Site icon Gujarat Mirror

ઔરંગઝેબ ક્રૂર, હિંસક અને દુષ્ટ હતો, તેની કબર પર બુલડોઝર ફેરવો

 

સમાજવાદી પાર્ટી મહારાષ્ટ્રના અધ્યક્ષ અબુ આઝમીએ ઔરંગઝેબને મહાન ગણાવીને મુસીબત માથે લીધી છે. નેતાઓથી લઈને ધાર્મિક ગુરુઓ પણ તેમના નિવેદનની ટીકા કરી રહ્યા છે. તુલસી પીઠના પીઠાધીશ્વર રામભદ્રાચાર્યએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ઔરંગઝેબની કબર પર બુલડોઝર ચલાવવું જોઈએ. ઔરંગઝેબ ખૂબ જ ક્રૂર, હિંસક અને દુષ્ટ શાસક હતો.

રામભદ્રાચાર્યએ કહ્યું કે ઔરંગઝેબે હજારો પવિત્ર જનોઇ કાઢી છે . હજારો બ્રાહ્મણોના ગળા કાપ્યા છે. સમગ્ર રાષ્ટ્રનો નાશ કર્યો છે. ઔરંગઝેબ અમારા આદર્શ નથી, અમારા આદર્શ શિવાજી અને રાણાજી છે. અમારા આદર્શ ભગવાન રામ અને કૃષ્ણ છે. ઔરંગઝેબ ક્યારથી આપણા આદર્શ બન્યા? ઔરંગઝેબે ક્યાંય મંદિર બનાવ્યું ન હતું. તેણે કહ્યું કે જ્યારે તે મંદિરને ઓળંગી ન શક્યો ત્યારે તે ભાગી ગયો. બાલાજી મંદિરમાં મધમાખીઓએ હુમલો કર્યો ત્યારે પણ ભાગી ગયો.

તેણે ક્યાંય મંદિર બનાવ્યું નથી. ઔરંગઝેબની કબ્ર પર બુલડોઝર ફેરવવા માટે સંતો દ્વારા કરવામાં આવેલી માંગ ખૂબ જ સારો નિર્ણય છે. અખિલેશ યાદવે જે કાર્યવાહીને ખોટી ગણાવી છે.એ તેમની પોતાની બુદ્ધિ છે. ભગવાન જાણે તેણે કેમ સમજણ નથી પડતી.

Exit mobile version