Breaking News
પોરબંદરના ખાતે ચૂંટણી બંદોબસ્તમાં આવેલા IRB જવાનો વચ્ચે અથડામણ, ફાયરિંગમાં બેનાં મોત,બેને ગંભીર ઈજા
Published
2 months agoon

પોરબંદર નવી બંદર ખાતે ખાતે ચૂંટણી બંદોબસ્તમાં આવેલા IRBના જવાનો વચ્ચે ઝઘડો થતાં સામ સામે ફાયરિંગ થતા બે જવાનોના ઘટના સ્થળે મોત બે ની હાલત હાલ ગંભીર પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર સાંજે 07:00 વાગ્યાની આસપાસ પોરબંદર ખાતે આવેલ નવી બંદર સાયકલલોન સેન્ટર ખાતે ચૂંટણી બંદોબસ્તમાં આવેલા IRB જવાનો વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો ઝઘડો ઝગડો ઉગ્ર બનતા બંને પક્ષે સામ સામે ફાયરિંગ કર્યા હતા જેમાં બે જવાનોના મોત થયા હતા.
બે જવાનો ને હાલ ગંભીર પહોંચી હોવાના કારણે પોરબંદરની ભાવસિંહ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે હાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓને દોડી આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે કયા કારણોસર ઝઘડો થયો છે તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે
You may like
Breaking News
પ્રજાસત્તાક દિવસ પર સુપ્રીમકોર્ટની ભેટ, 22 ભાષાઓમાં 1000થી વધુ ચુકાદાઓ જાહેર કરશે
CJIએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્ણયોના અનુવાદનું કામ પણ તેજ ગતિએ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં આ ચુકાદાઓ ઉડિયા, આસામી, ખાસી, ગારો, પંજાબી, નેપાળી અને બંગાળીમાં ઉપલબ્ધ થશે.
Published
30 mins agoon
January 25, 2023
પ્રજાસત્તાક દિવસ પર સુપ્રીમકોર્ટ દ્વારા એક શાનદાર ભેટ આપવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટ અલગ-અલગ 22 ભાષાઓમાં 1000થી વધુ મહત્વના ચુકાદાઓ જાહેર કરશે. આનાથી સ્થાનિક લોકોને આ નિર્ણયો તેમની ભાષામાં વાંચવાની તક મળશે.
CJI DY ચંદ્રચુડે બુધવારે આની જાહેરાત કરી હતી કે ઈલેક્ટ્રોનિક સુપ્રીમ કોર્ટ રિપોર્ટ્સ (E-SCR) પ્રોજેક્ટ પ્રજાસત્તાક દિવસથી બંધારણની આઠમી અનુસૂચિમાં સૂચિબદ્ધ ભાષાઓમાં કોર્ટના ચુકાદાઓ સુધી પહોંચવાનું શરૂ કરશે. CJIએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્ણયોના અનુવાદનું કામ પણ તેજ ગતિએ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં આ ચુકાદાઓ ઉડિયા, આસામી, ખાસી, ગારો, પંજાબી, નેપાળી અને બંગાળીમાં ઉપલબ્ધ થશે.
CJI DY ચંદ્રચુડે વકીલોને કહ્યું કે સુપ્રીમ કોર્ટ ગુરુવારે e-SCR પ્રોજેક્ટના એક ભાગનું અમલીકરણ શરૂ કરશે, જે શિડ્યુલમાં સૂચિબદ્ધ અમુક સ્થાનિક ભાષાઓમાં ચુકાદાઓ માટે મફત ઍક્સેસ પ્રદાન કરશે. તેમણે કહ્યું કે e-SCR સિવાય, અમારી પાસે હવે સ્થાનિક ભાષાઓમાં સુપ્રીમ કોર્ટના 1091 ચુકાદાઓ પણ છે, જે પ્રજાસત્તાક દિવસ પર ઉપલબ્ધ થશે. સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ સુપ્રીમ કોર્ટની વેબસાઇટ, તેની મોબાઇલ એપ્લિકેશન અને નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ (NJDJ) ના ચુકાદા પોર્ટલ પર ઉપલબ્ધ હશે.
બંધારણની આઠમી અનુસૂચિમાં 22 ભાષાઓ છે. જેમાં આસામી, બંગાળી, ગુજરાતી, હિન્દી, કન્નડ, કાશ્મીરી, કોંકણી, મલયાલમ, મણિપુરી, મરાઠી, નેપાળી, ઉડિયા, પંજાબી, સંસ્કૃત, સિંધી, તમિલ, તેલુગુ, ઉર્દૂ, બોડો, સંથાલી, મૈથિલી અને ડોગરીનો સમાવેશ થાય છે. ટૂંક સમયમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ આ બધી ભાષાઓમાં ઉપલબ્ધ થશે.
અગાઉ, એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે, CJI DY ચંદ્રચુડે કહ્યું હતું કે અમારો ઉદ્દેશ્ય દરેક ભારતીયની ભાષામાં સુપ્રીમ કોર્ટના ચુકાદાઓની નકલો પહોંચવાનો છે. CJIનો આ વીડિયો શેર કરતા PM નરેન્દ્ર મોદીએ લખ્યું કે આ ખૂબ જ પ્રશંસનીય વિચાર છે.
Breaking News
ભારત વિશ્વમંચ પર આત્મવિશ્વાસ ધરાવતું રાષ્ટ્ર ,રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન
રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે બંધારણના અમલથી લઈને આજ સુધીની અમારી સફર શાનદાર રહી છે. તેનાથી અન્ય દેશોને પ્રેરણા મળી છે. દરેક નાગરિક ભારતની ગૌરવગાથા પર ગર્વ અનુભવે છે.
Published
51 mins agoon
January 25, 2023
