Election
કોંગ્રેસ આ મંદિરનું પુનરુત્થાન ઈચ્છતી ન હતી, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમનાથમાં સંબોધી સભા
શનિવારે મુખ્યમંત્રી યોગીએ ભગવાન સોમનાથના મંદિરમાં દર્શન અને પૂજા સાથે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. તેમણે સોમનાથ, ગારિયાધાર અને સાવરકુંડલા ખાતે જાહેર સભાઓ કરી હતી.
Published
2 months agoon

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે રમખાણોનો અંત આવ્યો અને જ્યારે તેઓ વડાપ્રધાન બન્યા ત્યારે દેશમાં આતંકવાદી હુમલા બંધ થઈ ગયા. યોગીએ સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. યોગી સતત 4 દિવસથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારો માટે જાહેર સભાઓ કરી રહ્યા છે.
શનિવારે મુખ્યમંત્રી યોગીએ ભગવાન સોમનાથના મંદિરમાં દર્શન અને પૂજા સાથે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. તેમણે સોમનાથ, ગારિયાધાર અને સાવરકુંડલા ખાતે જાહેર સભાઓ કરી હતી. યોગીએ યુપીની કાયદો અને વ્યવસ્થા, સમૃદ્ધ ગુજરાતના નામે ભાજપના ઉમેદવારોને જીતાડવાની અપીલ કરી હતી.
મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, સરદાર પટેલની સૌથી મોટી પ્રતિમા અને ડૉ. આંબેડકરની પંચતીર્થને પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપ દ્વારા શણગારવામાં આવી છે. પટેલ જી સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવા માંગતા હતા, પરંતુ મુસ્લિમ વોટ બેંકના કારણે કોંગ્રેસ ક્યારેય હિંદુ આસ્થાને માન આપવા માંગતી ન હતી. કોંગ્રેસ સોમનાથ મંદિરને પુનર્જીવિત કરવા ઈચ્છતી ન હતી, પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રબળ ઈચ્છાશક્તિએ તે શક્ય બનાવ્યું. કોંગ્રેસે તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદને અહીં કાર્યક્રમમાં આવવાથી રોકવાનો પ્રયાસ કર્યો હતો.
કોંગ્રેસ બાબાસાહેબને ચૂંટણીમાં હરાવવા માટે તમામ પ્રયાસો કરતી હતી. 1990માં ભગવાન સોમનાથના આશીર્વાદ સાથે અયોધ્યા સુધીની રથયાત્રા શરૂ કરવામાં આવી હતી. ભગવાન સોમનાથના ચરણોમાં જે સંકલ્પ લેવાયો હતો, ભવ્ય રામ મંદિરનું નિર્માણ તેની પરાકાષ્ઠા છે. લોકો કહેતા હતા કે રામ મંદિર બનશે ત્યારે લોહીની નદીઓ વહેશે, હું કહેતો હતો કે મચ્છર પણ નહીં મરશે.
તેમણે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં ભારતની ધરોહરને નવી ઉંચાઈ પર લઈ જવાનું કામ ચાલી રહ્યું છે. દેશ એ અમર શહીદો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી રહ્યો છે જેમણે વારસાના સન્માન સાથે આઝાદી માટે સર્વસ્વ બલિદાન આપ્યું. યોગીએ કહ્યું કે આમ આદમી પાર્ટીનું મોડલ દિલ્હીથી અહીં આવ્યું છે.
તે આતંકવાદનો સહાનુભૂતિ ધરાવે છે, રામ મંદિરનો વિરોધ કરે છે. જ્યારે ભારતીય સેના પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈક કરે છે ત્યારે તે બહાદુર સૈનિકો પાસેથી પુરાવા માંગે છે. પાકિસ્તાન કહેતું હતું કે ભારતીય જવાનોએ અમારી કમર તોડી નાખી, આમ આદમી પાર્ટીને પુરાવા જોઈએ છે.
