Site icon Gujarat Mirror

નૈનિતાલમાં મધરાત્રે કોમી રમખાણો ફાટી નીક્ળ્યા, દુકાનોમાં તોડફોડ-લાઠીચાર્જ

 

નૈનીતાલમાં ગઇકાલે ત્રણ કલાક સુધી રમખાણો થયા હતા. યુવતી પર બળાત્કાર થતાં લોકો ગુસ્સે ભરાયા હતા. અન્ય સમુદાયોની દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી. દુકાનદારોનો પીછો કરીને માર મારવામાં આવ્યો. પથ્થરમારો પણ થયો હતો. પોલીસે લાઠીચાર્જનો આશરો લીધો હતો. હાલમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ છે.

સામાન્ય રીતે શાંત રહેતા નૈનિતાલ શહેરમાં રાત્રે લગભગ 9:30 થી 12:30 વાગ્યા સુધી રસ્તાઓ પર અંધાધૂંધી ચાલી. જ્યારે ઉસ્માન નામના એક જૂના કોન્ટ્રાક્ટર દ્વારા એક છોકરી પર બળાત્કારનો મામલો પ્રકાશમાં આવ્યો,ત્યારે આ સમાચાર શહેરમાં આગની જેમ ફેલાઈ ગયા. મલ્લીતાલના રસ્તાઓ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા. આ પછી, હિન્દુ સંગઠનોએ મુસ્લિમ સમુદાયના લોકોની દુકાનોમાં તોડફોડ શરૂૂ કરી દીધી. વિરોધ કરનારાઓનો પીછો કરીને માર મારવામાં આવ્યો.

સાંપ્રદાયિક તણાવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારે પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું. ધરપકડ કરાયેલા આરોપીઓને તેમને સોંપવાની માંગ સાથે ટોળાએ મલ્લીતાલ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો. લોકો આરોપીને પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી બહાર કાઢવા માંગ કરી પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું.

આ દરમિયાન પાકિસ્તાન મુર્દાબાદના નારા પણ લાગ્યા. કેટલાક લોકોએ ધાર્મિક સ્થળના દરવાજા પર પથ્થરમારો પણ કર્યો. આના પર પોલીસે લાઠીચાર્જ કરીને ભીડને વિખેરી નાખી. આ રમખાણ દરમિયાન ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ગુસ્સે ભરાયેલા ટોળાએ ગાડી પડવાણ બજારમાં પાર્ક કરેલા વાહનો તોડી નાખ્યા. દુકાનોની સામે રાખેલો સામાન પણ અહીં-ત્યાં ફેંકી દેવામાં આવ્યો. ઘણા ઘરો પર ઈંટો અને પથ્થરો પણ ફેંકવામાં આવ્યા હતા. આ દરમિયાન ઘણા ઘરોના કાચ તૂટી ગયા. ત્યારબાદ પોલીસે ત્યાંથી અરાજકતા ફેલાવી રહેલા લોકોને ભગાડી દીધા.

Exit mobile version