Site icon Gujarat Mirror

ભાજપના ‘બટેંગે તો કટેંગે’ સૂત્ર આતંકીઓની ભાષા: ખડગે

સંન્યાસીની છબી ધરાવતા યોગીની ભાષા વિખવાદજનક

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઝારખંડની છતરપુર વિધાનસભા બેઠક માટે આયોજિત ચૂંટણી રેલીમાં ઙખ નરેન્દ્ર મોદી, ઞઙના ઈખ યોગી આદિત્યનાથ, ગૃહમંત્રી અમિત શાહ અને આસામના ઈખ હિમંત બિસ્વા સરમા પર ગંભીર આક્ષેપો કર્યા હતા.


ખડગેએ કહ્યું કે, વડાપ્રધાન પોતાને પછાત વર્ગના પુત્ર કહેતા હોય છે, પરંતુ તે નીતિઓના માધ્યમથી ફોરવર્ડ વર્ગને સમર્થન આપતા રહ્યા છે, જે પછાત વર્ગને દબાવી રાખવા માટે જવાબદાર છે. ખડગેએ આક્ષેપ કર્યો કે ઙખ મોદી પછાત વર્ગના હિતોની વાતો માત્ર રાજકીય લાભ માટે છે, જ્યારે વાસ્તવિક જીવનમાં પછાત વર્ગના હિતો વિશે વિચારવા માટે તેમની પાસે કોઈ વ્યૂહરચના નથી.


ખડગેએ ઈખ યોગી આદિત્યનાથને પણ નિશાન બનાવતા કહ્યું કે, યોગી પોતાની છબી સંન્યાસી તરીકે બતાવે છે, પરંતુ જનતા વચ્ચે વિખવાદજનક ભાષા ઉપયોગમાં લે છે. ખડગેએ બટેગે તો કટેગે શબ્દોને આતંકવાદી શબ્દો તરીકે વર્ણવતા કહ્યું કે, સાચા સંત કે ઋષિની આ રીત ન હોવી જોઈએ. ખડગેએ આક્ષેપ કર્યો કે યોગી માત્ર વડાપ્રધાનની સાથે મળી લોકતંત્રના મૂલ્યોને આઘાત પહોંચાડવા માટે એવું વર્તન કરી રહ્યા છે. યોગી પર નિશાન સાધતા ખડગેએ પૂછ્યું કે શું તેઓ વડાપ્રધાનની જેમ જૂઠું બોલવા માટે ભગવા કપડાં પહેરે છે? ઋષિઓ તો દયાળુ હોય છે.


કોંગ્રેસ અધ્યક્ષે ભાજપ પર વિભાજન અને ડરાવા પર આધારિત રાજનીતિનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે ઇઉંઙ હિંદુ-મુસ્લિમ વચ્ચે ફાટા પાડીને પોતાની રાજકીય ફાયદા માટે લોકોમાં ડર ફેલાવે છે. બટોગે તો કટોગે જેવો ઉલ્લેખ કરતી ભાષાનો ઉપયોગ કરીને ભાજપના નેતાઓ લોકોમાં વિમુખતા અને અસંતોષ ફેલાવી રહ્યા છે.

Exit mobile version