Site icon Gujarat Mirror

CJI ગવઇએ તેમના અનુગામી પદે જસ્ટિસ સૂર્યકાંતની ભલામણ કરી

CJI બી.આર. ગવઈએ કેન્દ્ર સરકારને જસ્ટિસ સૂર્યકાંતના નામની ભલામણ કરી છે. વરિષ્ઠતાના આધારે, જસ્ટિસ કાંત ભારતના 53મા CJI બનશે. સરકાર ટૂંક સમયમા આ સંદર્ભમા સૂચના જારી કરે તેવી અપેક્ષા છે. જસ્ટિસ કાંત લગભગ 14 મહિના સુધી આ પદ સંભાળશે અને 9 ફેબ્રુઆરી, 2027 ના રોજ નિવૃત્ત થશે.

ભારતના મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈની નિવૃત્તિ બાદ, આગામી CJI પસંદ કરવાની પ્રક્રિયા શરૂૂ થઈ ગઈ છે. અહેવાલ છે કે CJI ગવઈએ તેમના અનુગામી તરીકે જસ્ટિસ સૂર્યકાંતનું નામ પ્રસ્તાવિત કર્યું છે. ગવઈ 23 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. ન્યાયાધીશ સંજીવ ખન્નાના નિવૃત્તિ પછી તેમણે આ પદ સંભાળ્યું.

સીજેઆઈ ગવઈએ કેન્દ્ર સરકારને ન્યાયાધીશ કાંતના નામની ભલામણ કરી છે. વરિષ્ઠતાના આધારે, ન્યાયાધીશ કાંત ભારતના 53મા સીજેઆઈ બનશે. સરકાર ટૂંક સમયમા આ સંદર્ભમાં એક સૂચના જારી કરે તેવી અપેક્ષા છે. ન્યાયાધીશ કાંત લગભગ 14 મહિના સુધી આ પદ સંભાળશે અને 9 ફેબ્રુઆરી, 2027 ના રોજ નિવૃત્ત થશે.

Exit mobile version