National
5 વર્ષમાં તમામ ટ્રેન ઇલે.થી જ દોડશે
Published
4 years agoon
By
ગુજરાત મિરર
વિશ્ર્વના વીજળીકરણનું સૌથી મોટું નેટવર્ક ભારતમાં હશે: રેલવે પ્રધાન
નવી દિલ્હી તા.8
આગામી પાંચ વર્ષોમાં રેલ્વેની તમામ ટ્રેનો વિજળીથી જ ચાલશે અને રેલ્વેનું સો ટકા વીજળીકરણ થઇ જશે, આમ ભારતીય રેલ્વે વિશ્વમાં સૌથી જંગી નેટવર્ક ધરાવતી થઇ જશે. અત્રે આયોજીત આઠમી વર્લ્ડ એનર્જી પોલીસી સમિટમાં બોલતાં રેલ્વે મંત્રી પીયુષ ગોયલે કહ્યું હતું કે રેલ્વે ખૂબ જ ઝડપથી આખા નેટવર્કના વિજળીકરણ તરફ આગળ વધી રહ્યું છે. આશરે 55 ટકા રેલવે વીજળી દ્વારા જ ચલાવાય છે. આગામી ચાર કે પાંચ વર્ષમાં એક સો ટકા વીજળી દ્વારા ચાલતી ટ્રેનો જોવા મળશે જે આખા વિશ્વના વીજળીકરણનો સૌથી મોટો નેટવર્ક હશેથએમ ગોયલે કહ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે ઊર્જા ક્ષેત્રે નવા રોકાણ લાવવા માટે સરકારે અનેક પ્રયાસો હાથ ધર્યા હતા તેમજ અનેક પહેલ કરી હતી. વીજળી ક્ષેત્રે કરવામાં આવનાર નવા રોકાણ માટે આવકવેરામાં પંદર ટકાની રાહત મળશે.આનાથી અન્ય દેશોને પણ વીજળીકરણ કરવાનું પ્રાત્સાહન મળશે એમ તેમણે કહ્યું હતું. વર્ષ 2030 સુધીમાં રેલવે 20 જીડબલ્યુ સૌરઉર્જા ઉત્પાદન નાંખશે જે રેલ્વેને નેટ ઝીરો બનાવશે. ભારત ઊર્જી સંક્રાંતિ તરફ આગળ વધી રહ્યું હોવાનું કહીને ગોયલે કહ્યું હતું કે રહેવા માટે આ જગત એક શ્રેષ્ઠ જગ્યા છે તેના વૈશ્વિક પ્રયાસોમાં ભારત પણ એક ભાગ છે તેની ખાતરી કરાવવા ઉચ્ચકક્ષાએ તેનું મોનિટરિંગ કરાય છે.
કોલસાની દ્રષ્ટીએ આપણે વિશ્વ ઊર્જી એમિશન સ્તરને ઘટાડવા માટે પ્રતિબધ્ધ છીએ તે અંગે આપણે ખૂબ સભાન છીએ. છેલ્લા છ વર્ષોમાં કોઇ જ નવા પ્લાન્ટને મંજૂરી અપાઇ નથી એમ તેમણે કહ્યું હતું. ગોયલે એમ પણ કહ્યું હતું કે ચમકતા વીજળીના ગોળાથી એલઇડી તરફનું પ્રયાણના કારણે આપણે દર વર્ષે આઠ કરોડ ટન કાર્બન ડાયોક્સાઇડ ઘટાડી શકવામાં મદદ કરીએ છીએ.લાકડાને બાળવા અને કોલસાના ઉપયોગ જેવી પરંપરાગત રસોઇ પધ્ધતિમાંથી છુટકારો મેળવવા અને ગેસ અર્થતંત્ર તરફનું પ્રયાણ સરકાર માટે એક ખૂબ જ મહત્તવકાંશી અને સફળ યોજના છે.