You may like
-
જુનિયર કલાર્કની પરીક્ષાનું પેપર લીક મામલા નું એ.પી સેન્ટર વડોદરા ATS ની ટીમે કોચિંગ સેન્ટરના સંચાલક સહિત 15 લોકોની અટકાયત કરી
-
ફરી જુ.ક્લાર્કનુ પેપર ફૂટતા પરીક્ષા રદ,લાખો બેરોજગારો સાથે ક્રૂર મજાક,સરકારની આબરૂના ભડાકા
-
સરકારનું ઠોસ કદમ : સોશિયલ મીડિયાના સુરક્ષિત ઉપયોગ માટે માર્ચથી ફરિયાદ અપીલ સમિતિઓ થશે કાર્યરત
-
રાખી સાવંતની માતાનું નિધન,બ્રેઈન ટ્યુમરની બીમારીથી પીડિત હતા
-
IND VS NZ : લખનૌમાં આવતીકાલે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી T20 મેચ,જાણો સંભવિત પ્લેઇંગ-11
-
ગુજરાતી સાહિત્ય જગત શોકમય, હાસ્ય લેખક મધુસૂદન પારેખ ‘પ્રિયદર્શી’નું 100 વર્ષની વયે નિધન
Election
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી જીતવા હથિયારો સજાવતું ‘આપ’
Published
4 weeks agoon
January 4, 2023By
Minal
રણનીતિ ઘડવા બેઠક યોજાઇ, તાલુકાથી રાજ્ય સ્તર સુધી સંગઠન મજબૂત કરવા નિર્ણય
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતાં. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની રેલીમાં સેંકડો લોકો જોડાતા હતાં. તે છતાં પણ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવી જેવા નેતાઓને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ ચૂંટણીમાં રાજકીય નિષ્ણાંતોના મતે આમ આદમી પાર્ટીના કારણે જ કોંગ્રેસને કારમો પરાજય મળ્યો છે. પરંતુ હવે આગામી લોકસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી ફરીવાર સક્રિય થઈ ગઈ છે. સંગઠનને મજબૂત કરવા તેમજ આગળના કાર્યક્રમો માટે આમ આદમી પાર્ટીના હોદ્દેદારોની એક બેઠક મળી હતી.
આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ એક બેઠકમાં આગામી કાર્યક્રમો અંગે ચર્ચાઓ કરી હતી. તેમજ સંગઠનને વધુ મજબૂત કરવા માટે શું કરવું જોઈએ તેની વિગતો મેળવી હતી. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ ટ્વિટર પર ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના આગળના કાર્યક્રમો તેમજ સંગઠનમાં વધુ મજબૂતી લાવવાના આયોજન સંદર્ભે મિટિંગ મળી હતી. તેમણે મીટિંગના કેટલાક ફોટો પણ ટ્વિટર પર ટ્વીટ કર્યાં હતાં.
હાલમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતની ચૂંટણી લડીને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મેળવી લીધો છે. ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીએ વીસાવદર, ગારિયાધાર, જામજોધપુર, બોટાદ અને ડેડીયા પાડા બેઠક પરથી જીત મેળવી છે.
Election
કોંગ્રેસની હારના કારણો: નબળુ સંગઠન, મિસમેનેજમેન્ટ, પ્રચારનો ઓછો સમય
Published
1 month agoon
December 19, 2022By
Minal
