જામકંડોરણા શહેર ખાતે પરમ ભગવદીય શ્રી માધાભાઈ બાલધા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ પ્રસંગે યોજાયેલ પોથીયાત્રામાં પરિવાર સાથે ઉપસ્થિત રહીને ભાગવતજીના દર્શન કરવાનો તેમજ પ.પૂ.108 શ્રી પુરસોતમલાલજી મહારાજના આશીર્વાદ લેવાનો તેમજ હાલારી રાસ લેવાનો અલૌકિક લાભ ધારાસભ્ય જયેશ રાદડિયાએ લીધો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રાવકો પોથીયાત્રામાં ભાવપૂર્વક જોડાયા હતાં.
જામકંડોરણામાં પોથીયાત્રામાં ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા

