Site icon Gujarat Mirror

કેન્દ્રીય કર્મીઓને દશેરાએ દિવાળી: DAમાં 3 ટકાનો વધારો

1 જુલાઈ 2025થી મોંઘવારી ભથ્થું 58 ટકા કરવાનો કેન્દ્રીય કેબિનેટનો નિર્ણય

કેન્દ્ર સરકારના કર્મચારીઓને દશેરા અને દિવાળી પહેલા મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકાર બુધવારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા (DA) માં વધારાની જાહેરાત કરી છે. મોંઘવારી ભથ્થા (DA) માં 3% સુધીનો વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે કેબિનેટની બેઠકમાં કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું (DA) વધારવાનો નિર્ણય લીધો છે.

આ DA 1 જુલાઈથી અમલમાં આવશે. સરકારે દિવાળી પહેલા લાખો કર્મચારીઓને ભેટ આપી છે. તહેવારોની મોસમની આસપાસ સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરાઈ છે. આ વધારાથી કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે.

સરકારે અગાઉ 1 જાન્યુઆરી, 2025 થી મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત (ઉછ) માં 2% વધારો કર્યો હતો, જેનો લાભ લગભગ 11.5 મિલિયન કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને મળ્યો હતો. આ વધારા બાદ, મોંઘવારી ભથ્થું મૂળ પગારના 53% થી વધીને 55% થયું છે.

દિવાળી પહેલા, કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (ઉછ) માં વધારાની મોટી જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે મોંઘવારી ભથ્થા (DA) માં આ બીજો વધારો છે. સરકાર વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થા (DA) માં સુધારો કરે છે.

કર્મચારીઓને દિવાળી પહેલા તેમના જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરના બાકી પગાર ઓક્ટોબરના પગાર સાથે મળશે. આનો અર્થ એ છે કે કર્મચારીઓ માટે નોંધપાત્ર પગાર વધારો થશે. આનાથી કર્મચારીઓ અને પેન્શનરોને તહેવારોની ખરીદીમાં વ્યસ્ત રહેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આ વધારો સાતમા પગાર પંચ હેઠળ આવરી લેવામાં આવતા તમામ કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનરો અને પરિવારના પેન્શનરોને લાગુ પડશે.

હાલમાં, કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું 55% છે. 3% વધારાની જાહેરાત સાથે જ DA વધીને 58% થશે. આ વધારો જુલાઈ 2025 થી અમલમાં છે. આનો અર્થ એ છે કે કર્મચારીઓને તેમના મૂળ પગારના 58% મોંઘવારી ભથ્થા તરીકે મળશે.

₹60,000 ના મૂળ પગારવાળા કર્મચારીઓને હાલમાં ₹33,000 મોંઘવારી ભથ્થા તરીકે મળે છે. 3% વધારા પછી, તેમને ₹34,800 મોંઘવારી ભથ્થા તરીકે મળશે. એટલે કે તેમના કુલ પગારમાં 1,800 રૂૂપિયાનો વધારો થશે.

Exit mobile version