ભાજપે પાણીની જેમ પૈસા વાપર્યાનો અને સરકારી મશીનરીનો બેફામ દુરુપયોગ કર્યોનો આરોપ, પ્રદેશ કોંગ્રેસ દ્વારા કારમા પરાજયનું અંતે પોસ્ટમોર્ટમ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસે અત્યાર સુધી રાજ્યમાં આટલુ ખરાબ પ્રદર્શન ક્યારેય કર્યુ ન હતું. એક સમયે સૌથી વધુ વિધાનસભા બેઠક જીતવાનો રેકોર્ડ તોડનાર કોંગ્રેસ માત્ર 17 સીટમાં સમેટાઈ ગઈ છે. ત્યારે હવે વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસની સમીક્ષા કરી છે.
ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવો કોંગ્રેસમાં ખેલ ચાલી રહ્યો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કર્યા બાદ કોંગ્રેસે આખરે હારનો રિપોર્ટ તૈયાર કર્યો છે. જગદીશ ઠાકોર આ હારનો રિપોર્ટ હાઇકમાન્ડને સોંપશે. તમને જણાવી કે વિધાનસભા ચૂંટણીની હાર બાદ કોંગ્રેસની સમિક્ષા બેઠકો યોજાઈ હતી. જેમાં ઝોન પ્રમાણે વિધાનસભાના ઉમેદવારો અને ધારાસભ્યો સાથે બેઠક થઇ હતી. જેમાં કોંગ્રેસની હારના અનેક કારણો સામે આવ્યા છે. કોંગ્રેસના હારના કારણોમાં નબળુ સંગઠન અને બુથ સ્તરનું મીસમેનેજમેન્ટ, સરકારી મશીનરનો બેફામ દુર ઉપયોગ, ત્રીજા પક્ષના કારણે કોગ્રેસના કમીટેડ મતમાં થયેલુ વિભાજન, ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીમાં પાણીની જેમ વાપરેલા રૂૂપિયા, ઉમેદવારો જાહેર કરવામાં થયેલો વિલંબ અને પ્રચારનો ઓછો સમય જેવા પ્રાથમિક કારણોનો એક રિપોર્ટ બનાવ્યો છે.
2017 ની વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના દમ પર કોંગ્રેસે 77 બેઠકો હાંસિલ કરી હતી. જેમાંની 95 ટકા બેઠકો 2022 ની ચૂંટણીમાં ગુમાવવી પડી છે. આખરે આવુ કેવી રીતે થયું, મતદારોનો મિજાજ કેમ બદલાયો, આખરે કેમ કોંગ્રેસના મતદારો ભાજપ તરફ વળ્યા, તે વિશે કોંગ્રેસે મંથન કર્યું. સૌરાષ્ટ્રમાં થયેલ હાર અંગે ઉમેદવારો સાથે ચર્ચા કરી હતી. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની સૌરાષ્ટ્રના હારેલા ઉમેદવારો સાથે બેઠક કરી હતી. તેમજ હાર અંગે કોંગ્રેસના ઉમેદવારોએ કારણો રજુ કર્યા હતા.
હારેલા ઉમેદવારોએ પ્રદેશ પ્રમુખ સમક્ષ વિધાનસભા બેઠકનો રિપોર્ટ રજુ કરાયો છે. જેમાં કોંગ્રેસ સંગઠનની નિષ્ક્રિયતા, કોંગ્રેસ નેતાઓની જ પક્ષ વિરોધી પ્રવૃત્તિ સહિતના કારણો રજુ કરાયા છે. સૌરાષ્ટ્ર ઝોનની કોંગ્રેસની સમીક્ષા બેઠક પૂર્ણ થઈ હતી.
બેઠક બાદ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઋત્વિજ મકવાણાએ જણાવ્યું કે, આ ચૂંટણીમાં અસામાજિક તત્વોનો ચૂંટણીમાં ભરપૂર ઉપયોગ કરાયો હતો. ઇવીએમમાં કયા વિસ્તારમાં કોને કેટલા મત મળ્યા એ ખબર પડી જાય છે. ઇવીએમની મર્યાદાના કારણે ભાજપ જ્યાં ઓછા મત મળે એમને ટાર્ગેટ કરે છે. મતદારોએ ડરના માર્યા ભાજપને મત આપ્યો હતો. ત્યારે કોંગ્રેસ જનતા વચ્ચે જઇ લડાઈ લડશે. જ્યાં ભાજપને મત મળતા નથી, ત્યાં ભાજપના અસામાજિક તત્વો, વહીવટી તંત્ર, ભાજપના હોદેદ્દારો સામ-દામ દંડ ભેદથી વોટ લાવે છે. મતદાનની ગુપ્તતા જળવાતી નથી. ડરના માર્યે લોકોને ભાજપને વોટ આપવો પડે છે તેવી પરિસ્થિતિ ઉભી થાય છે.
કોંગ્રેસની હારના કારણો
4 નબળુ સંગઠન અને બુથ સ્તરનુ મીસમેનેજમેન્ટ
