Site icon Gujarat Mirror

અરવિંદ કેજરીવાલા અને ભગવત માન આજથી સૌરાષ્ટ્રના પ્રવાસે

આજથી ચાર દિવાના દિવસના પ્રવાસ માટે પાર્ટીના મુખ્ય સંયોજક અરવિંદ કેજરીવાલાને પંજાબના મુખ્યમંત્રી ભાગવત માન સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના પ્રવાસ આવી રહ્યા છે ત્યાં વિવિધ નેતાઓ સાથે બેઠક પણ કરશે આજે ગુજરાત પ્રવાસ પહેલાં આમદની પાર્ટી દ્વારા નગરપાલિકા તાલુકા પંચાયત અને મહાનગરપાલિકા ચૂંટણીના કેટલાક ઉમેદવારોની યાદી પણ જાહેર કરી છે.

મળતી વિગતો અનુસાર આ ચાર દિવસીય પ્રવાસ દરમિયાન રાજકોટ, અમરેલી, જામનગર (લાલપુર) અને દાહોદ (દેવગઢ બારિયા) ખાતે વિશાળ જાહેર સભાઓ સંબોધવામાં આવશે. તેમજ રાજકોટ ખાતે બે દિવસનું રોકાણ પણ કરશે.

મળતી વિગતો અનુસાર આજે સાંજે તેઓ રાજકોટ એરપોર્ટ ખાતે પહોંચ્યા ત્યાંથી સીધા ફોર્ચ્યુન પાર્ક JPS ગ્રાન્ડ હોટેલ, રાજકોટ ખાતે પહોંચશે અને ત્યાં જ રાત્રિ રોકાણ કરશે. સવારે તેઓ હેલિકોપ્ટર મારફત જૂના રાજકોટ એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે અમરેલી ખાતે APMC માર્કેટ ખાતે ખેડૂત આયોજન કરવામાં આવ્યું છે તે સભા પૂર્ણ કર્યા બાદ ફરી તેઓ રાજકોટ ખાતે આવી પહોંચવાની રોકાણ કરશે.

ત્રીજા દિવસે તેઓ રાત્રે રોકાણ કર્યા બાદ તેઓ વહેલી સવારે જામનગર ખાતે જોવા રવાના થશે અને જામજોધપુર ખાતે સભાનું આયોજન કર્યું છે જે સભામાં હાજરી આપ્યા બાદ તેઓ ત્યાંથી જામનગર એરપોર્ટ ખાતેથી વડોદરા ખાતે જવા માટે રવાના થશે વડોદરાની ITC વેલકમહોટેલ (અલકાપુરી) ખાતે પહોંચીને ત્યાં રાત્રિ રોકાણ કરશે. 27 તારીખના રોજ દાહોદના દેવગઢ બારિયા ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સભા પૂર્ણ કર્યા બાદ વડોદરા એરપોર્ટ થી તેઓ દિલ્હી જવા માટે ફરવાના થશે.

Exit mobile version