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 74માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. આ પ્રસંગે તેમનું આ પ્રથમ ભાષણ છે. તેમણે પોતાના સંબોધનની શરૂઆત દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભકામનાઓ આપીને કરી હતી. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે બંધારણના અમલથી લઈને આજ સુધીની અમારી સફર શાનદાર રહી છે. તેનાથી અન્ય દેશોને પ્રેરણા મળી છે. દરેક નાગરિક ભારતની ગૌરવગાથા પર ગર્વ અનુભવે છે.
ભારત વિશ્વ મંચ પર આત્મવિશ્વાસ ધરાવતું રાષ્ટ્ર
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે ભારત એક ગરીબ અને અભણ રાષ્ટ્રમાંથી વિશ્વ મંચ પર આત્મવિશ્વાસ ધરાવતું રાષ્ટ્ર બની ગયું છે. “બંધારણના નિર્માતાઓના સામૂહિક શાણપણના માર્ગદર્શન વિના આ પ્રગતિ શક્ય ન હોત,” આપણે બધા એક છીએ અને આપણે ભારતીય છીએ. ઘણા સંપ્રદાય અને ભાષાઓએ આપણને અલગ કર્યા નથી પણ એક કર્યા છે. અમે લોકતાંત્રિક પ્રજાસત્તાક તરીકે સફળ થયા. તે દેશનો સાર છે.
ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. સક્ષમ નેતૃત્વ અને લડાયક ભાવનાના બળ પર અમે મંદીમાંથી બહાર આવ્યા છીએ. ફરી મારી વિકાસ યાત્રા શરૂ કરી. સ્ત્રી અને પુરુષ વચ્ચે સમાનતા હવે માત્ર એક સૂત્ર નથી. આવતીકાલના ભારતને ઘડવામાં મહિલાઓ મહત્તમ યોગદાન આપશે.
G20નું અધ્યક્ષપદ મહત્વની ભૂમિકા
રાષ્ટ્રપતિ મુર્મુએ પોતાના ભાષણમાં G20નો પણ ઉલ્લેખ કર્યો હતો. કહ્યું કે G20નું અધ્યક્ષપદ સારા વિશ્વના નિર્માણમાં યોગદાન આપવામાં દેશને મહત્વની ભૂમિકા આપે છે. તેણીએ કહ્યું, હું ખેડૂતો, મજૂરો, વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોની ભૂમિકાની પ્રશંસા કરું છું. જેમની સામૂહિક શક્તિ આપણા દેશને જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુસંધાનની ભાવના અનુસાર વિકાસ કરવા સક્ષમ બનાવે છે.
Breaking News
યુવાનો દેશની આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે,પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ PM મોદી યુવાનોને મળ્યા
આ દરમિયાન વડાપ્રધાને ઉપસ્થિત યુવાનોને ખાતરી આપી કે તેઓ વિકસિત ભારતના સૌથી મોટા લાભાર્થી બનવાના છે. આજે દેશમાં યુવાનો માટે ઉપલબ્ધ નવી તકો અભૂતપૂર્વ છે.
Published
1 hour agoon
January 25, 2023
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ NCC કેડેટ્સ, NSS સ્વયંસેવકો, આદિવાસી મહેમાનો અને ઝાંખી કલાકારો સાથે વાર્તાલાપ કર્યો હતો. આ દરમિયાન વડાપ્રધાને ઉપસ્થિત યુવાનોને ખાતરી આપી કે તેઓ વિકસિત ભારતના સૌથી મોટા લાભાર્થી બનવાના છે. આજે દેશમાં યુવાનો માટે ઉપલબ્ધ નવી તકો અભૂતપૂર્વ છે. ભવિષ્ય માટે આપણા વારસાને સાચવવાની અને તેને વધારવાની જવાબદારી યુવાનોની છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ યુવાનોને સલાહ આપી હતી કે દેશના નિર્માણમાં તેમની શક્તિનું રોકાણ કરવું દેશના હિતમાં છે કારણ કે આપણા યુવાનો દેશની આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે.
આ દરમિયાન થયેલી સાંસ્કૃતિક પ્રસ્તુતિની ઝલક જુઓ –
#WATCH | PM Narendra Modi witnessed cultural performance by artists who are a part of this year's #RepublicDay Parade in Delhi
(Source: DD) pic.twitter.com/tnN3HRg6CZ
Advertisement— ANI (@ANI) January 25, 2023
પીએમ મોદીએ યુવાનોને સંબોધતા કહ્યું કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં મને યુવાનોને મળવાનો મોકો મળ્યો. યુવાનો સાથે વાતચીત કરવી મારા માટે બે કારણોસર મહત્વપૂર્ણ છે. એક કારણ કે યુવાનોમાં ઊર્જા, તાજગી, જુસ્સો અને નવીનતા હોય છે.
યુવાવર્ગ દ્વારા ફેલાયેલી તમામ સકારાત્મકતા મને સતત પ્રેરણા આપે છે. બીજું, યુવાનો દેશની આકાંક્ષાઓ અને સપનાઓનું પ્રતિનિધિત્વ કરે છે. વિકસિત ભારતના સૌથી વધુ લાભાર્થીઓ પણ યુવાનો છે. દેશના નિર્માણની સૌથી મોટી જવાબદારી પણ યુવાનોના ખભા પર છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતની યુવા પેઢી દેશની જવાબદારીઓ માટે તૈયાર છે અને પોતાની જવાબદારી નિભાવવા તૈયાર છે. NCC અને NSS એ એવી સંસ્થાઓ છે જે યુવા પેઢીને રાષ્ટ્રીય લક્ષ્યો અને ચિંતાઓ સાથે જોડે છે. કોરોના સમયગાળા દરમિયાન, NCC અને NSSના સ્વયંસેવકોએ દેશની ક્ષમતામાં વધારો કર્યો છે.
એડિટર ની ચોઈસ

