Site icon Gujarat Mirror

દરિયાઈ ખારાશને અટકાવતા ચેરના જંગલોનો ગુજરાતમાં સોથ વળ્યો

રાજ્યમાં 36.39 વર્ગ કિલોમીટર વિસ્તારમાં જંગલ નાશ પામ્યા, જમીનના ધોવાણ સામેનો ખતરો વધ્યો: ગ્લોબલ મેન્ગ્રુવ લાયન્સ સંસ્થાનો રિપોર્ટ

સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં દરિયાકિનારે આવેલાં ગામોની જમીનનું દરિયો આગળ વધતાં ધોવાણ થઈ જાય છે અને તેને કારણે આખાં ગામો ખાલી કરીને સ્થળાંતર કરવાની ફરજ પડે છે. આવી સ્થિતિનું જોખમ વિશ્વમાં દરિયાકિનારે આવેલાં શહેરો અને ગામો પર સર્જાય છે. તેની સામે ચેર અથવા મેન્ગ્રૂવ તરીકે ઓળખાતી વનસ્પતિથી રચાતાં જંગલો જમીનને ધોવાણ સામે રક્ષણ આપે છે. પગ્લોબલ મેન્ગ્રૂવ અલાયન્સથ નામની વૈશ્વિક સંસ્થાએ આ વર્ષે 26 જુલાઈના રોજ પ્રકાશિત કરેલ પધ સ્ટેટ ઑફ ધ વર્લ્ડઝ મેન્ગ્રૂવ્ઝ, 2024થ રિપોર્ટમાં એવું અવલોકન કર્યું કે વિશ્વમાં ચેરનાં જંગલ ઘટી રહ્યાં છે. તેની પાછળનાં કારણોમાં ઝીંગા ઉછેર સહિતની મત્સ્યઉછેર પ્રવૃત્તિઓ અને વાવાઝોડાં જેવાં કુદરતી પરિબળો રહેલાં છે.

આ અને કેટલાંક સ્થાનિક પરિબળોને કારણે ગુજરાત સહિત ભારતના પશ્ચિમ કાંઠાનાં ચેરનાં વન એકદમ પડી ભાંગે તેવું જોખમ સર્જાયું છે. આ આંતરરાષ્ટ્રીય રિપોર્ટના પાંચ મહિના બાદ કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે 21 ડિસેમ્બરે જાહેર કરેલા પઇન્ડિયા સ્ટેટ ઑફ ફોરેસ્ટ રિપોર્ટ (આઈએસએફઆર), 2023માં જણાવાયું છે કે ગુજરાતમાં બે વર્ષની અંદર 36.39 વર્ગ કિલોમીટર વિસ્તારમાંથી ચેરનાં જંગલ નાશ પામ્યાં છે. આઈએસએફઆર, 2023 મુજબ ભારતમાં 4991. 68 વર્ગ કિલોમીટરમાં ચેરનાં વન છે. પરંતુ, આ વિસ્તાર 2021ના રિપોર્ટમાં નોંધાયેલા 4999.11 વર્ગ કિલોમીટર વિસ્તારની તુલનાએ ઓછો છે. આમ, બે વર્ષમાં દેશમાં ચેરના વનવિસ્તારમાં 7.43 વર્ગ કિલોમીટરનો ઘટાડો થયો. પરંતુ, આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં ચેરનાં જંગલનો વિસ્તાર 36.39 વર્ગ કિલોમીટર જેટલો ઘટીને 1164.06 વર્ગ કિલોમીટર થઈ ગયો. ભારતનાં કોઈ પણ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશના ચેર વનવિસ્તારમાં નોંધાયેલો આ સૌથી મોટો ઘટાડો છે.

ગંગા, બ્રહ્મપુત્રા અને મેઘના નદીઓના મુખત્રિકોણ પ્રદેશમાં ફેલાયેલા અને સુંદરવન તરીકે જાણીતાં ચેરનાં જંગલો પશ્ચિમ બંગાળ રાજ્યમાં 2023ના રિપોર્ટ અનુસાર 2021.16 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલાં છે. ત્યાર પછી બીજા નંબરે ગુજરાત આવે છે.

ગુજરાતમાં કચ્છના અખાત અને ખંભાતના અખાતમાં તેમ જ સિંધુ નદીના મુખત્રિકોણ નજીકના કોરી ક્રીક વિસ્તારમાં મોટી સંખ્યામાં ચેરનાં વૃક્ષો અને છોડ આવેલાં છે. ગુજરાતના 1164.08 વર્ગ કિલોમીટરમાં પથરાયેલા ચેરના વનવિસ્તારમાં 179.09 વર્ગ કિલોમીટરમાં પથરાયેલાં મધ્યમ ગીચતા ધરાવતાં વનો અને 984.97 વર્ગ કિલોમીટરમાં પથરાયેલા ઓપન ફોરેસ્ટ એટલે કે એટલે કે પાંખી વનરાજી ધરાવતા વનવિસ્તારોનો સમાવેશ થાય છે. અહીં એ નોંધવું જરૂૂરી છે કે કુલ વિસ્તારનો 40 ટકા કે તેથી વધુ વિસ્તાર વૃક્ષાચ્છાદિત હોય તેવાં વનને મધ્યમ ગીચતાવાળું વન કહેવાય છે અને 10 ટકાથી વધુ પણ 40 ટકાથી ઓછું વૃક્ષાવરણ ધરાવતા વનને પાંખો વનવિસ્તાર કહેવાય છે. ગુજરાતના 33 જિલ્લામાંથી 17 જિલ્લામાં ચેરના વનવિસ્તાર આવેલા છે અને રાજ્યનાં ચેરના જંગલમાં 2003 થી 2021 સુધી સતત વધારો નોંધાયો હોવાનું એફએસઆઈના રિપોર્ટ પરથી ફલિત થાય છે.