4 સરકારી મશીનરનો બેફામ દુર ઉપયોગ
4 ત્રીજા પક્ષના કારણે કોગ્રેસના કમીટેડ મતમાં થયેલુ વિભાજન
4 ભારતીય જનતા પાર્ટી દ્વારા ચુટણીમાં પાણીની જેમ વહેડાવેલ રૂૂપિયા
4 ઉમેદવારો જાહેર કરવામાં થયેલો વિલંબ અને પ્રચારનો ઓછો સમય
4 પ્રચાર-પ્રસાર માટે કોંગ્રેસ ઉમેદવારોને ઓછો સમય મળ્યો
4 ભાજપ રૂૂપિયાના રેલમછેલથી ચૂંટણી લડયું
4 વહીવટી તંત્ર પાર્ટીનાં વ્યક્તિ તરીકે લડી રહ્યું હતું
4 ભાજપે જ્યાં મત ઓછા મળ્યાં તે વિસ્તારોને ટાર્ગેટ કર્યાં
Election
રાજકોટની 8 બેઠકની ચૂંટણીમાં 14 કરોડનો ખર્ચ !
Published
1 month agoon
December 16, 2022By
Minal
એક મતદાન મથક દીઠ સરેરાશ 60 હજારનો થયો ખર્ચ; ગત ચૂંટણી કરતા 10 થી 15 હજાર બૂથ દીઠ ખર્ચ વધ્યો : ચૂંટણી પંચ પાસેથી ગ્રાંટ મગાઈ
રાજકોટ શહેર સહિત જિલ્લાની 8 વિધાનસભા બેઠકમાં તાજેતરમાં થયેલી ચૂંટણી પાછળ સરકારી તંત્રને આશરે 14 કરોડનો ખર્ચ થયો છે. મતદાન મથક ખાતે મતદારો માટે ઉભી કરવામાં આવેલી સુવિધા પાછળ ખર્ચની ચુકવણી કરવા માટે ચૂંટણી પંચ પાસેથી ગ્રાંટ માંગવામાં આવી છે.
રાજકોટ શહેરમાં 1143 સહિત જિલ્લામાં 2264 મતદાન મથક છે તેમાં મતદાનના દિવસે મંડપ, પાણી, રેમ્પ, સ્ટાફ, વિડિયોગ્રાફી સહિતની સુવિધા ઉભી કરવામાં આવી હતી. બુથ ઉપર મતદારોને કોઈ અગવડતા ન પડે તે માટે એક બુથ દીઠ સરેરાશ રૂા.60 હજારનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું ચૂંટણી શાખાના સુત્રોએ જણાવ્યું હતું.
સામાન્ય રીતે એક મતદાન મથક દીઠ ચૂંટણી પંચ દ્વારા ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવતી હોય છે ગત વિધાનસભાની ચૂંટણીમાં પંચે 40 હજાર સુધીનો ખર્ચ કરવાની મંજુરી આપી હતી પરંતુ રાજકોટ શહેર-જિલ્લામાં અનેક બુથમાં ખર્ચ ઓછો થયો હતો. જ્યારે અમુક બુથમાં ખર્ચ વધી ગયો હતો. જો કે ગત ચૂંટણીમાં એક બુથ દીઠ સરેરાશ 50 હજાર આસપાસ ખર્ચ કરવામાં આવ્યો હતો.
આ વખતે સરકારી તંત્રને મોંઘવારી નડી હોય તેમ ગત વખત કરતા આ વખતે એક બુથ દીઠ સરેરાશ 10 થી 15 હજાર સુધીનો વધુ ખર્ચ થયો છે જો કે હજુ સત્તાવાર રીતે ખર્ચના હિસાબો રજુ કરવામાં આવ્યા નથી પરંતુ આગામી સોમવાર સુધીમાં તમામ 8 વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી અધિકારી દ્વારા ખર્ચના હિસાબ રજુ કરી દેવામાં આવશે.
અત્યાર સુધીમાં ચૂંટણી પંચ દ્વારા રાજકોટ જિલ્લા વહીવટી તંત્રને ખર્ચ પેટે માત્ર અઢી કરોડ રૂપિયાની ગ્રાંટ ફાળવવામાં આવી છે આઠ વિધાનસભા બેઠકમાં સરકારી તંત્રને રૂા.13.59 કરોડનો ખર્ચ થયો હોય વધુ 10 કરોડનું ચુકવણુ કરવા માટે પંચ પાસે ગ્રાંટની માંગણી કરવામાં આવી છે.
અડધા સ્ટાફને ચુકવણુ બાકી
ચૂંટણી કામગીરી માટે રોકાયેલ 8000થી વધુ સ્ટાફમાંથી 50 ટકા સ્ટાફને કામગીરીનું વળતર ચુકવી દેવામાં આવ્યું છે. પી-1ને રૂા.1650 (4 દિવસ) અને પી-2 ને રૂા.1500નું મહેનતાણુ આપવામાં આવે છે. ચૂંટણી પંચે ગ્રાંટ રીલીઝ નહીં કરતા 50 ટકાથી વધુ સ્ટાફને મહેનતાણુ ચુકવાયું નથી.
એડિટર ની ચોઈસ

