Connect with us

rajkot

ધોરાજીમાં વેપારીને લોન અપાવી દેવાના બ્હાને 9 લાખનું બુચ માર્યુ

Published

on

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રહેતા અને ટુ વ્હીલરનો શો-રૂમ ધરાવતા વેપારીએ પત્નીના નામે કાપડનો નવો ધંધો શરૂ કરવો હોય તેના માટે લોન લેવા જતા જૂનાગઢની ત્રિપુટીએ લોન મંજુર કરાવી દીધાબાદ 9 લાખની રકમ બારોબાર ચાંઉ કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ ધોરાજી દાતારવાડી વિસ્તારમાં રહેતા અને બગીચા ચોકમાં કેલ્વીન ઓટો એજન્સી નામના ટુ વ્હીલરનો શો-રૂમ ધરાવતા નિખિલકુમાર બાબુલાલ વઘાસિયા ઉ.વ.45 નામના વેપારીએ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે જૂનાગઢ રહેતા બિપીનભાઈ વાલજીભાઈ જાદવ, તેજાભાઈ ખીમાભાઈ ભાષા અને અબ્દુલ હારુન ભટ્ટીના નામ આપ્યા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી વેપારીને પત્નિ નિરૂપાબેનના નામે કાપડનો નવોધંધો શરૂ કરવો હોય જેના માટે લોન લેવી હોય મિત્રને વાત કરતા જૂનાગઢના બીપીનભાઈ જાદવ લોન અપાવી દેવાનું કામ કરે છે. તેવી વાત કરી હતી. ત્યાર બાદ બીપીનભાઈ જાદવને મળતા સબસીડી વાળી લોન મંજુર કરાવી દેવાની ખાતરી આપી પત્નીના નામનું આધારકાડ, પાનકાર્ડ, અને લાઈટબીલ સહિતના ડોક્યુમેન્ટ મેળવી લીધા હતા.
ત્યાર બાદ આરોપીએ જૂનાગઢમાંથી પાંચ લાખનું કોટેસન મેળવી યુકો બેંકમાં લોનની કાર્યવાહી કરી હતી અને જ્યારે રેડીમેન્ટ માલ સામાન રાખવા માટે ફર્નિચરની લોન મેળવવા રાઠોડ ફર્નિચરના લેટરપેડ ઉપર બે લાખનું કોટેશન મેળવ્યું હતું અને આ કોટેશનના આધારે યુકો બેંકમાંથી પત્નિના નામે 9 લાખની લોન મંજુર કરાવી હતી. જે રકમ જેના નામના કોટેશન રજૂ કર્યા હતા તેના નામે જમા થયા હતા.
પત્નીના નામે લોન મંજુર થયા બાદ માલ મળી જશે તેવી ખાતરી આપી ત્રણેય શખ્સો લોનની રકમ ચાંઉ કરી ગયા હતા. જે અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

