Connect with us

અમરેલી

સાવરકુંડલા નજીક ટ્રેન હેઠળ કપાઈ જતાં 24 ગાયોનાં મોત

Published

on

બનાવનાં પગલે જીવદયા પ્રેમીઓમાં અરેરાટી

અમરેલીના સાવરકુંડલામાં ટ્રેનની અડફેટે આવવાથી 24 ગાયોના મોતની અરેરાટીજનક ઘટના નીપજી છે. મહત્વનું છે કે વનવિભાગ દ્વારા ગાયોના મૃતદેહ ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી. નોંધનીય છે કે આ ઘટના સાવરકુંડલાના બાઢડા નજીક બનવા પામી હતી. જેમાં મહુવા-સુરતની પેસેન્જર ટ્રેનના અડફેટે આવતા 24 ગાયો કપાઈ મરી હતી.

આ ઘટનાની જાણ થતાં જ વનવિભાગની ટીમો આવી પહોંચી હતી અને ઘટનાની તપાસ શરૂૂ કરી દીધી હતી. બનાવની વિગતો પ્રમાણે આ ઘટના રાત્રિના સમયે બની હોવાનું સામે આવ્યું છે. રાત્રિના સુરતથી સાવરકુંડલા આવતી વેળાએ મહુવા – સુરત પેસેન્જર ટ્રેનના ટ્રેક પર ગાયો અડફેટે આવી જતા આ દુર્ઘટના સર્જાઈ હતી.

આ મામલે વનવિભાગની ટીમોએ આવીને કામગીરીને સંભાળી લીધી હતી અને રેલવે ટ્રેક પરથી ગાયોના મૃતદેહોને દૂર કરી રેલવે વ્યવહારને પુનર્વત કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે જીવદયાપ્રેમીઓમાં આ ઘટનાને લઈને ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રેલવેના ડ્રાઈવર દ્વારા આ ઘટનામાં ઈમરજન્સી બ્રેક પણ મારવામાં આવી હતી તેમ છતાં આ અકસ્માત સર્જાયો હતો.માહિતી પ્રમાણે આખો રેલવે ટ્રેક ગાયોના લોહીથી લથપથ હતો. નોંધનીય છે કે આ અગાઉ પણ આ ટ્રેક પર અડફેટે આવી જવાથી સિંહોના કપાઈ જવાની ઘટના બની હતી, અને આ વખતે ગાયો કપાઈ ગઈ છે. આ ઘટનાને લઈ જીવદયાપ્રેમીઓમાં ઘેરા શોકની લાગણી વ્યાપ્ત થઈ ગઈ છે.

અમરેલી

ગારિયાધારમાં સરકારી જમીનમાં શોપિંગ સેન્ટર બાંધનાર વિરુદ્ધ ગુનો દાખલ

Published

on

ગારિયાધારમાં આવેલ પંચમુખી હનુમાનજી મંદિર પાસે સરકારી પડતર જમીનમાં શોપિંગ સેન્ટરનું બાંધકામ કરીને જમીન પચાવી પાડનાર ગરિયાધારના શખ્સ સહિત બે ઈસમ વિરુદ્ધ ગારીયાધાર મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગર જિલ્લાના ગારીયાધાર મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા પંકજકુમાર ધીરુભાઈ બારૈયાએ ગારીયાધાર પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે,જીતેન્દ્રભાઈ વેલજીભાઈ ગોહિલ નામના અરજદારે ગત તા.6/7/2023 ના રોજ ગોવિંદભાઇ રામજીભાઈ સવાણી રહે.ગારીયાધાર અને વિવેકભાઈ પ્રવીણભાઈ માંડલીક એ ગારીયાધારની સર્વે નં.778/1/પૈકી 1 ની સરકારી જમીન કે જેનું ક્ષેત્રફળ 2934 ચોરસ મીટર થાય છે,તે પચાવી પાડેલ છે.
આ અરજી અન્વયે સભ્ય સચિવ અને નિવાસી અધિક કલેકટરના તા.29/11/23ના પત્રથી તપાસ અધિકારીનો અહેવાલ,આધાર-પુરાવાની ખરાઈ કર્યા બાદ અહેવાલ રજૂ થતા આસામીએ સરકારી પડતર જમીનમાં કરવામાં આવેલું શોપિંગ સેન્ટરનું બાંધકામ માલિકીની જમીનમાં ખસેડવાના બદલે ગુજરાત હાઇકોર્ટમાં તા.14/09/2023 ના અપીલ દાખલ કરેલ હોય છતાં સરકારી જમીન પચાવી પાડી હોવાનું પુરાવા આધારિત હોય,પોતાની માલિકીની જમીન ખુલ્લી રહે તેમ જાણીજોઈને સરકારી જમીનમાં ઇરાદાપૂર્વક અનઅધિકૃતરીતે શોપિંગ સેન્ટરનું બાંધકામ કરેલ હોવાથી ગુજરાત જમીન પચાવી પાડવા પર ( પ્રતિબંધ ) અધિનિયમની કલમોમાં જણાવેલી વ્યાખ્યામાં સમાવિષ્ટ થતો હોવાથી અરજદારની અરજી સ્વીકારી પોલીસ ફરિયાદ નોંધાવવા સમિતિ દ્વારા સર્વાનુમતે નક્કી કરવામાં આવતા ગોવિંદભાઇ સવાણી એ સરકારી જમીન પર કબજો કરી શોપિંગ સેન્ટરનું બાંધકામ કર્યાની તેમજ વિવેકભાઈ માંડલીકે પ્લાન બનાવી સરકારી જમીન પચાવી પાડી હતી.
ગારીયાધાર પોલીસે બંને ઈસમો વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર ( પ્રતિબંધ ) ની કલમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Continue Reading