રાખી સાવંતની માતાનું નિધન,બ્રેઈન ટ્યુમરની બીમારીથી પીડિત હતા

IND VS NZ : લખનૌમાં આવતીકાલે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી T20 મેચ,જાણો સંભવિત પ્લેઇંગ-11

ગુજરાતી સાહિત્ય જગત શોકમય, હાસ્ય લેખક મધુસૂદન પારેખ ‘પ્રિયદર્શી’નું 100 વર્ષની વયે નિધન

નવું નામકરણ : રાષ્ટ્રપતિ ભવનનું મુગલ ગાર્ડન હવે’અમૃત ઉદ્યાન’તરીકે ઓળખાશે

ભૂલકાંઓ ભગવાનનું રૂપ, ઇશ્ર્વરે મને આપ્યું તે તેમના ચરણોમાં અર્પણ કરું છું: ઉદય કાનગડ

નાટ્યકાર ભરત યાજ્ઞિકને શ્રી શ્રી રવિશંકરજી દ્વારા પ્રથમ ‘કલા-સારથી’ એવોર્ડ એનાયત
ગુજરાત

નવું નામકરણ : રાષ્ટ્રપતિ ભવનનું મુગલ ગાર્ડન હવે’અમૃત ઉદ્યાન’તરીકે ઓળખાશે

ભૂલકાંઓ ભગવાનનું રૂપ, ઇશ્ર્વરે મને આપ્યું તે તેમના ચરણોમાં અર્પણ કરું છું: ઉદય કાનગડ

નાટ્યકાર ભરત યાજ્ઞિકને શ્રી શ્રી રવિશંકરજી દ્વારા પ્રથમ ‘કલા-સારથી’ એવોર્ડ એનાયત

5 ફેબુ્રઆરીએ સાઈક્લોફનમાં રાજકોટ બનશે સાઇક્લમય

કોઠારિયા રોડ મજુર યુવાનની ઠંડા કલેજે હત્યા કરનાર આરોપી તામિલનાડુથી ઝડપાયો

આરોગ્ય સેવા સાથે સંકળાયેલા કર્મયોગીઓનું રાષ્ટ્રીય પર્વ પર બહુમાન
સ્પોર્ટસ

5 ફેબુ્રઆરીએ સાઈક્લોફનમાં રાજકોટ બનશે સાઇક્લમય

કોઠારિયા રોડ મજુર યુવાનની ઠંડા કલેજે હત્યા કરનાર આરોપી તામિલનાડુથી ઝડપાયો

આરોગ્ય સેવા સાથે સંકળાયેલા કર્મયોગીઓનું રાષ્ટ્રીય પર્વ પર બહુમાન

નિંભર તંત્ર નહીં જાગે, શહેરમાં ખાડો દેખાય તો મને ફોન કરો: રાજપૂત

બેકારીથી કંટાળી બીસીએના વિદ્યાર્થીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
