Site icon Gujarat Mirror

સૌરાષ્ટ્ર અને બરોડા ગ્રામિણ બેંકના એકિકરણથી બેન્કિંગ સેવાઓ બંધ

ભારત સરકાર દ્વારા સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક તેમજ બરોડા ગુજરાત ગ્રામીણ બેંકને એકીકરણ કરેલ હતું.જેનું એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં આ બંને બેંકના તમામ વ્યવહારો તારીખ 30.9.25 થી 03.10.25 સુધી આ બેંકોના તમામ વ્યવહારો બંધ રાખી અને બંને બેંકોને મર્જ કરવાની કામગીરી કરવાની હતી.જે બાદ 4 તારીખથી તમામ વ્યવહારો ચાલુ થઈ જશે એવું ગેઝેટ નોટિફિક્સેન દ્વારા જણાવાયું હતું.પરંતુ આજ સુધીમાં બેંકોમાં હજુ રેગ્યુલર સેવા ચાલુ થયેલ ન હતી. ફક્ત પૈસા ભરવા હોય તો ભરાઈ શકે છે પણ ઓનલાઈન ટ્રાન્સફર કે મોબાઇલ બેંકિંગ સેવા ચાલુ ન હતી. જે આજે તારીખ 8 ના રોજ પણ બંધ છે.

આમ 8 દિવસ બાદ પણ બેંકના વ્યવહારો બંધ રહેતાં ગ્રાહકો ભારે મુશ્કેલીમાં મુકાયાં છે. હાલ તહેવારોના દિવસો હોય બેંકિંગ વ્યવહારોની ખૂબ જરૂૂર વેપારી તેમજ નાગરિકોને પડે છે. પણ આ સેવા બંધ હોવાથી લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ સેવાઓ તુરંત ચાલુ થાય એ માટે સરકાર દ્વારા જહેમત ઉઠાવી જોઈએ એવું લોકો ઇચ્છી રહ્યા છે.હાલ આ સેવા બંધ હોય કરોડો રૂૂપિયાના આર્થિક વ્યવહારો અટવાઈ ગયેલ છે.

Exit mobile version