Site icon Gujarat Mirror

સુરત બાદ પંચમહાલમાં ‘આપ’ની 50 લાખ રૂપિયાની હેરાફેરી ઝડપાઇ

વોર્ડ નં.11ના ઉમેદવાર સામે ફરિયાદ દાખલ

આમ આદમી પાર્ટીના ફંડિંગ અને હવાલા કૌભાંડમાં પોલીસ અને ઈન્કમટેક્સ વિભાગ તલસ્પર્શી તપાસ કરી રહ્યો છે.દિલ્હીથી સુરત ફંડિંગ કરવા માટે 8થી 10 જણાની સિન્ડિકેટ સક્રિય હતી.પોલીસે આ સિન્ડિકેટ ફરતે તપાસ કેન્દ્રિત કરી હોવાનું જાણવા મળે છે. ત્યારે પંચમહાલમાં પણ આમ આદમી પાર્ટીના લાખો રૂૂપિયાની હેરાફેરીનો મામલો સામે આવ્યો છે. ગોધરાની આંગડિયા પેઢી દ્વારા હવાલા મારફ્તે રૂૂપિયાની હેરાફેરી મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે.

પંચમહાલમાં આમ આદમી પાર્ટીના લાખો રૂૂપિયાની હેરાફેરીનો મામલો સામે આવ્યો છે. ગોધરાની આંગડિયા પેઢી દ્વારા હવાલા મારફતે રૂૂપિયાની હેરાફરી પકડાઈ છે. છેલ્લા 15 દિવસમાં 50 લાખથી વધુની રકમની હેરાફેરી નોંધાઈ છે. ગોધરામાં પીએમ આંગડિયા અને એમ પટેલ આંગડિયા મારફતે હેરાફેરી કરવામાં આવતી હતી. મતદારોને પ્રલોભન આપવા હવાલા મારફ્તે રકમ આવી હોવાની વિગતો સામે આવી છે. આ મુદ્દે વોર્ડ નંબર 11ના ઉમેદવાર અજય વસંતાણી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રમણ બારિયા સહિતના કાર્યકરો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

Exit mobile version