કોરોનાનો સામનો કરવા માટે ત્રણ રસી લીધી હોય તો રસીના ચોથા ડોઝની જરૂર નથી, ICMR પૂર્વ વડાનું નિવેદન
રીબડા ચોકડી પાસે RTO એજન્ટનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
પ્રેમના વાયરા ફૂંકાયા : રાજકોટમાંથી બે સગીરા નાસી છૂટી
ઈકોમાં બેસાડી ઊલટીનું બહાનું કાઢી રેલવે કર્મચારીના 75 હજાર સેરવી લેનાર બેલડી ઝબ્બે

ગોંડલ રોડ એસ.ટી.વર્કશોપમાં લોલંલોલ : 1.84 લાખની કિંમતની 45 બેટરી ચોરાઈ

શ્રીનાથજી પાર્કમાં પીડબલ્યુડીના નિવૃત્ત કર્મચારી અને સિવિલ હોસ્પિટલમાં વૃદ્ધનું બેભાન હાલતમાં મોત
ગુજરાત
ઈકોમાં બેસાડી ઊલટીનું બહાનું કાઢી રેલવે કર્મચારીના 75 હજાર સેરવી લેનાર બેલડી ઝબ્બે

ગોંડલ રોડ એસ.ટી.વર્કશોપમાં લોલંલોલ : 1.84 લાખની કિંમતની 45 બેટરી ચોરાઈ

શ્રીનાથજી પાર્કમાં પીડબલ્યુડીના નિવૃત્ત કર્મચારી અને સિવિલ હોસ્પિટલમાં વૃદ્ધનું બેભાન હાલતમાં મોત

રાધાક્રિષ્ન સોસાયટીના કારખાનેદારની હત્યામાં ફરાર ભૂરો પણ પોલીસ શરણે

વિરોધપક્ષના નેતા અમિતભાઇ ચાવડાએ સંભાળ્યો ચાર્જ

હનીટ્રેપના ગુનામાં મહિલા સહિત બે આરોપી જામીન મુક્ત
સ્પોર્ટસ

રાધાક્રિષ્ન સોસાયટીના કારખાનેદારની હત્યામાં ફરાર ભૂરો પણ પોલીસ શરણે

વિરોધપક્ષના નેતા અમિતભાઇ ચાવડાએ સંભાળ્યો ચાર્જ

હનીટ્રેપના ગુનામાં મહિલા સહિત બે આરોપી જામીન મુક્ત

સૌથી અમીર લોકોની યાદીમાં ચોથા સ્થાને ગૌતમ અદાણી, મુકેશ અંબાણી ટૉપ 10 માંથી બહાર

ઘરેલુ હિંસાના કેસમાં સાસરિયાં નિર્દોષ
