મોરબી
મોરબીના ભામાશા સ્વ. ઓ.આર. પટેલની પુણ્યતિથિએ કાલે 20 સ્થળે રક્તદાન કેમ્પ
મોરબીમાં પાટીદાર સમાજના ભામાશા અને જીવનપર્યત અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરનાર સ્વ. ઓ.આર પેટલની 11મી પુણ્યતિથિએ 20થી વધુ જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજી તેમને શ્રદ્ધાંજલિ અપાશે. મોરબી જિલ્લા પાટીદાર સમાજ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોને રક્તદાન કરવાની હાકલ કરવામાં આવી છે.
મોરબીના પાટીદાર સમાજના ભામાશા સ્વ. ઓ.આર. પટેલે વિશાળ ઘડિયાળનું કારખાનું બનાવી હજારો મહિલાઓને સ્વનિર્ભર બનાવી તેમજ ક્ધયા કેળવણી ક્ષેત્રે બહેનોને શિક્ષણ આપી સ્ત્રી સશક્તિકરણ કરી તેમજ હજારો દીકરીઓ શિક્ષણ આપવા શાળા કોલેજો શરૂૂ કરી ખેડૂતોની સિંચાઈ માટે ચેકડેમ બાંધી પાણીની વ્યવસ્થા કરી જીવનપર્યત દરેક ક્ષેત્રે સેવાકીય પ્રવૃતિઓ કરવામાં જીવન સમર્પિત કરી દીધું હતું. આવા ભામાશા સ્વ. ઓ.આર.પટેલની તા.18ના રોજ 11મી પુણ્યતિથિ હોવાથી તેમની વિચારધારાને અનુસરીને સેવાકીય પ્રવૃત્તિઓ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.જે અંતર્ગત મોરબી જિલ્લા સમસ્ત પાટીદાર સમાજ દ્વારા ઓ.આર.પટેલની તા.18ના રોજ 11મી પુણ્યતિથિએ શનાળા ગામે પટેલ સમાજની વાડી ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મોરબી જિલ્લા પાટીદાર સમાજ દ્વારા 20થી વધુ સ્થળોએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. જેમાં મોરબી, હળવદ ટંકારા, અમદાવાદ, રાજકોટ સહિતના સ્થળોએ એક જ દિવસે એટલે 18મીએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે, આ બ્લડ ડોનેશન કેમ્પ સ્થાનિક સરકારી હોસ્પિટલો અને બ્લડ બેન્કના સહયોગથી યોજવામાં આવશે. અનેક રેકોર્ડ બ્રેક બ્લડ ડોનેટ થાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. જ્યારે ગરીબ દર્દીઓને ઇમરજન્સીમાં બ્લડની જરૂૂર પડે તો તાત્કાલિક બ્લડ મળી રહે તે માટે બ્લડ બેન્કોને યોગ્ય સહયોગ આપવા માટેની તજવીજ ચાલી રહી છે. અત્યાર સુધીમાં 15 બ્લડ બેન્ક તૈયાર થઈ ગઈ છે.
ગુજરાત
નકલી ટોલનાકા પ્રકરણમાં ઉમિયાધામ – સિદસરના પ્રમુખ જેરામ વાંસજાળિયા નૈતિક કારણોસર રાજીનામું આપે

સમગ્ર પાટીદાર સમાજમાં આ મુદ્દે આક્રોશ હોય આંતરરાષ્ટ્રીય ક્રુર્મી સેનાએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માંગ ઉઠાવી
તાજેતરમાં ગુજરાતના મોરબી જિલ્લામાં આવેલ વઘાસીયા ટોલનાકાને સમાંતર બીજું નકલી ટોલનાક ઊભું કરી વાહન ચાલકો પાસેથી પૈસાનું ઉઘરાણું થતું હોવાનું મામલો સામે આવતા આ જગ્યાના માલિક અમરસિંહ પટેલ સહિત અન્ય આરોપીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રકરણમાં પાટીદાર સમાજની અગ્રણી સંસ્થા ઉમિયાધામ સિદસર નાં પ્રમુખ જેરામ વાંસડિયા ના પુત્ર અમરસિંહ પટેલ મુખ્ય આરોપી હોય આ બનાવના પાટીદાર સમાજમાં ખૂબ જ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને સંસ્થાના પ્રમુખ એવા જેરામ વાંસજાળીયા સામે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે પાટીદાર સમાજની લડાયક સંસ્થા આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના દ્વારા આ ઘટનાની ગંભીરતાને લઈને કેસની ન્યાયિક તપાસમાં કોઈ અડચણ ન આવે તેમ જ સમાજની બદનામી ન થાય તે હતું થી ઉમિયાધામ શીદસરના પ્રમુખ પદેથી જેરામ વાંસજાળીયાએ તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ તેવી માંગ પત્રકાર પરિષદ યોજીને ઉઠાવવામાં આવી છે.