rajkot

પિતાએ ઠપકો આપતા ઘરેથી નીકળી ગયેલા પડધરીનાં કિશોરનો નદીમાંથી મૃતદેહ મળ્યો

Published

on

પડધરીના મોવૈયા ગામે બાલાજી પાર્ક-રમાં રહેતાં અને 6 દિવસથી લાપત્તા સુજલ ઉર્ફે બોદુ અબ્દુલભાઈ મલેક (ઉ.વ.16)નો આજે સવારે પડધરીની ડોંડી નદીમાંથી કોહવાઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. તેણે આપઘાત કર્યાની શકયતા પોલીસે દર્શાવી છે.
પોલીસે જણાવ્યું કે,સુજલ છેલ્લા એકાદ માસથી કારખાને નોકરીએ લાગ્યો હતો.પરંતુ છેલ્લા પાંચ-છ દિવસથી નોકરી પર જવાનું બંધ કર્યું હતું. તેણે પરિવારજનોને કારખાનું બંધ હોવાનું કહ્યું હતું. પરંતુ તેના પિતાને કારખાનું ચાલું હોવા છતાં નોકરીએ નહીં જતો હોવાની માહિતી મળતાં ઠપકો આપ્યો હતો.જેથી ગઈ તા.ર8મીએ સુજલ ઘરેથી જતો રહ્યો હતો.પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી.પરંતુ કયાંયથી પત્તો નહીં મળતા શનિવારે પડધરી પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી.પોલીસ અને પરિવારજનો શોધખોળ કરતાં હતા ત્યાં રવિવારે સવારે ડોંડી નદીમાંથી સુજલનો કોહવાઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો.ડોંડી નદીના સમ્પ પાસે મૃતદેહ જોઈ સમ્પના કર્મચારીએ અન્યોને જાણ કરતાં તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢયો હતો. પડધરી પોલીસે ત્યાં પહોંચી જરૂૂરી કાર્યવાહી કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવીલમાં ખસેડયો હતો.સુજલે પિતાએ ઠપકો આપતા આ પગલું ભરી લીધાની પોલીસે શકયતા દર્શાવી તપાસ જારી રાખી છે.

Continue Reading

rajkot

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાંથી ઘેટાં-બકરા ચોરી કતલખાને વેચી નાખવાનું ષડયંત્ર ઝડપાયું

Published

on

સૌરાષ્ટ્ર કચ્છના મેલડી માતાના મંદિર માનતાના ઘેટા-બકરાની ચોરી કરી કતલખાને વેંચી નાખવાના ષડયંત્રનો પોલીસે પર્દાફાશ કરી ખેડા પંથકની ગેંગના ત્રણ શખ્સોની ધરપકડ કરી અન્ય ત્રણ શખ્સોની શોધખોમ હાથ ધરી છે. ઈનોવા કારમાં સૌરાષ્ટ્રમાં આવી રાત્રીનાં સમયે મેલડી માંના મંદિરેથી ઘેટા-બકરાની ચોરી કરી આરોપીઓ આણંદમાં કતલખાને વેંચી નાખતાં હોવાનું બહાર આવ્યું છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, અમરેલી એલસીબીને મળેલી ચોક્કસ માહિતીના આધારે નડિયાદના પરસોતમ પુંજાભાઈ તળપદા, ખેડા તાલુકાના માતર ગામના નિજામુદ્દીન મયુદ્દીન શેખ અને નડિયાદના રાજ પુનમભાઈ તળપદાની ધરપકડ કરી તેમની પાસેથી ઈનોવા કાર કબજે કરી છે.
પોલીસની પુછપરછમાં આરોપીઓએ પોતાના અન્ય ત્રણ સાગ્રીતો ખેડા પંથકનાં સંજય બાબુભાઈ તળપદા, કિશોર મનુભાઈ તળપદા અને વિપુલ વીરસંગ ભુરીયાની મદદથી સૌરાષ્ટ્રમાં એક ડઝન જેટલા સ્થળોએ મેલડી માતાના મંદિરેથી માનતાના ઘેટા-બકરાની ચોરી કરી કતલખાને વેંચી નાખ્યાની કબુલાત આપી છે.
છેલ્લા એક વર્ષ દરમિયાન ખેડા પંથકની ગેંગ ઈનોવા કાર લઈ સૌરાષ્ટ્રમાં આવી મેલડી માતાના મંદિરે માનતા બકરા કારમાં ભરી આણંદના યાસીન ગુલાબ શેખને ઘેટા બકરા વેંચી નાખતાં હતાં અને યાસીન ઘેટા બકરાની કતલ કરી નાખતો હોવાનું બહાર આવ્યું છે. આ તસ્કર ગેંગ ઘેટા બકરા 30 થી 40 હજારમાં વેંચી નાખતા હોવાનું જણાવ્યું છે.
પશુ ચોરી કરતી આ ગેંગ દ્વારા છેલ્લા એક વર્ષમાં બાબરાના મેલડી મંદિર, કાલાવડ તાલુકાના આણંદ પર ગામે, ટંકારાના અમરાપર ગામે, જામકંડોરણાના સાતોદડ અને તાજેતરમાં જ રાજકોટનાં મનહરપરા ગામે મેલડી મંદિરમાં ત્રાટકી માનતાના ઘેટા બકરાની ચોરી કર્યાની કબુલાત આપી છે. જેમાં રાજકોટનાં મનહરપરા ગામે આવેલ મેલડીમાના મંદિરે સાંજે દર્શન કરવા આવ્યા બાદ રાત્રીનાં મંદિરમાં ત્રાટકી માનતાના 7 ઘેટા-બકરા ઈનોવામાં ભરી નાસી ગયા હતાં.
આ કામગીરી અમરેલી એલસીબીના પીઆઈ એ.એમ.પટેલ સહિતના સ્ટાફે કરી અન્ય ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરી છે. પોલીસે પશુ ચોરી કરતી આ ગેંગ પાસેથી મોબાઈલ અને કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Continue Reading

