Site icon Gujarat Mirror

કેરળમાં ફૂટબોલ ગ્રાઉન્ડમાં આતશબાજીથી 30 દાઝ્યા

કેરળથી એક દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં કેરળના મલપ્પુરમના અરીકોડ નજીક થેરાટ્ટમલ ખાતે સેવન્સ ફૂટબોલ મેચની ફાઇનલ પહેલા એક મોટો અકસ્માત થયો હતો. મેચ શરૂૂ થાય તે પહેલાં થયેલા ફટાકડામાં ઘણા દર્શકો બળી ગયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ફટાકડા ફોડવાથી ઓછામાં ઓછા 30 લોકો ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત ફૂટબોલ ગ્રાઉન્ડ પર ત્યારે થયો જ્યારે યુનાઇટેડ એફસી નેલીકુટ અને કેએમગામવુર વચ્ચે મેચ રમવાની હતી. મેચ પહેલા ફટાકડા ફોડવામાં આવ્યા હતા.

Exit mobile version