધંધો ચાલતો ન હોવાથી આર્થિક ભીંસ અનુભવતો હોય જેથી કંટાળી ગઈકાલે પત્ની અને પુત્રી માવતરે આંટો મારવા ગયા હોય અને અન્ય પરિવારજનો સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગ હોવાથી ત્યાં હતાં. ત્યારે આ પગલું ભરી લીધું હતું. પરિવારજનો લગ્નમાંથી પરત ઘરે આવતાં દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ ધવલ દરવાજો ખોલતો ન હોય જેથી દરવાજો તોડતા તેનો લટકતો મૃતદેહ જોઈ પરિવારજનો હતપ્રભ બની ગયા હતાં. આ બનાવથી માસુમ પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી દેતાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.

Continue Reading

ગુજરાત

કૂવામાં પાણી જોવા ગયેલી યુવતીને કાળ ખેંચી ગયો

Published

on

By

વહેલી સવારે યુવતી બહેન સાથે વાડીએ પાણી વાળવા જતા પાણી બંધ થતા કૂવામાં જોવા ગઇને અંદર પડી

જામનગર રોડ પર ન્યારા ગામ પાસે આવેલી વાડીમાં પાણી વાળતી વખતે અકસ્માતે કુવામાં પડી જતા પરપ્રાંતીય યુવતીનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ બનાવમાં જ્યારે તેની બહેન કુવામાં જોવા ગઈ ત્યારે બહેન કૂવામાં પડી ગઈ હોવાનું માલુમ પડ્યું હતું.બાદમાં ફાયર બ્રિગેડના સ્ટાફે ચાર કલાકની જહેમત બહાર યુવતીનો મૃતદેહ બહાર કઢાયો હતો.

વધુ વિગત મુજબ,મુળ મધ્યપ્રદેશ હાલ રાજકોટ જામનગર રોડ પર ન્યારા ગામ પાસે જેઠુરભાઇ રાઠોડની વાડીએ મજુરીકામ કરતા પરિવારની કરમા જેમલભાઇ વાસકડીયા(ઉ.વ.20) આજે વહેલી સવારે તેની બહેન સવીતા સાથે વાડીમાં પાણી વાળવા માટે ગઇ હતી.કુવાની મોટર ચાલુ કરતા નળીમાં પાણી આવતુ ન હોઇ તેથી કરમા કુવા પાસે જતા તેમનો પગ લપસી જતા કૂવામાં પડી ગઇ હતી.બાદમાં બહેન કરમાનો અવાજ સાંભળી બહેન સવીતા કુવા પાસે આવીને જોતા કરમા કુવામાં પડી ગઇ હોવાની ખબર પડતા દેકારો કરી મુકતા ત્યાં પરિવારજનો દોડી આવ્યા હતા.

બાદમાં બનાવ અંગે કોઇએ ફાયરબ્રિગેડને જાણ કરતા રેલનગર ફાયરબ્રિગેડ સ્ટેશનના ફાયરમેન વનરાજસિંહ પરમાર તથા વિજયભાઇ, રાહુલભાઇ મુનીયા અને રાજેશભાઇ આંબલીયા સહિતે ઘટના સ્થળે પહોંચી ચાર કલાકની જહેમત બાદ યુવતીને બેભાન હાલતમાં કુવામાંથી બહાર કાઢી હતી. બાદ 108 માં જાણ કરતા 108ની ટીમ સ્થળ પર પહોંચી તપાસ કરી તબીબે યુવતીને મૃતજાહેર કરી હતી.પોલીસને બનાવની જાણ કરતા યુનિવર્સિટી પોલીસ મથકના જયશ્રીબેન ડાંગર અને સ્ટાફ બનાવ સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી.મૃતક કરમા ત્રણ બહેન અને એક ભાઇમાં વચેટ હતી તેના પિતા અને માતા મજુરી કામ કરે છે યુવતીના મૃત્યુથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.

Continue Reading

ગુજરાત

રાજકોટના તત્કાલીન ડીસીપી પ્રવીણકુમાર મીણા અને અચલ ત્યાગીની CBIમાં નિમણૂક

Published

on

By

ગુજરાત કેડરના વધુ બે IPS અધિકારીઓની CBIમાં નિમણૂક કરવામાં આવી છે. અચલ ત્યાગી 2015 બેન્ચના અધિકારીની સીબીઆઈમાં નિમણૂક કરાઈ છે, જ્યારે IPS પ્રવિણ કુમાર 2016 બેન્ચના અધિકારીની પાંચ વર્ષ માટે સીબીઆઈમાં નિમણૂક કરવામાં આવી છે. અચલ ત્યાગી મહેસાણા જિલ્લા પોલીસવડા તરીકે ફરજ બજાવતા હતા. જ્યારે IPS પ્રવિણ કુમાર મીણા આણંદ જિલ્લા પોલીસવડા હતા.

IPS પ્રવિણ કુમાર સૌ પ્રથમ ગીર સોમનાથ જિલ્લામાં તલાલા ગીર ખાતે તેમના પ્રોબેશન સમય દરમિયાન ફરજ બજાવી હતી. બાદમાં દોઢ વર્ષ સુધી વિરમગામ ખાતે એએસપી તરીકે બાદમાં તેમની નિમણૂંક રાજકોટ ડીસીપી ઝોન-1 માં થઈ હતી. ત્યાં તેમણે તેમની ફરજની સાથે ડીસીપી ટ્રાફિક અને સાયબર ક્રાઇમનો વધારાનો હવાલો પણ સંભાળ્યો હતો.

પ્રવિણકુમાર મૂળ રાજસ્થાનના અલવરના વતની છે. પ્રવિણકુમારના પિતા પણ ઈન્ડીયન રેવન્યુ સર્વીસમાં પુનામાં અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. આ કારણે તેમણે પ્રાથમિક શિક્ષણ પૂના ખાતે અને ધોરણ 12 સુધીનો અભ્યાસ મુંબઈ ખાતે કર્યો હતો. બાદમાં તેમણે ઈંઈંઝ બોમ્બે ખાતેથી બી.ટેક અને એમ.ટેક.માં મિકેનિકલ એન્જિનિયરિંગની પદવી મેળવી હતી. વર્ષ 2011માં તેઓએ યુપીએસસીની તૈયારીઓ શરૂૂ કરી, જેમાં તેઓને વર્ષ 2016માં સફળતા મળતા તેઓ આઇપીએસ અધિકારી બન્યાં હતાં.

Continue Reading

Trending