Connect with us

જુનાગઢ

જૂનાગઢ મુકામે ગિરનારની લીલી પરિક્રમા મુદ્દે સાધુ-સંતોમાં રોષ

Published

on

જૂનાગઢ કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને આજે ગિરનારની પરિક્રમાની તૈયારી અંગેની બીજી બેઠક મળી હતી જેમાં કલેકટર સહિતના જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને સાધુ સંતો તેમજ અન્ન ક્ષેત્રોના પ્રતિનિધિઓ એ યાત્રાળુ માટે જરૂૂરી વ્યવસ્થાઓ સુવિધા અંગે સંવાદ કરી પરિક્રમા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય અને યાત્રાળુઓને અગવડતા ન પડે તે માટે આખરી આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં કલેક્ટરએ જણાવ્યું હતું કે ગિરનારની લીલી પરિક્રમામાં યાત્રાળુઓની કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે સંબંધિત વિભાગોએ આયોજન કર્યું છે અને તેઓએ પોતે પણ ગિરનારની પરિક્રમા ના રૂૂટનું અધિકારીઓ સાથે નિરીક્ષણ કર્યું છે.
જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ગીતાબેન પરમારે મહાનગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અને ગિરનારની પરિક્રમામાં ખાસ કરીને ભવનાથ વિસ્તારમાં સ્વચ્છતા રહે , પીવાના પાણીની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કરાયેલા આયોજનની વિગતો આપી હતી.
આ બેઠકમાં મહંત હરિ ગીરીબાપુ, મહેશગીરી બાપુ તેમજ મહાદેવ ગીરીબાપુ સહિતના સંતો મહંતોએ જરૂૂરી સૂચનો કર્યા હતા જેમાં દતાત્રય શિખરના મહંત મહેશ ગિરી,બાપુ એ પરિક્રમા ની તૈયારીઓને લઈને બોલાવવામાં આવતી બેઠકોને લઈને આ વખતે મોડી બેઠક બોલાવવા અંગે વેધક સવાલ ઉઠાવ્યા હતા સાથે સાથે જણાવ્યું હતું કે જો તેમના સૂચનો અનુસાર પરિક્રમાનું આયોજન નહી કરાય તો કાળા વાવટા ફરકાવી અન્ન ક્ષેત્રો ચલાવાશે વિધર્મીએ મેળાને દુષિત ન કરે તે માટે તંત્ર જવાબદારી પુર્વક કામગીરી કરે તેવું જણાવ્યું હતું. આ ઉપરાંત દામોદર કુંડ સહિત વિવિધ સ્થળોએ સ્વચ્છતા જળવાઈ રહે તેમજ ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવામાં આવે તે માટે સંસ્થાઓના તિનિધિઓએ પણ સૂચનો કર્યા હતા.
ગિરનારની પરિક્રમા યાત્રાળુઓને હાર્ટ એટેક આવે તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે વ્યવસ્થાઓ કરાશે. આ ઉપરાંત કર્મચારી અધિકારીઓને સીપીઆરની ટ્રેનીંગ પણ અપાશે. પોલીસ વિભાગ દ્વારા જરૂૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવશે આ ઉપરાંત એસડીઆરએફની બે ટીમો પણ મંગાવવામાં આવી છે તેમ કલેક્ટરે જણાવ્યું હતું. વન વિભાગ દ્વારા પણ પૂરતો બંદોબસ્ત અને માર્ગો મરામત અને અન્ય સુવિધાઓ ની પણ તૈયારી કરવામાં આવી છે. બસ સ્ટેશન થી ભવનાથ સુધી એસટી વિભાગ દ્વારા 50 મીની બસ મૂકવામાં આવશે આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં 150 થી વધુ એકસ્ટ્રા બસ મુકવાનું પણ આયોજન છે.
આ બેઠકમાં યાત્રાળુઓ બહુ વહેલી પરિક્રમા શરૂૂ ન કરી દે અને પરિક્રમા ના રુટ પર જ પરિક્રમા કરે તે માટે અપીલ કરવામાં આવી હતી.
આ મિટિંગમાં મહંત હરિગીરીબાપુ, શૈલજાદેવીજી, મહાદેવ ભારતીબાપુ, મહંત મહાદેવ ગીરીજી, મુચકુંદ જગ્યાના મહંત મહેન્દ્રાનંદગીરીજી, તેમજ અન્ય સંતો મહંતો આ ઉપરાંત ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચા, માજી ધારાસભ્ય ભીખાભાઈ જોશી, અગ્રણી બટુક મકવાણા, ભાવેશભાઈ વેકરીયા, ખોડીયાર રાસ મંડળ સંસ્થાના અગ્રણીઓ, તેમજ અન્ય ક્ષેત્રોના પ્રતિનિધિઓ ગ્રાન્ટ અધિકારીઓમાં નાયબ વન સંરક્ષક શ્રી અક્ષય જોશી, ડીવાયએસપી શ્રી ઠક્કર, અધિક કલેક્ટર પી.જી. પટેલ, પ્રાંત અધિકારી ભૂમિ કેશવાલા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જુનાગઢ

લીલિયામાં આર્થિક ભીંસથી કંટાળી યુવકનો આપઘાત

Published

on

અમરેલી જિલ્લામાં આપઘાતના બનાવો છેલ્લા ઘણા સમયથી વધી રહ્યા છે ત્યારે જિલ્લાના લીલીયા તાલુકાના યુવાને આર્થિક ભીંસમાં આવી ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કરતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
વધુ વિગતો મુજબ,નાના લીલીયામાં રહેતા મનોજભાઈ નાગજીભાઈ ગોઠડીયા નામના 22 વર્ષના યુવાને આર્થિક ભીંસમાં આવી ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનું મોત નિપજયુ હતું.યુવકના મૃત્યુથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. તેમના મૃતદેહને અહીંની હોસ્પિટલમાં મોકલી પોસ્ટમોર્ટમ કરાયું હતું.આ બનાવ અંગે લીલીયા પોલીસે તપાસ આગળ ધપાવી છે.યુવક મજૂરી કામ કરી પરિવારને મદદરૂપ થતો હતો.યુવક છેલ્લા ઘણા સમયથી ગુમસુમ રહેતો હતો.તેમના મૃત્યુથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.