rajkot

સૌરાષ્ટ્રમાંથી 15 બાઇકની ચોરી કરનાર રીઢો તસ્કર ઝડપાયો

Published

on

રાજકોટ શહેર, ભાવનગર, મોરબી, ખંભાળીયા તથા જામનગર જીલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી બાઇકની તસ્કરી કરનાર મોરબીના શખ્સને રાજકોટ ડીસીપી ઝોન.2ની એલસીબીએ ઝડપી લઈ રૂ.5.21 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીની પૂછપરછમાં રાજકોટ,જામનગર અને પડધરીના બાઇક ચોરીના ગુન્હાઓ ઉકેલાયા હતા.
વધુ વિગતો મુજબ,એલ.સી.બી. ઝોન-2 ના પીએસઆઈ આર.એચ.ઝાલાના માર્ગદર્શન હેઠળ હરપાલસિંહ જાડેજા,જયપાલસિંહ અને વિરેન્દ્રસિંહ ઝાલાની બાતમીના આધારે ચોરીથી મેળવેલ કુલ 15 બાઇક તથા ત્રણ મોબાઇલ સાથે ધનશ્યામ સવજીભાઇ દુધાત(ઉ.વ.27)(રહે- રફાળીયાનો ઢાળો ઝુંપડપટી મોરબી મુળ રહે- જંગવડ ગામ તા.જસદણ જી.રાજકોટ)ને ઝડપી લીધો હતો.આરોપી ઘનશ્યામ પાસેથી કૂલ રૂ.5.21 લાખના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.આરોપી ઘનશ્યામભાઈની પૂછપરછમાં તેણે છેલ્લા દોઢ વર્ષ દરમ્યાન રાજકોટ, જામનગર, પડધરી, ઉમરાળા, ભાવનગર, ગોંડલ, લીંબડી, ખંભાળિયા, મોરબી વગેરે શહેરોમાંથી 15 સ્પ્લેન્ડર બાઈકની ચોરી કર્યાની કબુલાત આપી હતી. આ ઉપરાંત તેની પાસેથી 3 મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા. જે પણ ચોરાઉ હોવાની શંકાના આધારે તેને કબ્જે લેવામાં આવ્યા છે. અગાઉ ઘનશ્યામ ઉપલેટા,ગોંડલ સીટી,સાબરમતી રેલ્વે અને પ્ર.નગરમાં બાઇક ચોરીમાં પકડાઈ ચુક્યો છે. આરોપી જુદા જુદા શહેરોમાં તથા જુદા જુદા વિસ્તારો માં જઇ બને ત્યાં સુધી મોડી રાત્રીનો સમય પસંદ કરી સ્પલેન્ડર મોટર સાઇકલ કે જેમાં હેન્ડલ લોક ના હોય તેવા જ બાઇકને ટાર્ગેટ કરી ચોરી કરતો હતો.

Continue Reading

Trending