Site icon Gujarat Mirror

આંધ્રના ડેપ્યુટી સીએમએ પોર્ટ પર છાપો મારી ચોખાની દાણચોરી પકડી પાડી

અભિનેતા અને રાજકારણી પવન કલ્યાણે ભારતીય સિનેમામાં માત્ર પાવર સ્ટાર તરીકે જ પોતાની ઓળખ બનાવી નથી પરંતુ તે હવે રાજકારણમાં પણ પાવર સ્ટાર તરીકે ઉભરી આવ્યા છે.તેલુગુ સિનેમાના સુપરસ્ટાર અને આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણ શુક્રવારે કાકીનાડા પોર્ટ પહોંચ્યા હતા.


ત્યાં તેમણે ઙઉજ માટે ચોખાની દાણચોરીનો પર્દાફાશ કર્યો. તેમણે આ વિશે માત્ર સોશિયલ મીડિયા પર પોસ્ટ જ નથી કર્યું પરંતુ રાષ્ટ્રીય હિત સાથે જોડાયેલા મુદ્દા પણ ઉઠાવ્યા હતા.


પવન કલ્યાણે સોશિયલ મીડિયા પર કહ્યું કે હું પીડીએસ ચોખાની ગેરકાયદેસર દાણચોરીની તપાસ કરવા કાકીનાડા પોર્ટ આવ્યો હતો. અગાઉના શાસનમાં આ કૌભાંડ ઘણું વધી ગયું હતું અને હજુ પણ ચાલુ છે.
આ બંદર બધા માટે મફત લાગે છે. કોઈ જવાબદારી નથી. કોઈ દેખરેખ નથી. તેમણે પૂછ્યું કે જિલ્લા વહીવટીતંત્ર અને કાકીનાડા પોર્ટ ઓથોરિટી આવું કેમ થવા દે છે? આ અંગે ઉંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. તેમણે જે જહાજ દ્વારા દાણચોરી થતી હતી તેને જપ્ત કરવાનો નિર્દેશ આપ્યો હતો.


ડેપ્યુટી સીએમ પવન કલ્યાણે એમ પણ કહ્યું કે આજે પીડીએસ ચોખાની દાણચોરી થઈ રહી છે અને કાલે વિસ્ફોટક અથવા આરડીએક્સ આવી શકે છે.


શું ગુનેગારો ચોખાની દાણચોરી બંધ કરશે? આપણા દેશમાં મુંબઈમાં વિસ્ફોટ અને આતંકવાદી હુમલા થયા છે. પૂર્વ ગોદાવરી જિલ્લામાં ઘગૠઈ અને ઊંૠ બેસિન જેવા મુખ્ય એકમો છે. તેથી, અમે રાષ્ટ્રના હિતમાં કડક પગલાં લઈશું.

Exit mobile version