Continue Reading

જુનાગઢ

સૌરાષ્ટ્રમાં ગુનેગારોને હથિયાર સપ્લાય કરતો જૂનાગઢનો શખ્સ બે પિસ્તોલ સાથે ઝડપાયો

Published

on

સૌરાષ્ટ્રભરમાં રીઢા ગુનેગારોને હથિયાર સપ્લાય કરતો નામચીન ફિરોઝ ઉર્ફે લાલો કાસમ હાલા (ઉ.વ.32, રહે. નવી ચોબારી, જિ. જૂનાગઢ, હાલ રસુલપરા શેરી નં.2, કોઠારીયા સોલ્વન્ટ, હીરાબેનના મકાનમાં ભાડેથી) બે પિસ્તોલ સાથે ઝડપાયો હતો. ક્રાઈમ બ્રાંચે ઢોલરા ચોકડી પાસે વોચ ગોઠવી આરોપીને દબોચી લીધો હતો. રૂૂ.40 હજારની બે બંદૂક કબ્જે કરી ગુનો દાખલ કરાયો હતો.
ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યા મુજબ, તાજેતરમાં પોપટપરાનો કુખ્યાત આરોપી ભરત કુગશીયા હથિયાર સાથે તેની વાડીમાંથી ઝડપાયો હતો.તેની પૂછપરછમાં આ ફિરોઝ ઉર્ફે લાલાનું નામ ખુલ્યું હતું.તેની શોધખોળમાં હતા દરમિયાન બાતમી મળી હતી કે,આરોપી ઢોલરા ચોકડી પાસેથી નીકળવાનો છે.ત્યાં વોચ ગોઠવી તેને દબોચી લેવાયો હતો.લાલાની ધરપકડ કરી પૂછપરછ કરતા જાણવા મળ્યું કે,લાલો વર્ષ 2016માં જૂનાગઢના પત્રકાર કિશોર નાનાલાલ દવેની હત્યામાં સંડોવાયેલો હોય,પોલીસે ઝડપી જેલ હવાલે કર્યો હતો.તે છ વર્ષ સુધી જેલમાં રહ્યો ત્યાં ઉત્તરપ્રદેશના રીઢા ગુનેગાર રાજુ ભૈયા સાથે મુલાકાત થઈ હતી.
જેલમાંથી છૂટ્યા બાદ તેના થકી તે હથિયારના ગેરકાયદે ધંધામાં સંડોવાયો અને સૌરાષ્ટ્ર ભરમાં પોતાના હથિયાર સપ્લાયની ચેઇન બનાવી નાના મોટા રીઢા ગુનેગારોને હથિયાર વેચતો હતો.
પોતે આ પિસ્તોલ વેચવા ગ્રાહકની શોધમાં રાજકોટ બાજુ આવ્યો હતો અને પાકી બાતમી મળતા જ પકડી લેવાયો હતો.અત્યાર સુધીમાં કેટલા હથિયાર વેચ્યા? એ મુદ્દે તેના રિમાન્ડ તજવીજ હાથ ધરી છે.તેની સામે હત્યા ઉપરાંત આર્મ્સ એક્ટ,ખંડણી, મારામારી,ધમકી સહિતના 10 ગુનામાં સંડોવાયેલ છે.આ કામગીરી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ બી.ટી.ગોહિલ તથા એ.એસ.આઇ. બલભદ્રસિંહ જાડેજા, ભરતભાઇ વનાણી તથા હેડ.કોન્સ. મહિપાલસિંહ ઝાલા, કનકસિંહ સોલંકી, સુભાષભાઇ ઘોઘારી દ્વારા કરવામાં આવી હતી.

Continue Reading

Uncategorized

ગુટકા ખાવાની આદત ભારે પડી: યુવક ચાલુ બસમાંથી પટકાયો

Published

on

કેશોદના અજાળ ગામે રહેતા યુવકને ગુટકા ખાવાની આદત ભારે પડી હોય તેમ ધોરાજીથી રાજકોટ આવતી વખતે યુવાન ગુટકા ખાવા ટ્રાવેલ્સ બસના દરવાજે ઉભો રહ્યો હતો તે દરમિયાન ભરૂૂડી ટોલનાકા પાસે ચાલુ બસમાંથી નીચે પટકાતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કેશોદના અજાળ ગામે રહેતા ભાવેશ દામોદરભાઈ કનેરિયા નામનો 42 વર્ષનો યુવાન ગુરુકૃપા ટ્રાવેલ્સમાં બેસીને જઈ રહ્યો હતો ત્યારે ભરૂૂડી ટોલનાકા પાસે ચાલુ બસમાંથી પડી જતા તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં ભાવેશ કનેરિયા પોતે ટ્રાવેલ્સ બસમાં ડ્રાઇવિંગ કામ કરે છે અને ધોરાજીથી રાજકોટ આવતો હતો ત્યારે ગુટકા ખાવા ભાવેશ કનેરિયા દરવાજા પાસે ઉભો રહ્યો હતો તે દરમિયાન ચાલુ બસમાંથી નીચે પડી જતા ગંભીર ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે ગોંડલ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

Trending