આ ટેક્નોલોજીનાં કારણે પ્રદૂષણના પ્રમાણમાં પણ ઘટાડો થયો હતોથએમ તેમણે કહ્યું હતું. ગોયલે સ્વચ્છ ભારત કાર્યક્રમની પણ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે એની અસર એમિશનના સ્તર પર પડે છે પર્યાવરણીય ડીગ્રેડેશનના સ્તર પર પણ પડે છે.
You may like
National
‘મારા પર લોકોને જેલમાં ધકેલી દેવાનો આરોપ છે, તમે મને કહો કે દેશનો માલ ચોરનારા માટે સ્થાન ક્યાં હોવું જોઈએ’ G20 યુનિવર્સિટી કનેક્ટ કાર્યક્રમમાં બોલ્યા PM મોદી
Published
4 hours agoon
September 26, 2023By
ગુજરાત મિરર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારત મંડપમ ખાતે G20 યુનિવર્સિટી કનેક્ટ પ્રોગ્રામને સંબોધિત કર્યું હતું. તેમણે કહ્યું કે અમે આટલા મોટા કાર્યક્રમ G20નું સફળતાપૂર્વક આયોજન કર્યું. મને જરાય નવાઈ નથી, કારણ કે જે કાર્યક્રમ બનાવવાની જવાબદારી યુવાનો ઉપાડે છે તે ચોક્કસ સફળ થશે. તમારા લોકોના કારણે, ભારત એક સુખદ સ્થળ બની ગયું છે.ડાપ્રધાને એમ પણ કહ્યું કે મારા પર લોકોને જેલમાં ધકેલી દેવાનો આરોપ છે. તમે મને કહો કે દેશનો માલ ચોરનારા માટે ક્યાં જગ્યા હોવી જોઈએ.
આ કાર્યક્રમનું આયોજન યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી) દ્વારા કરવામાં આવ્યું હતું. IIT, IIM, NIT અને મેડિકલ કોલેજ જેવી ઘણી સંસ્થાઓએ તેમાં ભાગ લીધો હતો. આમાં દેશભરની યુનિવર્સિટીઓના લાખો વિદ્યાર્થીઓ એકબીજા સાથે જોડાયેલા છે.
પીએમ મોદીના ભાષણના મોટા મુદ્દા…
છેલ્લા 30 દિવસના કામનું રિપોર્ટ કાર્ડ આપ્યું
હું તમને છેલ્લા 30 દિવસનો રીકેપ આપવા માંગુ છું. આ તમને નવા ભારતની ઝડપ અને સ્કેલ બંને જણાવશે. 23 ઓગસ્ટના રોજ, બધા પ્રાર્થના કરી રહ્યા હતા કે બધું સારું થાય, કંઈપણ ખોટું ન થાય. પછી બધાના ચહેરા ચમકી ઉઠ્યા. ચંદ્રયાન-3 ચંદ્ર પર પહોંચવાની સાથે, 23 ઓગસ્ટ રાષ્ટ્રીય અવકાશ દિવસ બની ગયો.
છેલ્લા 30 દિવસમાં ભારતની કૂટનીતિ નવી ઊંચાઈએ પહોંચી છે. ભારતના પ્રયાસોને કારણે બ્રિક્સ સમિતિમાં 6 નવા દેશો જોડાયા. પછી હું ગ્રીસ ગયો. છેલ્લા 40 વર્ષમાં ભારતીય પીએમની આ પ્રથમ મુલાકાત હતી.
G20 સમિટ પહેલાં, મેં ઇન્ડોનેશિયામાં આસિયાન અને પૂર્વ એશિયા સમિટમાં હાજરી આપી હતી. પછી અમે G20 સમિટ યોજી. આટલા મોટા કાર્યક્રમનું આયોજન કરવું એ નાનું કામ નથી. જો તમે પિકનિક પ્લાન કરો છો તો પણ તમને ખબર નથી કે ક્યાં જવું છે.