અમરેલી

સાવરકુંડલામાં 20000 લોકોને રોજગારી આપતો હીરા ઉદ્યોગ હાલ મંદીના ભરડામાં

Published

on

સાવકુંડલા શહેર તાલુકા માં રત્ન કલાકારોની રોજી રોટી ક્યારે શરૂૂ થશે તે મોટો સવાલ ઊભો થયો છે… ત્યારે સાવરકુંડલા માં દિવાળી પહેલા 110 જેટલા હીરાના કારખાના હતા જે હાલ માત્ર 10% માંડ થઈ ગયા છે. જે 20000 લોકોને રોજગારી આપ તો આ ઉદ્યોગ હાલ માત્ર 2000 લોકોને માંડ માંડ રોજગારી આપે છે…
રશિયા અને ઈઝરાયેલ બંને દેશમાંથી મોટા પ્રમાણમાં ભારતને આયાત થતી હતી જે યુદ્ધને કારણે રફ ની આયાત અટકી ગઈ છે અને અન્ય દેશોની રફ ખરીદવી પડે છે જે બહુ મોંઘી હોય છે અને પરવડે તેવી સ્થિતિ પણ નથી… જેના કારણે દિવાળીનું જ્યારે વેકેશન પડ્યું ત્યારે કારખાના ફરી ક્યારે ખુલશે તે પણ જણાયું ન હતું જેથી રત્નકલાકારો હજુ વતનમાં છે અને આ બેરોજગારી ની સ્થિતિ ઊભી થઈ છે…આવી સ્થિતિ પહેલા 2008 માં જોવા મળી હતી પણ આ કપરી સ્થિતિ જોતા 2023 ની મંદી પહેલાની મંદી ને ભુલાવે તેવી છે…
જ્યારે આ મંદીના અનુસંધાને સાવરકુંડલા ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ કરશનભાઈ ડોબરીયાએ જણાવ્યું હતું કે આ વર્ષ પણ હજુ નબળું દેખાય છે અને યુરોપ દેશમાં આ ડાયમંડ તૈયાર થઈને જાય છે જ્યાં અત્યારે યુદ્ધનો માહોલ છે. જો રશિયા અને યુક્રેન નું યુદ્ધ બંધ થાય તો સ્થિતિ સુધરે અને રોજગારી વ્હેલી તકે પાછી પ્રાપ્ત થવા લાગે…. ત્યારે રત્ન કલાકારો ની સરકાર પાસે એટલી જ આશા છે કે સરકાર ાર કાપવાનું બંધ કરે તો ઘણી રાહત મળશે… પણ હાલ જે રોજગારી માટે હીરા ઉદ્યોગમાં બહાર સ્થિત હતા તે હજુ વતનમાં રોકાણા છે અને આ ઉદ્યોગ ક્યારે ધમધમે અને ફરીથી રોજગારી મેળવી શકે તે આશા જોઈ રહ્યા છે.

Continue Reading

અમરેલી

બાબરામાં છાત્રાલયમાં રહેતા યુવકનું હાર્ટએટેકથી મૃત્યુ

Published

on

અમરેલીનાં બાબરાનાં ગોપાલક છાત્રાલયમાં રહી સરકારી પરીક્ષાની તૈયારી કરતા યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. 20 વર્ષનાં રવિ વકાતર નામનાં વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત નિપજતા છાત્રાલયનાં વિદ્યાર્થીઓમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
છાત્રાલયમાં રહીને પોલીસ ભરતીની તૈયારી કરતો વિદ્યાર્થી રવિ વકાતર બે દિવસ પહેલા જ જસદણનાં કડુકા ગામેથી અભ્યાસ અર્થે આવ્યો હતો. ત્યારે છાત્રાલયમાં અચાનક રવિને છાતીમાં દુખાવો ઉપડતા છાત્રાલયનાં વિદ્યાર્થીએ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરનાં ર્ડાક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. રવિના મોતના સમાચાર તેનાં પરિવારજનો તેમજ તેનાં મિત્રોને થતા તમામ લોકોમાં શોક વ્યાપી ગયો હતો. આ બાબતે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આજના સમયમાં યુવાનો કામનું એટલું દબાણ લે છે કે આ પણ નાની ઉંમરમાં હાર્ટ એટેકનું કારણ બની શકે છે. આખો સમય કોમ્પ્યુટર કે ફોન પર કામમાં વ્યસ્ત રહેવું અને આહાર અને કસરતને અવગણવાથી હૃદયરોગનું જોખમ વધી શકે છે.
કામના દબાણ અને તણાવને ઘટાડવા માટે આજના યુવાનો ઘણીવાર ધૂમ્રપાન અથવા દારૂ પીવા તરફ આકર્ષાય છે. આ બંને વસ્તુઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક તો છે જ પરંતુ હાર્ટ એટેકનું મોટું કારણ પણ બની શકે છે.

Continue Reading

Trending