ગુજરાતમાં સૌથી મોટો ચેરનો વનવિસ્તાર કચ્છમાં છે અને ઘટાડો પણ સૌથી વધારે આ જ જિલ્લામાં નોંધાયો છે. કચ્છમાં 2021માં 769.56 વર્ગ કિલોમીટરમાં ચેરનાં જંગલો હતાં. તેમાં બે વર્ષમાં 61.14 વર્ગ કિલોમીટરનો ઘટાડો થતા 2023માં તે 708.42 વર્ગ કિલોમીટર થઈ ગયો. તે જ રીતે ચેરના વિસ્તારવાળા બીજા સૌથી મોટા જિલ્લા એવા જામનગરમાં પણ 9.97 વર્ગ કિલોમીટરનો ઘટાડો થતા તે જિલ્લામાં મેન્ગ્રૂવનો વિસ્તાર 172.50 વર્ગ કીલોમીટરથી ઘટીને 162.53 વર્ગ કિલોમીટર થઈ ગયો છે. મોરબી અને આણંદ જિલ્લાના કાંઠાઓમાં પણ અનુક્રમે 1.04 એને 0.28 વર્ગ કિલોમીટરનો ઘટાડો નોંધાયો, પરંતુ અમદાવાદ, સુરત અને ભરૂૂચ જિલ્લાઓમાં અનુક્રમે 10.79, 7.97 અને 7.22 વર્ગ કિલોમીટરનો વધારો નોંધાતા રાજ્યના એકંદર ચેર વનવિસ્તારમાં ઘટાડો 36.39 વર્ગ કિલોમીટર સુધી મર્યાદિત રહ્યો હતો.

રિપોર્ટના આંકડા ભૂલ ભરેલ છે: રાજ્ય સરકાર

ગુજરાતના વન વિભાગમાં વન્યપ્રાણી વિભાગના અગ્ર મુખ્ય વનસંરક્ષક અને ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઑથોરિટીના સભ્ય જયપાલ સિંહે આઈએસએફઆર, 2023માં ટાંકેલ આંકડાઓમાં ભૂલ હોવાની શંકા વ્યક્ત કરી.
તેમણે કહ્યું, નસ્ત્રઆ અગાઉના રિપોર્ટમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના મેન્ગ્રૂવ વિસ્તારમાં બે વર્ગ કિલોમીટરનો ઘટાડો થયો છે. એ રિપોર્ટમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં મેન્ગ્રૂવ કવર 1177 વર્ગ કિલોમીટરથી ઘટીને 1175 વર્ગ કિલોમીટર થઈ ગયું છે. પરંતુ 2023ના રિપોર્ટમાં કહે છે કે 2021માં ગુજરાતનું મેન્ગ્રૂવ કવર 1200 વર્ગ કિલોમીટર હતું. એનો અર્થ એ થાય કે ફોરેસ્ટ સર્વે ઑફ ઇન્ડિયાએ 2021ના આંકડા સુધાર્યા છે.તેમણે ઉમેર્યું, અમારી માહિતી પ્રમાણે ગુજરાતના મેન્ગ્રૂવ કવરમાં કોઈ ઘટાડો થયો નથી કારણ કે ન તો કોઈ મોટા વાવાઝોડાં આવ્યાં છે જે મેન્ગ્રૂવ્ઝનો નાશ કરે કે ન તો કોઈ ઉદ્યોગોને આવા વિસ્તારની ફાળવણીને કારણે મેન્ગ્રૂવ્ઝનો નાશ થયો છે. એમ કહેવાય છે કે કચ્છના કોરી ક્રિક વિસ્તારમાં મેન્ગ્રૂવ્ઝનો ઘટાડો થયો છે, પરંતુ આવી કોઈ બાબત અમારા ધ્યાન પર નથી.

જોકે કેટલાક સરકારી અધિકારીઓએ તેમની ઓળખ છતી ન કરવાની શરતે જણાવ્યું કે ચેરનાં વનો પર કચ્છમાં ભારે દબાણ છે.

રાજ્યના મહેસૂલ વિભાગના આ અધિકારીએ જણાવ્યું, ખાસ કરીને મીઠું પકાવનાર અગરિયા અને ખાનગી પેઢીઓ મેન્ગ્રૂવ્ઝનો નાશ કરી તેમની જગ્યાએ મીઠાનાં અગર બનાવી દે છે. ગાંધીધામ-ભચાઉ તાલુકાઓમાંથી આવી ફરિયાદો મળે છે અને સરકાર યોગ્ય પગલાં પણ લઈ રહી છે.

Exit mobile version