Site icon Gujarat Mirror

દેશભરમાં આતશબાજી સાથે ઉજવણી, મીઠાઈ વહેંચી

ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર ભારત દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ સમગ્ર દેશમાં દેશમાં ઉજવણીનો માહોલ છે. રાજસ્થાનમાં પણ લોકો ઉજવણી કરતા જોવા મળ્યા. અજમેરના રસ્તાઓ પર પણ લોકોમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો. સામાન્ય નાગરિકોની સાથે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ હાથમાં ત્રિરંગો લઈને રસ્તાઓ પર ઉતરી આવ્યા.

લોકોએ કહ્યું કે ભારત સરકારે આતંકવાદીઓને તેમના ઘરમાં ઘૂસીને પાઠ ભણાવ્યો છે. અજમેરના ઘણા વિસ્તારોમાં ઉત્સવ જેવું દ્રશ્ય જોવા મળ્યું. સ્થાનિક લોકો અને પક્ષના કાર્યકરોએ ફટાકડા ફોડીને આતશબાજી કરીને ઓપરેશન સિંદૂરની સફળતાને સલામ કરી. લોકોએ કહ્યું કે મોદી સરકારે ફરી એકવાર બતાવી દીધું કે આ નવું ભારત છે, જે વાતો ઓછી અને કાર્યવાહી વધુ કરે છે.

ભાજપના કાર્યકરોએ કહ્યું કે ભારત હવે ઝૂકવાવાળો દેશ નથી રહ્યો. આ એ જ દેશ છે જે હવે દુશ્મનના એક વાર પર દસ જવાબ આપવાની ક્ષમતા ધરાવે છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સેનાનો આભાર માન્યો કે તેમને આતંકવાદીઓ સામે નિર્ણાયક કાર્યવાહી કરીને એ શહીદોને સાચી શ્રદ્ધાંજલિ આપી, જેમણે પહેલગામ હુમલામાં જીવ ગુમાવ્યો હતો.નિવૃત્ત સૈનિકોએ કહ્યું કે ભલે પહેલગામ હુમલાનો બદલો લઈ લેવામાં આવ્યો છે, ફટાકડાના અવાજ અને લોકોના ચહેરા પરની ચમક સ્પષ્ટપણે દર્શાવે છે કે દેશ આ કાર્યવાહીથી સંતુષ્ટ છે. લોકોએ કહ્યું કે આવા સાહસિક પગલાંથી જ આતંકવાદનો ખાતમો સમભાવ છે અને ભારત સુરક્ષિત રહેશે. યુપીના ગાઝિયાબાદમાં પણ હવાઈ હુમલાની ઉજવણી કરવામાં આવી રહી છે.

મીઠાઈઓ વહેંચવામાં આવી રહી છે. ત્રિરંગો ફરકાવવામાં આવી રહ્યો છે અને સેનાની વીરતાના ગીતો ગૂંજી રહ્યા છે. લોકો એકબીજાને મીઠાઈ ખવડાવીને ઉજવણી કરી રહ્યા છે. ગાઝિયાબાદના મુસ્લિમ બહુમતી વિસ્તાર કેલા ભટ્ટામાં શહીદ અશફાકુલ્લા ખાન ચોક ખાતે મુસ્લિમ સમુદાયના સભ્યો એકઠા થયા. અહીં મુસ્લિમ સમુદાયના લોકોએ ભારતીય સેના ઝિંદાબાદના નારા લગાવ્યા. લોકોએ કહ્યું કે ભારતીય સેનાએ જે કર્યું છે તે પ્રશંસનીય છે. પહેલગામમાં જે બન્યું તેનો યોગ્ય જવાબ મળી ગયો છે. ફક્ત એક વર્ગ નહીં, દરેક વર્ગ આ જીતને ભારતીયતાની જીત માની રહ્યો છે.

Exit mobile version