આ બાબતે યોજાયેલ પત્રકાર પરિષદમાં જીગ્નેશ કાલાવડીયાએ જણાવ્યું હતું કે પાટીદાર સમાજ એ રાષ્ટ્રવાદી વિચારોને વરેલો સમાજ છે. સરદાર પટેલ જેવા રાષ્ટ્રના મહાનાયકના સીધા વારસદાર તરીકે પાટીદાર સમાજે નૈતિકતાના ઉચ્ચ મૂલ્યોનું પાલન કરીને અઢારે વરણને રાહ ચિંધવાનો હોય છે ત્યારે રાષ્ટ્રની તિજોરીને સીધું નુકસાન પહોંચાડતી આ ઘટનામાં ઉમિયાધામ શીદસરના પ્રમુખ જેરામ પટેલનાં પુત્રની સીધી સંડોવણી નજરે ચડતી હોય તેઓએ નૈતિકતાની પરંપરાને અનુસરીને પોતાના પદ પરથી રાજીનામું આપીને દાખલો બેસાડવો જોઈએ આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના રાષ્ટ્રવાદને વરેલી સંસ્થા હોય તેમ જ સમાજમાં સુચારુ વ્યવસ્થા જળવાઈ રહે અને ઉત્કૃષ્ટ કોટીનું નેતૃત્વ મળી રહે તે હેતુથી પ્રેસના માધ્યમથી પાટીદાર સમાજને અપીલ કરે છે કે આ બાબતને ગંભીર ગણીને તમામ સંસ્થાના શ્રેષ્ઠિઓ તેમજ સમાજના બહેનો, માતાઓ વડીલો, યુવાનોએ સાથે મળીને એકતાનો નાદ બુલંદ કરી આ બાબતે આગળ આવવું જોઈએ. આ પત્રકાર પરિષદને સંબોધન કરતા પાટીદાર સમાજના યુવા અગ્રણી મનોજ પનારાએ જણાવ્યું હતું કે પાટીદાર સમાજ એક છે અને કાયમ માટે એક રહેવાનો જ અમારી માંગણી માત્ર અને માત્ર સમાજની એકતા અને નૈતિકતાને બનાવી રાખવાની છે સમાજ કોઈ એક વ્યક્તિની જાગીર ન બની જાય તે જોવાનું કામ આપણા સૌનું છે. આંતરરાષ્ટ્રીય કૂર્મી સેનાના ચિરાગ કાકડીયા એ આ તકે જણાવ્યું હતું કે અમે પાટીદાર સમાજના દરેક સંસ્થાના આગેવાન શ્રીઓને પણ વિનંતી કરીએ છીએ કે તેઓ પણ આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરે અને સમાજના હિતમાં જે સત્ય વાત હોય એ ઉજાગર કરે અમારી આ માંગ એ સમગ્ર પાટીદાર સમાજની માંગણી છે. સમાજના તમામ વર્ગની માગણી છે અને આ બાબતે જો યોગ્ય નિર્ણય નહી લેવાય તો અગામી દિવસોમાં આગળની રણનીતિ નક્કી કરીને અમો આગળ વધીશું.