G20 સમિટમાં જ અમે ઈન્ડિયા મિડલ ઈસ્ટ કોરિડોર બનાવવાનો નિર્ણય લીધો હતો. છેલ્લા 30 દિવસમાં 85 દેશોના રાજ્યોના વડાઓને મળ્યા. તે લગભગ અડધી દુનિયા છે. જ્યારે નવા દેશો ભારતમાં જોડાય છે, ત્યારે આપણને નવા ભાગીદારો, નવા બજારો મળે છે, આપણા દેશને આ બધાનો લાભ મળે છે. જી-20 સમિટ બાદ સાઉદી અરેબિયાની સરકારી મુલાકાત શરૂ થઈ હતી.
આ 30 દિવસમાં વિશ્વકર્મા યોજના શરૂ કરવામાં આવી હતી. તેનાથી પરંપરાગત વ્યવસાય સાથે સંકળાયેલા 18 લોકોને ફાયદો થશે. ગયા અઠવાડિયે જ સંસદ દ્વારા મહિલા અનામત બિલ પસાર કરવામાં આવ્યું હતું. એક જ દિવસમાં 9 વંદે ભારત ટ્રેનને ફ્લેગ ઓફ કરવામાં આવી, દેશમાં પહેલીવાર આટલી બધી ટ્રેનોને ફ્લેગ ઓફ કરવામાં આવી.
અમરત્વ વિશે
હું આ કાર્યક્રમમાં G20 માટે અમારા યુવાનોની પ્રશંસા કરું છું. આજે ભારત તેના અમૃત સમયગાળામાં છે, તમારા જેવા લોકો માટે આ અમૃત પેઢીનો સમયગાળો છે. અમે દેશની આઝાદીના 100 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. 2047 સુધીનો સમય એ સમય છે જેમાં યુવાનો પોતાનું ભવિષ્ય ઘડશે.
ભારતની પ્રગતિ પર
આગામી 25 વર્ષ તમારા ભવિષ્ય માટે એટલા જ મહત્વપૂર્ણ છે જેટલા દેશના ભવિષ્ય માટે છે. આવો સમય દુનિયામાં પહેલા ક્યારેય આવ્યો નથી, ન તો ભવિષ્યમાં આવવાનો મોકો મળશે. આપણે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છીએ. વિક્રમી ટૂંકા સમયમાં અમે 10મી અર્થવ્યવસ્થામાંથી 5મી અર્થવ્યવસ્થા બની ગયા. વિશ્વને ભારતમાં વિશ્વાસ છે, રોકાણ રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે. નિકાસ અને મેન્યુફેક્ચરિંગમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે. 13.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે.
આ કાર્યક્રમમાં વિવિધ 12 દેશોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો
PM મોદીએ 24 સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ LinkedIn પર G20 યુનિવર્સિટી કનેક્ટ ઇવેન્ટ વિશે એક પોસ્ટ લખી હતી. જેમાં તેણે કહ્યું કે આ ઈવેન્ટની સૌથી ખાસ વાત એ છે કે તેમાં 12 અલગ-અલગ દેશોના વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ સિવાય G20ના 10 દેશોએ પણ ભાગ લીધો હતો. તે બધા યુથ ફોર લાઈફ (લાઈફસ્ટાઈલ અને પર્યાવરણ) પર ચર્ચા કરશે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે તેઓ G20 યુનિવર્સિટી કનેક્ટ પ્રોગ્રામમાં યુવા શક્તિના અનુભવો સાંભળીને ખૂબ જ ઉત્સાહિત છે.
National
જમ્મુ કાશ્મીરના બડગામમાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા, હથિયારો સાથે ચાર આતંકીઓની ધરપકડ
Published
8 hours agoon
September 26, 2023By
ગુજરાત મિરર
મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લામાં પોલીસ અને સેનાને મોટી સફળતા મળી છે. પોલીસ, સેના અને સુરક્ષા એજન્સીઓની સંયુક્ત ટીમે હથિયારો અને દારૂગોળો સાથે ચાર શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે.
એક અધિકારીએ જણાવ્યું કે ચોક્કસ માહિતીના આધારે, અઝીમ બશીર વાનીને સૌપ્રથમ 25-26 સપ્ટેમ્બરની મધ્યરાત્રિએ બડગામ જિલ્લાના બીરવાહ વિસ્તારમાંથી પકડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન તેના કબજામાંથી ત્રણ પિસ્તોલ અને અન્ય યુદ્ધ સામગ્રી મળી આવી હતી. આ પછી, તેની માહિતીને પગલે, અન્ય ત્રણ શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.ચિનાર કોર્પ્સે સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું તેમની પાસેથી ત્રણ પિસ્તોલ અને અન્ય યુદ્ધ સામગ્રી મળી આવી હતી. આ મામલે તપાસ ચાલી રહી છે.
નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના ગડોલ જંગલ વિસ્તારમાં થોડા દિવસો પહેલા આતંકવાદ વિરોધી ઓપરેશનમાં માર્યા ગયેલા બે આતંકવાદીઓમાં લશ્કર કમાન્ડર ઉઝૈર ખાન પણ સામેલ હતો. જો કે આ એન્કાઉન્ટરમાં સેનાના ચાર વરિષ્ઠ જવાનો શહીદ થયા હતા. વાસ્તવમાં, દક્ષિણ કાશ્મીરના અનંતનાગ કોકરનામ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ સેનાના જવાનો અને જમ્મુ-કાશ્મીર પોલીસ અહીં પહોંચી હતી.
National
દિલ્હીમાં ચોરોએ કર્યું મોટું કાંડ: જ્વેલરીના શોરૂમમાં છત તોડી ચોરોએ કરી 25 કરોડની ચોરી
Published
9 hours agoon
September 26, 2023By
ગુજરાત મિરર
રાજધાની દિલ્હીમાં ચોરીની એક મોટી ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. દિલ્હીના ભોગલ વિસ્તારમાં સ્થિત ઉમરાવ જવેલરમાં મોડી રાત્રે 25 કરોડ રૂપિયાની ચોરીની ઘટના બની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચોરો દિવાલમાં છિદ્ર બનાવીને શોરૂમના સ્ટ્રોંગ રૂમમાં પહોંચ્યા હતા. રવિવારે આ ચોરી થઈ હોવાની પોલીસને આશંકા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી. હાલ પોલીસ દ્વારા શોરૂમમાં લાગેલા સીસીટીવી કેમેરાની ચકાસણી કરવામાં આવી રહી છે.
શોરૂમના માલિકના જણાવ્યા અનુસાર આશરે 20 થી 25 કરોડ રૂપિયાની ચોરી આચરવામાં આવી છે. રવિવારે તેણે દુકાન બંધ કરી ત્યાં સુધી કંઈપણ શંકાસ્પદ લાગ્યું ન હતું. સોમવારે શોરૂમ બંધ રાખવામાં આવ્યો છે. મંગળવારે સવારે જ્યારે શોરૂમ ખુલ્યો ત્યારે સૌ સ્તબ્ધ થઈ ગયા. સ્ટ્રોંગ રૂમ પાસે શોરૂમની દિવાલમાં એક મોટું કાણું જોવા મળ્યું હતું. ચોર છત અને દિવાલમાં કાણું પાડી અંદર પહોંચ્યા હતા. ચોરે શાંતિથી આ ચોરીને અંજામ આપ્યો છે. કારણ કે ચોર સોના-ચાંદીની મોટાભાગની કિંમતી વસ્તુઓ લઈ ગયા છે. શોરૂમના માલિકે જણાવ્યું છે કે તેઓ હજુ સુધી કેટલો સામાન ખોવાઈ ગયો છે તેની ગણતરી કરી શક્યા નથી પરંતુ અંદાજ છે કે ચોરો રૂ.20 થી 25 કરોડના દાગીનાની ચોરી કરી ગયા છે.
પોલીસ હાલમાં શોરૂમમાં લાગેલા સીસીટીવી ફૂટેજને સ્કેન કરવામાં વ્યસ્ત છે. આ ઉપરાંત નજીકના લોકો અને શોરૂમના સ્ટાફની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે કહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં આરોપીઓ વિશે કડીઓ શોધી લેશે.