મોરબી
લાલપર ગામની સીમમાંથી દેશી દારૂ ભરેલી 2 કાર સાથે 2 શખ્સ ઝડપાયા

મોરબી તાલુકા પોલીસ ટીમે બાતમીના આધારે લાલપર ગામની સીમમાં અને જાંબુડીયા ગામ પાસેથી દેશીદારૂૂનો જથ્થો ભરેલ બે કાર સાથે બે આરોપીને ઝડપ્યા છે તો અન્ય બે આરોપીઓના નામ ખુલતા તેને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બનાવની મળતી વિગત મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ટીમને બાતમી મળી હતી કે લાલપર ગામની સીમમાં કારમાં દારૂની હેરાફેરી થઈ રહી છે જેથી પોલીસ વોચમાં હતી તે દરમિયાન શંકાસ્પદ કાર નીકળતા પોલીસ રોકીને ચેક કરતા તેમાંથી પાંચસો લીટર દેશી દારૂ ભરેલી કાર સહીતના મુદામાલ સાથે એક આરોપી સલીમભાઇ બાબુભાઇ વિકીયાણીને ઝડપી લઈ તેમજ માલ મંગાવનાર મુસ્કાનબેન અબ્બાસભાઇ કટીયાને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બીજા બનાવની મળતી વિગત મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન જાંબુડીયા ગામની સીમમાંથી શંકાસ્પદ કાર પસાર થતા તેને રોકી ચેક કરતા તેમાંથી ચારસો લીટર દેશી દારૂ સાથેનો મુદામાલ કબજે કરી આરોપી પ્રવીણભાઈ દેવાભાઈ ઉધરેજા ઝડપી લીધો હતો જયારે અને નવઘણભાઈ કરમશીભાઈ ઉધરેજા નાસી જતા તેને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી
આમરણ- જોડિયા રોડ પર ટ્રેક્ટરની અડફેટે બાળકીનું મોત

મોરબી તાલુકાના આમરણ થી જોડીયા તરફ જતા રોડ ઉપર મેલડી માતાજીના મંદિરની સામે આવેલ ખુલ્લી જગ્યામાં ટ્રેક્ટરે હડફેટે લેતા ચાર વર્ષની માસૂમ બાળકીનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબી તાલુકાના આમરણ ગામે ટાટા -નગર હરીભાઇ પટેલના મકાનમા રહેતા નેપાલભાઈ સુનિલભાઈ વસુમીયા ઉ.વ.24 વાળાએ આરોપી ટ્રેક્ટર રજીસ્ટર નંબર – GJ-36-L-3085 ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.08-12-2023 ના રોજ સાંજના સાડા છએક વાગ્યાના અરસામાં આરોપી ટ્રેકટર નંબર – GJ-36-L-3085 ના ચાલકે પોતાના હવાલાવાળુ ટ્રેકટર કાંઇપણ જોયા વગર અને બેદરકારી થી ચલાવી ફરીયાદીની દિકરી શિવાનીબેન ઉવ-04 વાળી ને હડફેટે લઇ માથાના ભાગે ગંભીર ઇજા પોહંચાડી મોત નિપજાવી નાશી ગયો હતો. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર બાળકીના પિતા નેપાલભાઈએ આરોપી ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -279,304(અ) એમ.વી. એક્ટ કલમ-177,184 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
-
Sports3 weeks ago
કોહલી-રોહિત નહીં આ ખેલાડી છે ઓસ્ટ્રેલિયન ટીમ માટે ખતરનાક, કાંગારુ કેપ્ટને કર્યો ખુલાસો
-
LIFESTYLE1 month ago
દિવાળી પહેલા JIO નો મોટો ધમાકો: ઓછી કિંમત ને વધારે ફિચર્સ સાથે 4G મોબાઇલ કર્યો લૉન્ચ, જુઓ કેવા છે ફીચર્સ
-
પોરબંદર2 months ago
પોરબંદર પંથકના ખેડૂત નાં રૂા. 50 હજાર સેરવી લેનાર ત્રણ ઝડપાયા
-
પોરબંદર2 months ago
આરોગ્યની જાળવણી માટે ખેડૂતોએ મિલેટ્સ ધાન્યોનું વાવેતર વધારવું જોઇએ: પર્યાવરણ મંત્રી
-
પોરબંદર2 months ago
સગર સમાજની ભગીરથ જનકલ્યાણ યાત્રાનું ભાણવડ ખાતે આગમન
-
પોરબંદર1 month ago
બોટાદ જિલ્લામાં વીજતંત્ર આકરા પાણીએ : 228 કનેક્શનમાંથી રૂા. 1.11 કરોડની વીજચોરી પકડાઈ
-
પોરબંદર2 months ago
ગાંધવી સમુદ્ર કિનારે તથા ભાણવડ પાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ
-
પોરબંદર1 month ago
પોરબંદરની સ્વામિનારાયણ નર્સિંગ કોલેજના વોર્ડનના બીભત્સ શબ્દાના ઉચ્ચારથી ચકચાર